ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >

ત્યાગી, મહાવીર

Mar 2, 1997

ત્યાગી, મહાવીર (જ. 31 ડિસેમ્બર 1899, ધબરસી, ઉ. પ્ર.; અ. 22 જાન્યુઆરી 1980, ન્યૂ દિલ્હી) : ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર. પિતાનું નામ શિવનાથસિંહ તથા માતાનું નામ જાનકીદેવી. ખેતીવાડી તેમનો વ્યવસાય હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ મેરઠની હાઈસ્કૂલમાં. ભારતીય લશ્કરમાં જોડાઈને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન…

વધુ વાંચો >

ત્રયોદશાંગ ક્વાથ

Mar 2, 1997

ત્રયોદશાંગ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. આયુર્વેદના ચિકિત્સા અંગેના ગ્રંથ ‘ચક્રદત્ત’માં આ ક્વાથ અંગે નિરૂપણ છે. ધાણા, લીંડીપીપર, સૂંઠ, બીલીનું મૂળ, અરણીનું મૂળ, શ્યોનાકનું મૂળ, ગંભારીમૂળ, પાટલામૂળ, શાલપર્ણીમૂળ, પૃશ્નિપર્ણીમૂળ, ઊભી ભોરીંગણીનું મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ અને ગોખરુનું મૂળ એ તેર ઓસડિયાં એકસરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડીને અધકચરું ચૂર્ણ બનાવી લેવામાં આવે…

વધુ વાંચો >

ત્રયોદશાંગ ગુગ્ગુલ

Mar 2, 1997

ત્રયોદશાંગ ગુગ્ગુલ : આયુર્વેદિક ઔષધ. બાવળની છાલ, અશ્વગંધા, પલાશી, ગળો, શતાવરી, ગોખરુ, રાસના, નસોતર, સુવાદાણા, કચૂરો, અજમો અને સૂંઠ – આ બારેય ઔષધો એકસરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી તેમાં તેટલા જ પ્રમાણમાં શુદ્ધ કરેલો ગૂગળ તથા ગૂગળ કરતાં અડધા પ્રમાણમાં ગાયનું ઘી લઈ પ્રથમ ગૂગળને ઘીમાં ખૂબ કૂટી નરમ કરી…

વધુ વાંચો >

ત્રસદસ્યુ

Mar 2, 1997

ત્રસદસ્યુ : દસ્યુઓ જેનાથી ત્રાસ પામતા હતા તેવો રાજા. ઋગ્વેદ 4/42 સૂક્તનો તે દ્રષ્ટા ઋષિ છે. તાંડ્ય બ્રાહ્મણ, મહાભારત, હરિવંશ અને વરાહપુરાણમાં તેનો નિર્દેશ થયો છે. વેદકાળ અને પુરાણકાળનો તે રાજા અને ઋષિ છે. વેદ મુજબ પુરુ વંશના પુરુકુત્સનો તે પુત્ર હતો. તેના જન્મ સમયે તેનો પિતા મુશ્કેલીમાં હતો. તૃત્સુઓ…

વધુ વાંચો >

ત્રાજન ફોરમ, રોમ

Mar 2, 1997

ત્રાજન ફોરમ, રોમ : પ્રાચીન રોમનાં લોકોપયોગી સંકુલોમાંનું એક વિશાળ તથા સુંદર ઇમારત-સંકુલ. તેની રચનામાં લંબચોરસની બે નાની બાજુ પર અર્ધગોળાકાર આકારમાં આવેલી દુકાનોવાળું સાર્વજનિક સ્થાન, ઉપર કમાનાકાર છતવાળી તથા વિવિધ નિસરણીઓ વડે સંકળાયેલ બે માળની દુકાનો, બે બાજુ અર્ધગોળાકારમાં ગોઠવેલા ઓરડાઓવાળું ત્રાજનનું સભાગૃહ, તેની પાસે ત્રાજનના સંસ્મરણાત્મક સ્તંભની બંને…

