૧૦.૩૧

પઉમચરિઉ (પદ્મચરિત)થી પટેલ, એચ. એમ.

પઉમચરિઉ (પદ્મચરિત)

પઉમચરિઉ (પદ્મચરિત) : અપભ્રંશ ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ પૌરાણિક મહાકાવ્ય. રચયિતા મારુતદેવપદ્મિનીપુત્ર અતિકૃશકાય વિરલદન્ત કવિરાજ સ્વંયભૂદેવ, જે વરાડમાંથી કર્ણાટકમાં જઈ વસ્યા લાગે છે. કોઈ ધનંજયની પ્રેરણાથી તેને આશ્રયે 840-920 દરમિયાન તેની રચના થઈ. હસ્તપ્રતો : (1) પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ક્રમાંક 1120/1884-87ની, કાગળની, 1464-65માં લખાયેલી; (2) સાંગાનેર(જયપુર)ના ગોદિકામંદિરના જૈન ભંડારની,…

વધુ વાંચો >

પઉમચરિય (પદ્મચરિત્ર)

પઉમચરિય (પદ્મચરિત્ર) : જૈન પુરાણસાહિત્યની પ્રાચીનતમ કૃતિ. પ્રાકૃત ભાષાનું આદિકાવ્ય. આ મહાકાવ્ય સર્વપ્રથમ યાકોબીએ 1914માં પ્રકાશિત કરેલું. તે 118 સર્ગોનું છે. તેના રચયિતા છે નાઇલકુલવંશના વિમલસૂરિ. રચના ગ્રંથપ્રશસ્તિ પ્રમાણે વીર સં. 530 = ઈ. સ. 4 કે 64માં થઈ, પરંતુ તે અંગે મતભેદ છે. યાકોબી, જિનવિજયજી, વી. એમ. કુલકર્ણી તેને…

વધુ વાંચો >

પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત)

પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) : અપભ્રંશ કાવ્ય. રચયિતા પાર્શ્વકવિસુત ધાહિલ કવિ. પાટણના જૈન ગ્રંથભંડારમાં સચવાયેલી હસ્તપ્રત 1135માં લખાયેલી છે અને ધાહિલ પોતાને મહાકવિ માઘનો વંશજ ગણાવે છે. તેથી તે આઠમી સદી પછી અને બારમી સદી પહેલાં થયો હશે. ભારતીય વિદ્યા ભવન તરફથી સિંઘી જૈન ગ્રંથમાળામાં તે 1948માં પ્રકાશિત થયેલું. તેના સંપાદકો હતા…

વધુ વાંચો >

પકવાસા, પૂર્ણિમાબહેન

પકવાસા, પૂર્ણિમાબહેન (જ. 1 ઑક્ટોબર 1913, સુરેન્દ્રનગર; અ. 25 એપ્રિલ 2016, ડાંગ) : ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક. ગાંધીયુગે દેશની મહિલાઓમાં અનન્ય ખુમારી પેદા કરેલી. આવાં એક સેવિકા પૂર્ણિમાબહેન પકવાસા, નિરાડંબરી, નિર્ભીક અને સેવાની લગન ધરાવતાં મહિલા. નાની વયે આઝાદીની લડતનું મનોબળ કેળવી, દારૂબંધી…

વધુ વાંચો >

પક્કડ

પક્કડ : જુઓ, ઓજારો

વધુ વાંચો >

પક્સીનિયા

પક્સીનિયા : કિટ્ટ અથવા ગેરુ (rust) તરીકે ઓળખાતી રોગજનીય (pathogenic) ફૂગ. તે બેસીડિયોમાયસેટીસ્ વર્ગના યુરેડિનેલીસ ગોત્રમાં આવેલા પક્સીનિયેસી કુળની ફૂગ છે. તે ઘઉં, જવ, ઓટ, રાય, મગફળી, સફરજન, સફેદ ચીડ (white pine)  અને સ્નૅપડ્રૅગન જેવી આર્થિક અગત્યની વનસ્પતિઓ કે પાક ઉપર પરોપજીવન ગુજારે છે અને પાકને ઘણું આર્થિક નુકસાન પહોંચાડે…

