૧૧.૦૬

પાટકર, મેધાથી પાદાંગુલિ વિકૃતિ (talipes), જન્મજાત

પાણીનું પ્રદૂષણ

પાણીનું પ્રદૂષણ : સમુદ્રના પાણી સિવાયના પાણીનો ભાગ ખેતી તથા ઉદ્યોગમાં, પીવા વગેરેમાં વપરાય છે. વિશ્વની વસ્તીમાં થતો સતત વધારો તથા વધતું જતું ઔદ્યોગિકીકરણ – આ બંને કારણોસર પાણીની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે અને જે અનુપાત(ratio)માં આ બંનેમાં વધારો થઈ રહ્યો છે તેના પ્રમાણમાં જળ-પ્રદૂષણ ઘણું પ્રમાણબહાર વધતું જાય…

વધુ વાંચો >

પાતર સુરજિત

પાતર, સુરજિત (જ.14 જાન્યુઆરી 1945, પાતર કલાં, જાલંધર, પંજાબ) : પંજાબના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હનેરે વિચ સુલગદી વર્ણમાલા’ (The Alphabet Smouldering in the Darkness) માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અત્યાર સુધીમાં લખેલાં લગભગ 200 કાવ્યો 3 કાવ્યસંગ્રહોમાં પ્રગટ થયાં છે. તે છે :…

વધુ વાંચો >

પાતળું સ્તર (પડ) (thin film)

પાતળું સ્તર (પડ) (thin film) : કાચ, સિરામિક, અર્ધવાહક કે અન્ય યોગ્ય પદાર્થના આધાર (substrate) ઉપર નિર્વાત-બાષ્પીભવન (vacuum evaporation), કણક્ષેપન (sputtering) કે અન્ય પદ્ધતિ દ્વારા કોઈ યોગ્ય પદાર્થના અણુઓ કે પરમાણુઓનું સૂક્ષ્મ જાડાઈ ધરાવતું પડ. આ પાતળા સ્તરની જાડાઈ આણ્વિક અથવા પારમાણ્વિક ક્રમની હોય છે અને તે સામાન્ય રીતે ઍંગસ્ટ્રૉમ…

વધુ વાંચો >

પાતાલ

પાતાલ : હિન્દુ પુરાણોની માન્યતા પ્રમાણે પૃથ્વીની નીચે આવેલો પ્રદેશ. સકળ  બ્રહ્માંડમાં ચૌદ લોક છે તેમાંથી પૃથ્વીલોકની નીચે આવેલા સાત લોકોને પાતાલ કહે છે અથવા સૌથી નીચે આવેલા સાતમા લોકને પણ પાતાલ કહે છે. આ સાતેય લોકોનાં નામ વિષ્ણુપુરાણ મુજબ : (1) અતલ, (2) વિતલ, (3) સુતલ, (4) તલાતલ, (5)…

વધુ વાંચો >

પાતાલયક્ષ (મૂર્તિવિધાન)

પાતાલયક્ષ (મૂર્તિવિધાન) : 14મા તીર્થંકર અનંતનાથના યક્ષ. શ્વેતાંબર અને દિગંબર પરંપરા પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હોય છે. તેનો વર્ણ રાતો હોય છે અને તે મગરનું વાહન ધરાવે છે. દિગંબર પરંપરામાં તેમના હાથમાં અંકુશ, ભાલો, ધનુષ્ય અને પાશ, હળ તેમજ ફળ હોય છે. તેના મસ્તક પર નાગની…

વધુ વાંચો >

પાતાળકૂવા (artesian wells)

પાતાળકૂવા (artesian wells) : ભૂપૃષ્ઠ પરથી જરૂરી ઊંડાઈ સુધી શાર કરીને ભૂગર્ભજળની પ્રાપ્તિ માટે તૈયાર કરવામાં આવતા કૂવાનો એક વિશિષ્ટ પ્રકાર. આ પ્રકારનો કૂવો પહેલવહેલી વાર ફ્રાન્સના આર્ટિયસ પ્રદેશમાં બનાવવામાં આવેલો હોવાથી તેનું નામ અંગ્રેજીમાં ‘artesian well’ પડેલું છે. સંસ્કૃતમાં તેને ઉત્સૃત કૂવો કહે છે. ‘પાતાળકૂવો’ પર્યાય શરૂશરૂમાં ઊંડાઈએથી બહાર…

વધુ વાંચો >

પાતુઆખાલી

પાતુઆખાલી : બાંગ્લાદેશના ખુલના વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાની ઉત્તર અને પૂર્વમાં બરીસાલ (બાકરગંજ) જિલ્લો, દક્ષિણે બંગાળાનો ઉપસાગર, નૈર્ઋત્યમાં ખુલના જિલ્લો આવેલા છે. આ જિલ્લાનો વિસ્તાર 4,338 ચોકિમી. જેટલો છે. આખોય વિસ્તાર હારીનઘાટા, બિશખાલી અને બુરીશ્વર નદીઓનાં પૂરનાં મેદાનોથી બનેલો હોવાથી તે હકીકતમાં…

વધુ વાંચો >

પાત્રીકરણ

પાત્રીકરણ : જુઓ આધાનપાત્ર પરિવહન.