વધુ વાંચો >

ત્રાપજકર, પરમાનંદ

Mar 2, 1997

ત્રાપજકર, પરમાનંદ (જ. 24 ફેબ્રુઆરી 1902, ત્રાપજ, જિ. ભાવનગર; અ. 1992) : ગુજરાતી નાટ્યકાર. પિતાશ્રી મણિશંકર ભટ્ટ સાગરખેડુ વ્યાપારી હતા. એમનાં માતુશ્રી બેનકુંવરબાનું પિયર સાહિત્ય અને સંગીતના રંગે રંગાયેલું હતું. તેઓ ત્રાપજની શાળામાં સાત ગુજરાતી અને ભાવનગર સનાતન હાઈસ્કૂલમાં ચોથી અંગ્રેજી સુધી ભણેલા. પંદર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં, ઓગણીસ…

વધુ વાંચો >

ત્રાયમાણ

Mar 2, 1997

ત્રાયમાણ : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gentiana kurroo Royle (સં., ગુ., મ. ત્રાયમાણ; બ. બલાહુસુર; ફા. અસ્ફાક; યૂ. ગ્રાફિક્સ; અં. ઇન્ડિયન જેન્શિયન રૂટ) છે. તે એક નાની બહુવર્ષાયુ વનસ્પતિ છે અને મજબૂત ગાંઠામૂળી ધરાવે છે. તેની શાખાઓ ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓના અગ્ર ભાગો…

વધુ વાંચો >

ત્રિઅંગી વનસ્પતિઓ

Mar 2, 1997

ત્રિઅંગી વનસ્પતિઓ (pteridophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી, વાહકપેશીધારી, અપુષ્પી અને બીજરહિત વનસ્પતિઓનો સમૂહ. તે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. આ વનસ્પતિસમૂહે ભૂમિ પર સફળતાપૂર્વક વસવાટ કર્યો છે. ગ્રીક શબ્દ ‘pteron’ (પીછું) અને ‘phyton’ (વનસ્પતિ) પરથી આ વનસ્પતિસમૂહને માટે ‘pteridophytes’ શબ્દ પ્રયોજાયો છે. આ વનસ્પતિસમૂહ આશરે 40 કરોડ વર્ષ…

વધુ વાંચો >

ત્રિકટુ કલ્પ

Mar 2, 1997

ત્રિકટુ કલ્પ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, કાળાંમરી અને લીંડીપીપર – આ ત્રણે વનસ્પતિ સરખા વજને લઈ બનાવેલ ચૂર્ણને આયુર્વેદમાં ‘ત્રિકટુ’ (ત્રણ તીખાં) નામે ઓળખે છે. આયુર્વેદમાં ‘કલ્પ’ એ ‘કાયાકલ્પ’ કરનાર ઔષધિપ્રયોગ માટે વપરાતો શબ્દ છે. જે લોકોની કફદોષની તાસીર હોય; જેમને શરદી, સળેખમ, શ્વાસ, મંદાગ્નિ, ડાયાબિટીસ જેવા કફદોષપ્રધાન દર્દો હોય;…

વધુ વાંચો >

ત્રિકબિન્દુ

Mar 2, 1997

ત્રિકબિન્દુ (triple point) : પદાર્થના દબાણ (P) વિરુદ્ધ તાપમાન(T)ના આલેખ ઉપર આવેલું એવું બિન્દુ, જ્યાં પદાર્થનાં ત્રણેય સ્વરૂપો — ઘન, પ્રવાહી અને વાયુ — એકબીજા સાથે સમતોલનમાં હોય. પદાર્થની અવસ્થા તાપમાન અને દબાણ ઉપર આધારિત હોય છે. અમુક દબાણ અને તાપમાને જે પદાર્થ ઘન અવસ્થામાં હોય છે, તે જ પદાર્થ…

વધુ વાંચો >