વધુ વાંચો >

પક્ષપલટો

પક્ષપલટો : સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષનો ત્યાગ કરી બીજા પક્ષમાં જોડાવું તે. અલબત્ત, રાજકીય પક્ષની ફેરબદલી બે સ્વરૂપની હોઈ શકે : (1) સિદ્ધાંતનિષ્ઠ યા વિધેયાત્મક ફેરબદલી. વ્યક્તિ કોઈ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલી હોય અને વ્યક્તિના રાજકીય વિચારોમાં પરિવર્તન આવે ત્યારે મૂળ પક્ષમાંથી રાજીનામું…

વધુ વાંચો >

પક્ષી

પક્ષી સામાન્યપણે ઊડવાની ક્ષમતા ધરાવતું પીંછાંવાળું પૃષ્ઠવંશી પ્રાણી. કીટકો અને ચામાચીડિયાં જેવાં પ્રાણીઓ પણ ઉડ્ડયન કરતાં હોય છે; પરંતુ પીંછાં માત્ર પક્ષીઓને હોય છે. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતાં આ પક્ષીઓ અન્ય પ્રાણીઓ માટે અશક્ય એવી જગ્યાએ પણ જઈ શકે છે. તેથી તેઓ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે. અતિઉષ્ણ એવા…

વધુ વાંચો >

પક્ષીતીર્થ

પક્ષીતીર્થ : દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે તમિળનાડુ રાજ્યના નવેસરથી સ્થપાયેલા (1996) ચેંગાઈ અન્ના જિલ્લામાં આવેલું છે. ચિંગલપુટ-મહાબલિપુરમ્ માર્ગ પર ચિંગલપુટની અગ્નિ દિશામાં ત્યાંથી આશરે 11 કિમી. અંતરે તે છે. ત્યાંની 152 મી. ઊંચી દેવગિરિ ટેકરી પરનું શિવમંદિર એ જ પક્ષીતીર્થ તરીકે જાણીતું છે. આ શિવમંદિરના પાછલા ભાગના ખડક પર…

વધુ વાંચો >

પક્ષીસંગીત

પક્ષીસંગીત : પક્ષીઓના કલરવસ્વરે પ્રતીત થતું સંગીત. બારેય માસ અને ખાસ કરીને સંવનન-કાળ દરમિયાન પંખીના કંઠમાંથી નીકળતી સ્વરરચનાથી માનવી આકર્ષાય છે. વૃક્ષોની વિવિધરંગી હરિયાળી આપણા મનને હરી લે છે, તેમ વૃક્ષોની ઘટામાંથી ખીલી ઊઠતો પંખીઓનો મધુર સ્વર કે ક્યારેક આકાશમાં ઉડ્ડયન કરતા પંખીનો કલરવ, ઘર-આંગણામાં છવાઈ જતો પંખીનો ટહુકાર, પર્યાવરણને…

વધુ વાંચો >

પટનાયક, અનંત

Jan 31, 1998

પટનાયક, અનંત (જ. 12 જૂન 1914, છબ્નબત્તા, જિ. પુરી; અ. 1987) : ઊડિયા ભાષાના નામી કવિ. તેમના ‘અવાંતર’ નામના કાવ્યસંગ્રહને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. જીવનની શરૂઆતમાં જ અસહકારના આંદોલનમાં જોડાયા હોવાથી તેમનું વિધિસર શિક્ષણ અટવાઈ ગયું હતું; જોકે પાછળથી તેમણે કટકની રેવનશો કૉલેજમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી…

વધુ વાંચો >

પટનાયક, નવીન

Jan 31, 1998

પટનાયક, નવીન  ( જ. 16 ઑક્ટોબર, 1946 -) : ભારતના પીઢ રાજકારણી અને ઓડિશાના 1998થી અત્યાર સુધી મુખ્યમંત્રી. તેઓ ઓડિશાની સાથે ભારતનાં કોઈ પણ રાજ્યમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કરનારાઓ રાજકારણીઓ પૈકીનાં એક. એટલું જ નહીં બે દાયકાથી વધારે સમય સુધી સતત પાંચ વાર ચૂંટણીમાં વિજય મેળવનાર પવન…

