૧૦.૧૦

નાણાવાદથી નામ્બુ, યોઇચિરો (Nambu, Yoichiro)

નાદિયા, કૉમેનેસી

નાદિયા, કૉમેનેસી (જ. 12 નવેમ્બર 1961, ઑનેસ્ટી, રુમાનિયા) : વિશ્વખ્યાત ખેલકૂદ મહિલા ખેલાડી (gymnast). 1976ની મૉન્ટ્રિયલ ઑલિમ્પિકમાં ખેલકૂદ(gymnastics)માં સંપૂર્ણપણે ‘દસ પૉઇન્ટ’ મેળવનારી વિશ્વની પ્રથમ જિમ્નૅસ્ટ બની હતી. બૅલન્સ બીમ અને એસિમેટ્રિકલ બાર્સમાં અનોખી છટા અને કૌશલ દાખવ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે આકર્ષક ખેલાડી તરીકે નામના મેળવ્યા બાદ યુરોપની જુદી…

વધુ વાંચો >

નાનકદેવ, ગુરુ

નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું…

વધુ વાંચો >

નાનકસિંહ

નાનકસિંહ (જ. 4 જુલાઈ, 1897, અક્કહમીદ, જિ. જેલમ; અ. 28 ડિસેમ્બર, 1971, પંજાબ) : પંજાબી નવલકથાકાર. પંજાબીમાં આધુનિક કથાસાહિત્યના પ્રવર્તક નાનકસિંહ છે. એમને નવલકથાલેખનની પ્રેરણા પ્રેમચંદજી પાસેથી મળી હતી. એમનો લેખનસમય 1927 થી શરૂ થાય છે. એમની પહેલી વાર્તા ‘રખડી’ (રાખડી) અને પહેલી નવલકથા ‘મતરેઈમા’ (સાવકી મા) હતી. તેમનો લેખનકાળ…

વધુ વાંચો >

નાનકી, ગુલામરસૂલ

નાનકી, ગુલામરસૂલ (જ. 1900, શ્રીનગર) : કાશ્મીરી લેખક. માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. મૅટ્રિક થઈ શાળા છોડી અને ત્યાં જ શિક્ષણવિભાગમાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે પછી ત્યાં જ કૉલેજમાં પ્રવેશ લઈ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને બી.એ. થયા. ત્યાંના શિક્ષણવિભાગ તરફથી પ્રગટ થતા ‘તૈલિમી નાદીદ’ સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું. 1948માં આકાશવાણીમાં…

વધુ વાંચો >

નાનભટ્ટજી

નાનભટ્ટજી (જ. 1848, સ્વામીના ગઢડા; અ. 1935, ગઢડા) : આયુર્વેદના એક અગ્રણી વૈદ્ય. પ્રકાંડ પંડિત, આદર્શ ગુરુ તથા નિ:સ્પૃહી જનસેવક તરીકે વિખ્યાત. લોકો હેતથી તેમને ‘વૈદ્યબાપા’ કહેતા. પિતા તપોનિષ્ઠ સત્પુરુષ અને જ્યોતિષી હતા. નાનભટ્ટ તેમના મોટા પુત્ર. તેમણે ચાંદોદ-કરનાળીમાં વાસ કરી, પિતાની જેમ વર્ષો સુધી સંસ્કૃત અને આયુર્વેદનો અભ્યાસ કરી,…

વધુ વાંચો >

નાનાક

નાનાક : તેરમી સદીનો, વીસલદેવના સમયનો ગુજરાતનો પ્રખર વિદ્વાન કવિ. પ્રશસ્તિઓ મોટે ભાગે રાજાઓ અને અમાત્યોની રચાતી, છતાં નાનાક નામે એક વિદ્વાનની બે સુંદર પ્રશસ્તિઓ રચાઈ એ ખાસ નોંધપાત્ર છે. આ પ્રશસ્તિઓની કોતરેલી શિલા મૂળ પ્રભાસપાટણમાં હશે, ત્યાંથી તે કોડીનારમાં ખસેડાયેલી ને હાલ એ વડોદરાના મ્યુઝિયમમાં જળવાઈ છે. પહેલી પ્રશસ્તિ…