વધુ વાંચો >

પાથફાઇન્ડર (Pathfinder)

પાથફાઇન્ડર (Pathfinder) : મંગળ ગ્રહની સપાટી પર 4 જુલાઈ, 1997(અમેરિકાના સ્વાતંત્ર્યદિન)ના રોજ ઊતરેલું ‘નાસા’નું અંતરીક્ષયાન. આ પહેલાં 1976 દરમિયાન અમેરિકાનાં બે અંતરીક્ષયાન ‘વાઇકિંગ-1 અને 2’ મંગળની સપાટી પર ઊતર્યાં હતાં અને સપાટીની 50,000 જેટલી તસવીરો પૃથ્વી પર મોકલી હતી. વળી તેમણે મંગળની જમીનમાં સૂક્ષ્મ જીવસૃદૃષ્ટિના અસ્તિત્વની ભાળ મેળવવા અંગેના પ્રયોગો…

વધુ વાંચો >

પાદ

પાદ : બાંધકામના માપનો એકમ. પાદના સ્થાપત્ય તથા બાંધકામના સંદર્ભમાં બે અર્થ થાય છે : (1) પાયો અને (2) પગલું કે પગ. પગલું એ અર્થ માપના સંદર્ભમાં વિશેષ ઉચિત છે. પગલાં પ્રમાણે માપ લેવાની પ્રથા ઘણી જ પ્રચલિત છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ વપરાય છે. અંગ્રેજીમાં ‘ફૂટ’ શબ્દ આના પરથી…

વધુ વાંચો >

પાટકર મેધા

Jan 6, 1999

પાટકર, મેધા (જ. 1 ડિસેમ્બર 1954, મુંબઈ) : રાજકીય કાર્યકર અને નર્મદા-વિરોધી આંદોલનનાં અગ્રણી નેત્રી. પિતા વસંત ખાનોલકર હિંદ મજદૂર સભાના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતા ઇન્દુમતી પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગમાં કામ કરતાં પોસ્ટમાસ્ટર બનેલાં. સામાજિક કાર્યકર તરીકે તેમણે ઠીક ઠીક કામ કર્યું હતું. તેમણે શાલેય અને કૉલેજશિક્ષણ મુંબઈમાં…

વધુ વાંચો >

પાટણ

Jan 6, 1999

પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું મુખ્યમથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌ. સ્થાન : 23o 50′ ઉ. અ. અને 72o 07′ પૂ. રે. મહેસાણાથી તે વાયવ્યમાં 57 કિમી., સિદ્ધપુરથી અને ઊંઝાથી પશ્ચિમ તરફ અનુક્રમે 29 કિમી. અને 26 કિમી., અંતરે આવેલું છે. તે ખંભાતના…

વધુ વાંચો >

પાટલિપુત્ર

Jan 6, 1999

પાટલિપુત્ર : મગધનું પ્રાચીન પાટનગર. તે વૈશાલીના વજ્જીઓ(વૃજ્જીઓ)ના આક્રમણ સામે રક્ષણ કરવા ગૌતમ બુદ્ધના સમકાલીન મગધનરેશ અજાતશત્રુના અમાત્ય વસ્સકારે ઈ. પૂ. 480ના અરસામાં ગંગા-શોણ નદીના સંગમ પર બંધાવેલું. પ્રાચીન પાટનગર ગિરિવ્રજ-રાજગૃહ હતું, પરંતુ અજાતશત્રુના પૌત્ર ઉદયાશ્વે પાટનગર પાટલિપુત્રમાં ખસેડ્યું. પાટલિપુત્ર ‘કુસુમપુર’ ને ‘પુષ્પપુર’ પણ કહેવાતું. ‘પાટલિપુત્ર’માં પાટલિવૃક્ષનો ખાસ મહિમા હતો.…

વધુ વાંચો >

પાટીલ નાના

Jan 6, 1999

પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

પાટીલ પ્રતિભા

Jan 6, 1999

પાટીલ, પ્રતિભા (જ. 19 ડિસેમ્બર 1934, જળગાંવ, ખાનદેશ પ્રદેશ, મહારાષ્ટ્ર) : ભારતીય પ્રજાસત્તાકનાં 13મા અને સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનીને બંને રીતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે. તે પૂર્વે તેઓ રાજસ્થાનનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં આવેલ જળગાંવ ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

Jan 6, 1999

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >

પાટીલ રાઘવેન્દ્ર

Jan 6, 1999

પાટીલ, રાઘવેન્દ્ર (જ. 1951, બેટાગેરી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તેરુ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1973માં તેઓ અનાથ સેવાશ્રમ ટ્રસ્ટ પ્રિ. યુનિવર્સિટી કૉલેજ, મલ્લાડિહલ્લીમાં અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં (2008)માં પ્રિન્સિપાલ તરીકે જોડાયેલા…

વધુ વાંચો >

પાટીલ વસંતરાવ

Jan 6, 1999

પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના…

વધુ વાંચો >

પાટીલ વિશ્વાસ મહિપાલ

Jan 6, 1999

પાટીલ, વિશ્વાસ મહિપાલ (જ. 28 નવેમ્બર 1959, નેર્લે, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : ખ્યાતનામ મરાઠી નવલકથાકાર. મરાઠીની તેમની જાણીતી નવલકથા ‘ઝાડાઝડતી’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નેર્લેમાં અને માધ્યમિક શિક્ષણ કોક્રુડમાં. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુરમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવીઓ મેળવ્યા પછી રાજ્ય મુલકી સેવાની પરીક્ષા…

વધુ વાંચો >

પાટીલ સદોબા કન્હોબા

Jan 6, 1999

પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા. કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની…

વધુ વાંચો >