વધુ વાંચો >

પટનાયક, બીજુ

Jan 31, 1998

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન…

વધુ વાંચો >

પટનાયક, વસન્તકુમારી

Jan 31, 1998

પટનાયક, વસન્તકુમારી (જ. 1923, કટક) : ઊડિયા લેખિકા. ઉત્કલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. (પ્રથમ વર્ગમાં). 1951માં તેમની ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત. તેમની નવલકથા ‘અમડા બાટ’(1951)-એ તેમને સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યાં. એ કથા પરથી ફિલ્મ પણ બની છે. 1956માં એમનો કાવ્યસંગ્રહ ‘ચિતાનલ’ પ્રગટ થયો. તેમની પાસેથી 1958માં ‘પાતાલ ઢેઉ’ તથા 1959માં…

વધુ વાંચો >

પટવર્ધન, અચ્યુત સીતારામ

Jan 31, 1998

પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું…

વધુ વાંચો >

પટવર્ધન, વસુંધરા

Jan 31, 1998

પટવર્ધન, વસુંધરા (જ. 18 એપ્રિલ 1917; અ. 3 સપ્ટેમ્બર 2010, પુણે) : મરાઠી લેખિકા. મરાઠી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. ઉપરાંત તેમણે મરાઠીમાં ‘સાહિત્ય-વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી હતી. બાળવાર્તાસંગ્રહો ઉપરાંત બે નવલકથાઓ ‘પ્રીતીચી હાક’ (1951) અને ‘નેત્રા’ (1967), ત્રણ નાટકો ‘ચારમિનાર’, ‘પુત્રવતી ભવ’ અને ‘હિરકણી’ (1954), અમેરિકાની…

વધુ વાંચો >

પટવર્ધન, વિનાયકરાવ

Jan 31, 1998

પટવર્ધન, વિનાયકરાવ (જ. 22 જુલાઈ 1898, મીરજ; અ. 23 ઑગસ્ટ 1975, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પં. વિષ્ણુ દિગંબર પળુસકરના અગ્રણી શિષ્યોમાં આદરથી તેમનું નામ લેવાય છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે સાત વર્ષની ઉંમરથી કાકા કેશવરાવ પટવર્ધન પાસે લીધું. થોડા સમય પછી 1907માં તેઓ પં. વિષ્ણુ દિગંબરના…

વધુ વાંચો >

પટવાઓની હવેલી, જેસલમેર

Jan 31, 1998

પટવાઓની હવેલી, જેસલમેર (ઓગણસમી સદી) : રાજસ્થાનમાં આવેલી બેનમૂન આવાસ-ઇમારત. અત્યંત ધનિક વેપારી પટવા ગુમાનચંદ શેઠના પાંચ પુત્રોની આ પાંચ હવેલી 1835થી 1860 દરમિયાન બની હતી. હવેલીઓમાં અત્યારે કોઈ રહેતું નથી. બધા ઓરડામાં લીંપણ હતું. તે પર અત્યારે ધૂળ જામતી રહે છે. રાજ્યના શ્રીમંત વેપારીઓ તથા મંત્રીઓના વિશાળ આવાસોમાં અનન્ય…

વધુ વાંચો >

પટવારી, પ્રભુદાસ બાલુભાઈ

Jan 31, 1998

પટવારી, પ્રભુદાસ બાલુભાઈ (જ. 24 જુલાઈ 1909, ધંધૂકા; અ. 20 નવેમ્બર 1985, અમદાવાદ) : ગાંધીવાદી કાર્યકર તથા રાજપુરુષ. પિતા બાલુભાઈ ગોરધનદાસ. માતા મણિબહેન. પત્ની સવિતાબહેન; સંતાનમાં એક પુત્રી. અમદાવાદમાં પ્રીતમનગરમાં નિવાસ. પાછળથી પરિમલ સોસાયટીમાં રહેવા ગયા. ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ સ્વાભાવિક હતું, કારણ કે નાની વયથી સત્ય માટે આગ્રહી સ્વભાવના…

વધુ વાંચો >

પટેરિયા, રમેશ

Jan 31, 1998

પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા. તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં…

વધુ વાંચો >