ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >

ધમણ

Mar 25, 1997

ધમણ (bellow) : હવા ફૂંકવા અથવા હવાની પ્રધાર (jet) ઉત્પન્ન કરવા માટેનું સાધન. તેની શોધ મધ્યયુગમાં થયેલી અને તેનો ઉપયોગ લુહારની કોઢમાં હવા ફૂંકીને દહનને ઝડપી બનાવવા અથવા કંપિકાવાદ્યો (reed instruments) વગાડવા માટે થતો હતો. ધમણને મિજાગરાં વડે જોડેલાં બે ત્રિકોણિયાં (અથવા લંબચોરસ કે વર્તુળાકાર) પાટિયાં અને નમ્ય, સળવાળા ચામડાની…

વધુ વાંચો >

ધમનીકાઠિન્ય, મેદજન્ય

Mar 25, 1997

ધમનીકાઠિન્ય, મેદજન્ય (atherosclerosis) : મધ્યમ કે મોટા કદની સ્નાયુઓવાળી અને સ્થિતિસ્થાપક ધમનીઓમાં થતો ચરબીવાળા જાડા અને કઠણ વિસ્તારવાળો વિકાર. તે ધમનીને બંધ કરી દઈને હૃદય-રોગનો હુમલો કે લકવો કરે છે. તેને કારણે વિકસિત દેશોમાં તે મૃત્યુનું પ્રથમ કારણ ગણાય છે. કોઈ પણ કદની ધમની જ્યારે કોઈ પણ વિકારને કારણે જાડી…

વધુ વાંચો >

ધમની-શિરા-સંયોગનળી

Mar 25, 1997

ધમની-શિરા-સંયોગનળી (arterio–venous fistula) : ધમની અને શિરા વચ્ચે જોડાણ હોવું તે. તે જન્મજાત કે પાછળથી ઉદભવેલું હોઈ શકે. મૂત્રપિંડમાં આ પ્રકારની જન્મજાત વિકૃતિ હોય તેવું સૌપ્રથમ વેરિલે 1928માં નોંધ્યું હતું. તેમાં એક કે વધુ નસો વચ્ચે આવું જોડાણ થાય છે. મૂત્રપિંડમાંની ધમની-શિરા-સંયોગનળીઓ મોટેભાગે (75 %) મૂત્રપિંડના પેશીપરીક્ષણ (biopsy) વખતે ઉદભવે…

વધુ વાંચો >

ધમાર

Mar 25, 1997

ધમાર : શાસ્ત્રીય સંગીતમાં 14 માત્રાનો તાલ. પ્રણાલિકા પ્રમાણે તે પખવાજનો તાલ છે, પણ તબલાં ઉપર પણ વગાડવામાં આવે છે. આ તાલમાં માત્રાસમૂહો 5, 2, 3 અને 4ના છે. આ વ્યવસ્થા તથા તાલના બોલ નીચે પ્રમાણે છે : માત્રા :  1    2   3     4       5       6       7       8       9       10     …

વધુ વાંચો >

ધમ્મપદ

Mar 25, 1997

ધમ્મપદ : પાલિ ભાષામાં લખાયેલો પ્રખ્યાત બૌદ્ધ ગ્રંથ. ત્રિપિટકમાંના ‘સુત્તપિટક’ ના પાંચમા – અંતિમ ‘ખુદ્દકનિકાય’નાં 15 અંગ છે. તેમાંનું બીજું અંગ તે ‘ધમ્મપદ’. ડૉ. વી. ફઝબૉલે લૅટિન અનુવાદ સાથે તેને રોમન લિપિમાં 1855માં પ્રથમ વખત પ્રકાશિત કર્યું. પછી તેનાં ઘણાં સંપાદનો થયાં અને જગતની બધી મુખ્ય ભાષાઓમાં તેના અનુવાદો પણ…

