ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >

દો બીઘા જમીન

Mar 22, 1997

દો બીઘા જમીન : હિંદી ચલચિત્ર. બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીના ચલચિત્રસર્જક દ સીકાનાં સર્જનોમાં નિરૂપિત નવયથાર્થવાદથી પ્રભાવિત થઈને ભારતમાં જે ચલચિત્રો બન્યાં તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બિમલ રૉય દિગ્દર્શિત ‘દો બીઘા જમીન’ મહત્વપૂર્ણ સર્જન છે. નિર્માણ વર્ષ : 1953, શ્વેત અને શ્યામ, ભાષા : હિંદી, નિર્માણસંસ્થા : બિમલ રૉય પ્રોડક્શન,…

વધુ વાંચો >

દોમિયે, ઓનોર વિક્ટોરિન

Mar 22, 1997

દોમિયે, ઓનોર વિક્ટોરિન [Domier, Honore Victorin] (જ. 1808; અ. 1879) : ફ્રેન્ચ ચિત્રકાર. જ્યારે ફ્રાંસ અને પશ્ચિમ યુરોપમાં રાજાશાહી આથમી રહી હતી અને લોકશાહી અને ઉદ્યોગીકરણનો ઉદય થઈ રહ્યો હતો એ અરસામાં માનવીની વેદનાને વાચા આપનાર ચિત્રો આલેખવા માટે તેમને ખ્યાતિ મળી. તેઓ લોકશાહીના તરફદાર હતા એ હકીકત તેમનાં તૈલચિત્રો…

વધુ વાંચો >

દોમ્મરાજુ, ગુકેશ

Mar 22, 1997

દોમ્મરાજુ, ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ) : સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન. પિતા રજનીકાંત ઇએનટી સર્જન અને માતા પદ્મ માઇક્રોબાયૉલૉજિસ્ટ. ગુકેશને ચેસ ચૅમ્પિયન બનાવવા પિતાએ 2018માં પોતાનું ક્લિનિક બંધ કરી ડૉક્ટરની કારકિર્દી છોડી દીધી છે. પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર માતાની આવક. તેથી મિત્રોની પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા…

વધુ વાંચો >

દોરી-દોરડાં ઉદ્યોગ

Mar 22, 1997

દોરી-દોરડાં ઉદ્યોગ : કુદરતી કે કૃત્રિમ, શુદ્ધ કે મિશ્ર, રેસાઓને વળ ચઢાવીને સેર(strand)માં અને સેરને દોરી-દોરડાંમાં ફેરવવાનો ઉદ્યોગ. જો બનાવટ પાતળા તાર રૂપે હોય તો તેને દોરી કહે છે અને જો તે જાડી હોય તો દોરડું, રાશ, રાંઢવું, રજ્જુ એવા વિવિધ નામે ઓળખાય છે. પરંપરાગત રીતે સૂતર અથવા ભીંડી, નારિયેળ…

વધુ વાંચો >

દોલકો

Mar 22, 1997

દોલકો : ઊર્જારૂપાંતરણ માટેની એક પ્રયુક્તિ. આવી પ્રયુક્તિ દ્વારા ડી.સી. સ્રોતમાંથી વિદ્યુતશક્તિ મેળવાય છે અને તેનું વિદ્યુત-દોલનોમાં રૂપાંતર થાય છે. આ રીતે પેદા થતાં દોલનો વિવિધ આવૃત્તિઓ, તરંગ સ્વરૂપ અને શક્તિ-સ્તર ધરાવતા એ.સી. પ્રવાહ છે. દોલકપરિપથ સાકાર કરવા માટે શૂન્યાવકાશ કરેલી નળીઓ, ટ્રાન્ઝિસ્ટર અને સંકલિત પરિપથ (integrated circuit) જેવા વિવિધ…

વધુ વાંચો >

દોલતાબાદનો કિલ્લો

Mar 22, 1997

દોલતાબાદનો કિલ્લો : દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે ઈ. સ. 1327માં તેની રાજધાની જ્યાં સ્થળાંતર કરી હતી, તે ઔરંગાબાદ પાસેનો કિલ્લો. ઔરંગાબાદનું પ્રાચીન નામ દેવગિરિ હતું. ઈ. સ. 1187થી તેના પર યાદવ વંશના ભિલમ્મા પહેલાની સત્તા હતી. ઈ. સ. 1296માં અલાઉદ્દીન ખલજીએ તેના પર કબજો મેળવ્યો હતો. તે દિલ્હી સલ્તનતના…

વધુ વાંચો >

દોલ્ચી, દાનીલો

Mar 22, 1997

દોલ્ચી, દાનીલો (જ. 28 જૂન 1924, સેસાના, ઇટાલી; અ. 30 ડિસેમ્બર 1997, પાર્ટિનિકો, ઇટાલી) : કવિપ્રકૃતિના ગૂઢવાદી ઇટાલિયન લેખક, સમાજસુધારક અને કર્મશીલ નેતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ દોલ્ચીની માતા મેલી કૉન્ટેલી સ્વભાવે ધાર્મિક અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતી હતી. પિતા સિનોર એનરિકો નિરાળી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. ગામડા પ્રત્યે માયા…

વધુ વાંચો >

દોવાલ, અજિત

Mar 22, 1997

દોવાલ, અજિત (જ. 20 જાન્યુઆરી, 1945, પૌડી ગઢવાલ) : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનડીએ). 30 મે, 2014ના રોજ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક. હાલ ઉત્તરાખંડના અને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પૌડી ગઢવાલમાં જન્મ. પિતા ભારતીય સેનામાં અધિકારી મેજર ગુનાનાદ એન દોવલ. પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના અજમેરની અજમેર…

વધુ વાંચો >

દોશી, અમુભાઈ

Mar 22, 1997

દોશી, અમુભાઈ (જ. 1920, કરાંચી; અ. 28 જુલાઈ 1994, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સંગીતકાર તથા નિષ્ણાત સરોદવાદક. મૂળ વતન ભુજ–કચ્છ. પિતા વીરજીભાઈ અને માતા કંકુબહેન. ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ કરાંચી ખાતે, નાની ઉંમરમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, માસ્ટર વસંત, ઉસ્તાદ મુબારક જેવા વિખ્યાત શાસ્ત્રીય સંગીતકારોના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી પ્રેરણા…

વધુ વાંચો >

દોશી, ચતુર્ભુજ આણંદજી

Mar 22, 1997

દોશી, ચતુર્ભુજ આણંદજી (જ. 1894, કાઠિયાવાડ, ગુજરાત; અ. 21 જાન્યુઆરી 1969, મુંબઈ) : હિન્દી તથા ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક. જન્મ સૌરાષ્ટ્રમાં. 1926માં ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદ હેઠળના દૈનિક ‘હિન્દુસ્તાન’માં જોડાયા. 1930માં મૂક ચિત્રો માટે પટકથાલેખક તરીકે આરંભ કર્યો. જયંત દેસાઈ, નંદલાલ, જશવંતલાલ તથા નાનુભાઈ વકીલ માટે ગુજરાતી ફિલ્મોની પટકથાઓ લખી. રણજિત મૂવીટોન…

વધુ વાંચો >