ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >

દફતરી, શરયૂ

Mar 8, 1997

દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા. પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે…

વધુ વાંચો >

દફન

Mar 8, 1997

દફન : શબનો નિકાલ કરવાની એક વિધિ. દફનનો વિધિ સૌથી જૂનો છે. વિશ્વના સૌથી જૂના નિયેન્ડરથલ માનવના દફન અવશેષો ઇરાકમાં ઉત્તરે શાનદાર ગુફામાં મળ્યા છે, જે 62,000 વર્ષના જૂના ગણાય છે. આદિ માનવ મરણ વિશે શું ધારતો હતો, તે આપણે જાણતા નથી. સામાન્ય રીતે તે શબને ત્યજી દેતો હતો. કદાચ,…

વધુ વાંચો >

દબાણ (pressure)

Mar 8, 1997

દબાણ (pressure) : એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે લાગતું બળ. દબાણ = બળ/ક્ષેત્રફળ. તે ખાસ પ્રકારનું પ્રતિબળ છે. મીટર–કિલોગ્રામ – સેકન્ડ માપપદ્ધતિમાં દબાણનો એકમ = ન્યૂટન/મીટર2 છે. સત્તરમી સદીમાં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી બ્લેઇઝ પાસ્કલે પ્રવાહીના દબાણને લગતા મહત્વના પ્રયોગો કર્યા અને તારવ્યું કે પાત્રમાં ભરેલ તરલ પદાર્થ(પ્રવાહી અથવા વાયુ)ના કારણે પાત્રના…

વધુ વાંચો >

દબાણ (જૈવિક અસરો)

Mar 8, 1997

દબાણ (જૈવિક અસરો) : એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ. સૂર્યનું આંતરિક દબાણ 3 × 1017 ડાઈન્સ/સેમી.2 હોય છે. અંતરા-તારાકીય અવકાશ (interstellar space)માં દબાણ શૂન્ય જેટલું હોય છે. દરિયાની સપાટીએ ભૌમિક સજીવોને એક વાતાવરણદાબ (1.0335 કિગ્રા./ચોસેમી.) દબાણ લાગુ પડે છે. જેમ ઊંચાઈ વધે તેમ વાતાવરણનું દબાણ ઘટે છે. પૃથ્વીના દરિયાની…

વધુ વાંચો >

દબાણમાપક

Mar 8, 1997

દબાણમાપક (mercurial barometer) : વાતાવરણનું દબાણ માપવા માટેનું સાધન. આ સાધનની રચના ટોરિસિલીએ 1643માં કરી હતી. મૂળ સાધનમાં ઘણા સુધારા કર્યા બાદ તેનો પ્રમાણભૂત વાયુભારમાપક તરીકે ઉપયોગ થવા લાગ્યો. વાતાવરણની હવાના સ્તંભને કાચની બંધ નળીમાં પારાના સ્તંભ વડે સમતુલિત કરવાના સિદ્ધાંત ઉપર આ સાધન કાર્ય કરે છે. આ રીતે, બંધ…

વધુ વાંચો >

દબીર, મિર્ઝા સલામતઅલી

Mar 8, 1997

દબીર, મિર્ઝા સલામતઅલી (જ. 1803, દિલ્હી; અ. 1875) : મરસિયાના કવિ. તેમણે ‘દબીર’ તખલ્લુસ અપનાવ્યું હતું. તેમના પિતા મિર્ઝા ગુલામહુસેન દિલ્હી છોડીને લખનૌ આવી રહ્યા તેથી દબીર પણ પિતાની સાથે બાળપણમાં જ લખનૌ આવ્યા. ત્યાં જ શિક્ષણ વગેરે મેળવ્યું. તે સમયે ઘરેઘર શેરોશાયરીનો રિવાજ હતો. કવિતા લખવી એક કલા હતી.…

વધુ વાંચો >

દબીર, શમ્સ

Mar 8, 1997

દબીર, શમ્સ (અ. 1307 કે 1308) : ઉત્તર ભારતના ફારસી કવિ. પૂરું નામ શમ્સુદ્દીન દબીર. તેઓ મધ્યયુગના ઉત્તર હિન્દના વિદ્વાન અને ફારસી ભાષાના કવિ હતા. તેમણે દિલ્હીના ગુલામવંશના સુલતાન બલ્બન (1266–1287) અને તેના શાહજાદા નાસિરુદ્દીન મહમૂદ બુદરાખાનના સમયમાં ‘દબીર’ (રાજ્યમંત્રી)નું પદ મેળવ્યું હતું. શરૂઆતમાં તેમનો ઉછેર ખ્યાતનામ સૂફી સંત ફરીદુદ્દીન…

વધુ વાંચો >

દ’ બ્રોલ્યી તરંગ વિભાવના

Mar 8, 1997

દ’ બ્રોલ્યી તરંગ વિભાવના : ગતિમય (moving) ઇલેક્ટ્રૉન (બહોળા અર્થમાં બધા જ ગતિમય કણ) પ્રકાશની માફક, કણ અને તરંગ એમ બંને પ્રકારનાં લક્ષણ ધરાવી શકે તેવી, દ’ બ્રોલ્યી દ્વારા 1929માં રજૂ કરવામાં આવેલ પરિકલ્પના (hypothesis). દ’ બ્રોલ્યીએ પ્રકાશને ફોટૉનના કિરણપુંજ (beam) તરીકે ગણીને તરંગ સમીકરણ મેળવ્યું હતું. ફોટૉનની ઊર્જા E,…

વધુ વાંચો >

દ’ બ્રોલ્યી, લૂઈ વિક્તોર

Mar 8, 1997

દ’ બ્રોલ્યી, લૂઈ વિક્તોર (જ. 15 ઑગસ્ટ 1892, ડીએપ સેન મરીન, ફ્રાન્સ; અ. 19 માર્ચ 1987, પૅરિસ, ફ્રાન્સ) : ઇલેક્ટ્રૉન, જે એક કણ છે, તેના તરંગસ્વરૂપની શોધ માટે, ભૌતિકશાસ્ત્રના 1929ના નોબેલ પુરસ્કારવિજેતા. લુઈ ચૌદમાએ તેમના કુટુંબને ‘અમીર’નું બિરુદ આપ્યું હતું. તેમણે ફ્રાન્સના લશ્કરમાં તેમજ સરકારમાં મુત્સદ્દી તરીકે સેવાઓ આપી હતી.…

વધુ વાંચો >

દમણ

Mar 8, 1997

દમણ : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક ર્દષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25’ ઉ. અ અને 72° 51’ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી…

વધુ વાંચો >