વધુ વાંચો >

નાના ફડનવીસ

નાના ફડનવીસ (જ. 12 ફેબ્રુઆરી 1742, સાતારા; અ. 13 માર્ચ 1800, પુણે) : મરાઠા રાજ્યનો છેલ્લો મુત્સદ્દી અને દીર્ઘદૃષ્ટિવાળો નેતા. તેમનું નામ બાલાજી જનાર્દન ભાનુ હતું. એમણે દસ વર્ષ સુધી માધવરાવ 1લાના સમયમાં નાણાખાતાના અધિકારી તરીકે કામ કર્યું હતું. ફડનવીસ એટલે રાજ્યની આવક અને ખર્ચ ઉપર દેખરેખ રાખનાર અધિકારી. નાણાકીય…

વધુ વાંચો >

નાનાસાહેબ પેશવા

નાનાસાહેબ પેશવા : સત્તાવનના વિપ્લવના આગેવાન. અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર. તેમનું નામ ધોન્ડુ પંત હતું. બાજીરાવ બીજાનું જાન્યુઆરી, 1851માં અવસાન થતાં તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ બાજીરાવને વાર્ષિક આઠ લાખ રૂપિયાનું અપાતું પેન્શન બંધ કર્યું. આની સામે નાનાસાહેબે સરકારને અરજી કરી. ડેલહાઉસીએ આ પેન્શન બાજીરાવના જીવન પર્યન્તનું…

વધુ વાંચો >

નાનાં પર્ણનો રોગ

નાનાં પર્ણનો રોગ : રીંગણમાં માઇકોપ્લાઝ્મા નામના સૂક્ષ્મ પરજીવીથી થતો રોગ. તેના આક્રમણને લીધે પાનની પેશીઓની લંબાઈ ઘટે છે. તેથી તેનાં પાન અને ડાળીઓ ખૂબ જ નાનાં/ટૂંકાં રહી જાય છે, અને છોડ ઉપર એક જગ્યાએથી નાની ડાળીઓ નીકળે છે. આંતરગાંઠ વચ્ચેની લંબાઈ ઘટી જવાના લીધે બધાં પાનો એક જ  જગ્યાએથી…

વધુ વાંચો >

નાનો કલકલિયો

નાનો કલકલિયો (Common Kingfisher) : એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા તેમજ ભારતમાં નાનાં-મોટાં જળાશયો અને નદી-નાળાંના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળતું પંખી. તે ચળકતા રંગવાળું સુંદર પંખી છે. તેનું શાસ્ત્રીય નામ છે : Alcedo atthis. Linnaeus તેનો સમાવેશ Palecaniformes શ્રેણી અને Phalacrocoracidae કુળમાં થાય છે. તેનું કદ ચકલી કરતાં થોડું મોટું, એટલે…

વધુ વાંચો >

નાણાવાદ

Jan 10, 1998

નાણાવાદ : સમગ્રલક્ષી આર્થિક સિદ્ધાંત અને નીતિ અંગેનો એક પ્રભાવશાળી નીવડેલો અભિગમ. આ અભિગમમાં નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરતા મુખ્ય પરિબળ તરીકે નાણાંના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં માટેની માંગ સ્થિર રહે છે એ તેનું પાયાનું અનુભવમૂલક પ્રતિપાદન છે. ભૂમિકા : મૂડીવાદી દેશોમાં પ્રવર્તતી આર્થિક અસ્થિરતા માટે…

વધુ વાંચો >

નાણાવિભ્રમ

Jan 10, 1998

નાણાવિભ્રમ : વ્યક્તિ વિવિધ આર્થિક પરિમાણોનાં નાણાકીય મૂલ્યોને નજર સમક્ષ રાખે અને વધેલા ભાવો પ્રમાણે તેમનાં વાસ્તવિક મૂલ્યોને ધ્યાનમાં ન લે તો તે નાણાવિભ્રમથી પીડાય છે એમ કહેવાય. દા. ત. સીંગતેલની કિંમત 1961માં એક કિગ્રા.ના રૂ. 2 હતી અને 1996માં તે રૂ. 40 હતી એ હકીકતને વ્યક્તિ ધ્યાનમાં લે, પરંતુ…

વધુ વાંચો >

નાણું

Jan 10, 1998

નાણું : વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય રીતે સ્વીકારાતી  અસ્કામત. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં જે અસ્કામત લોકો સામાન્ય રીતે સ્વીકારતા હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલાં ચીજવસ્તુઓનો વિનિમય સાટાપદ્ધતિથી કરવામાં આવતો હતો, એટલે કે વસ્તુની સામે…