વધુ વાંચો >

ધમ્મપરિકખા

Mar 25, 1997

ધમ્મપરિકખા (988) : મેવાડના ધક્કડવંશીય ગોવર્ધનના પુત્ર, સિદ્ધસેનશિષ્ય હરિષેણે અચલપુરમાં રહીને અપભ્રંશ ભાષામાં રચેલો ગ્રંથ. તેની બે હસ્તપ્રતો જૈનોના આમેર શાસ્ત્રભંડારમાં સચવાઈ છે. તેના 11 સન્ધિમાંના 10મામાં સૌથી ઓછાં 17 કડવક અને 11મામાં સૌથી વધારે 27 કડવક છે. દરેક સન્ધિના અંતિમ ધત્તામાં તથા દરેકની પુષ્પિકામાં કર્તાનું નામ આવે છે. બ્રાહ્મણ…

વધુ વાંચો >

ધમ્મપાલ

Mar 25, 1997

ધમ્મપાલ (પાંચમું શતક) : બૌદ્ધ અને પાલિ શાસ્ત્રગ્રંથોના મહાન ટીકાકાર – અકથાકાર. જન્મ તમિળ દેશના કાંચીપુરમમાં. શિક્ષણ શ્રીલંકાના અનુરાધાપુરમા. તમિળ દેશના બદરિતિત્થવિહારમાં રહેતા હતા. બુદ્ધઘોષે બૌદ્ધ શાસ્ત્રગ્રંથો ઉપર પ્રસિદ્ધ ટીકાઓ – અટ્ઠકથાઓ રચી છે, તેમાં ‘ખુદ્દકનિકાય’ના સાત ગ્રંથો બાકી હતા. તેમના પછી તરત જ થયેલ ધમ્મપાલે તેના ઉપર ટીકા લખી…

વધુ વાંચો >

ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ

Mar 25, 1997

ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ : પાલિ ભાષામાં લખાયેલો શાસ્ત્ર-બાહ્ય બૌદ્ધ ગ્રંથ. રાજા પરાક્રમબાહુ(1240 થી 1275)ના સમકાલીન, શ્રીલંકાના થેર ધમ્મકિત્તિ(ધર્મકીર્તિ)એ લંકારામવિહારમાં તે રચેલો. શ્રીલંકાના નેદિમાલે સદ્ધાનંદ દ્વારા સંપાદિત રોમન લિપિમાં પાલિ ટેક્સ્ટ સોસાયટીના ત્રૈમાસિકમાં લંડનથી 1890માં પ્રકાશિત કરેલ. 1941માં ડૉ. બિમલ શરણ લૉનો અંગ્રેજી અનુવાદ કલકત્તા યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો. 11 પ્રકરણમાં વિભાજિત…

વધુ વાંચો >

ધમ્મોવએસમાલાવિવરણ

Mar 25, 1997

ધમ્મોવએસમાલાવિવરણ : જૈન સિદ્ધાંતગ્રંથ ‘ધર્મોપદેશમાલા’ પરનું ‘વિવરણ’. તેના લેખક કૃષ્ણમુનિશિષ્ય જયસિંહસૂરિ છે. આ ગદ્યપદ્યાત્મક પ્રકરણગ્રંથ પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી દ્વારા સંપાદિત, સિંઘી જૈન ગ્રંથમાળામાં અઠ્ઠાવીસમા મણકા રૂપે મુંબઈથી 1949માં પ્રકાશિત થયો હતો. ધર્મદાસગણી(ચોથાથી છઠ્ઠા શતક)ની પ્રાકૃત ‘ઉપદેશમાલા’ના અનુકરણમાં રચાયેલા પ્રકરણગ્રંથોમાં મહત્વના આ ગ્રંથમાં પ્રાથમિક કક્ષાનાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને નિયમિત ભણવા…

વધુ વાંચો >

ધરણીવરાહ

Mar 25, 1997

ધરણીવરાહ (ઈ. સ. દસમી સદી) : ગુજરાતના ઇતિહાસમાં ધરણીવરાહ નામના બે રાજાઓની વિગતો મળે છે. એક વઢવાણના ચાપ વંશમાં અને બીજો આબુ-ચંદ્રાવતીના પરમાર વંશમાં. વઢવાણના દાનશાસન(ઈ. સ. 914)માં ધરણીવરાહ ચાપ (ચાવડા) વંશનો રાજા હોવાનું જણાવ્યું છે. નવમી સદીના પૂર્વાર્ધમાં વઢવાણમાં ચાપ કુલનો એક રાજવંશ સત્તારૂઢ થયો. એ વંશની ઉત્પત્તિ શિવના…

વધુ વાંચો >