વધુ વાંચો >

નાતાલ

Jan 10, 1998

નાતાલ : ક્વાઝુલુ નાતાલ તરીકે ઓળખાતો દક્ષિણ આફ્રિકાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 20’થી 31° 05’ દ. અ. અને 28° 40’થી 32° 50’ પૂ. રે. વચ્ચે આવેલો છે. દક્ષિણ આફ્રિકા દેશના ચાર પ્રાંતો પૈકી તે સૌથી નાનો છે, જે દેશના કુલ વિસ્તારનો માત્ર આઠ ટકા ભાગ ધરાવે છે.…

વધુ વાંચો >

નાથદ્વારા

Jan 10, 1998

નાથદ્વારા : રાજસ્થાન(મેવાડ વિભાગ)ના ઉદયપુર જિલ્લામાં આવેલું હિન્દુ વૈષ્ણવ સંપ્રદાયનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 24° 56´ ઉ. અ. અને 73° 49´ પૂ. રે.. તે ઉદયપુરથી લગભગ 48 કિમી. અને એકલિંગજીથી 28 કિમી. દૂર આવેલું છે. ઉદયપુરથી નાથદ્વારા જવાનો સડકમાર્ગ પહાડી વળાંકોવાળો અને પ્રકૃતિસૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ વલ્લભ સંપ્રદાયના…

વધુ વાંચો >

નાથ સંપ્રદાય

Jan 10, 1998

નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે…

વધુ વાંચો >

નાદ (ધ્વનિશાસ્ત્ર)

Jan 10, 1998

નાદ (ધ્વનિશાસ્ત્ર) બ્રહ્માંડની પાર્થિવ ગતિશક્તિ અને તેમાં સમાયેલ તરંગસૃષ્ટિના અનંત લયમાં રહેલું વ્યાપક તત્વ. તેના સંદર્ભમાં પ્રાચીન તત્વજ્ઞોએ ‘નાદ-બ્રહ્મ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. શાસ્ત્રકારોએ એમ પણ માન્યું છે કે નિર્ગુણ બ્રહ્મનું સગુણ રૂપ તે નાદ-બ્રહ્મ છે. વિશ્વના આ નાદની અભિવ્યક્તિના ઊગમસ્થાનને નાદ-બિન્દુ કહેલ છે. નાદનો આવિર્ભાવ બે પ્રકારે થતો હોય…

વધુ વાંચો >

નાદારી

Jan 10, 1998

નાદારી : દેવાદાર તેનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે તેવી અદાલત દ્વારા વિધિપૂર્વકની જાહેરાત. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં તેની મિલકતો લેણદારોમાં કરકસરપૂર્વક અને ન્યાયોચિત ધોરણે વહેંચી શકાય તથા તે પોતાની બધી મિલકતો સોંપી દે તો અદાલત તેને દેવામાંથી મુક્ત કરે ત્યાર પછી તરત…

વધુ વાંચો >

નાદિમ, દીનાનાથ

Jan 10, 1998

નાદિમ, દીનાનાથ (જ. 1916, શ્રીનગર; અ. 1988) : કાશ્મીરી લેખક. આ સદીના શ્રેષ્ઠ કાશ્મીરી કવિ. ઘરની સ્થિતિ સારી ન હોવાથી નોકરી કરતાં કરતાં ભણ્યા. કૉલેજમાં હતા ત્યારે ક્રાન્તિકારી દળમાં જોડાયેલા. લડતમાં એમનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો ખૂબ લોકપ્રિય થયેલાં અને એ માટે એમની ધરપકડ પણ થયેલી; તેથી કૉલેજ છોડવી પડી. પછી બહારથી…

વધુ વાંચો >

નાદિયા

Jan 10, 1998

નાદિયા (જ. 1910, ઑસ્ટ્રેલિયા; અ. 9 જાન્યુઆરી 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોની સ્ટંટરાણી. તેનું ‘હેય’ આજે પણ એ જમાનાના પ્રેક્ષકોના કાનોમાં ગુંજે છે ! ચલચિત્રનાં દૃશ્યોમાં ચાલતી ગાડીએ ડબાના છાપરે તે શત્રુ સાથે તલવાર ખડખડાવતી; વિશાળ ખંડમાં કૂદીને ઝુમ્મર પકડીને સામે છેડે અથવા સીડીના મથાળે પહોંચતી, દુષ્ટોને હન્ટર વડે ફટકારતી,…

વધુ વાંચો >