ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

ધૂમ્રપાન

ધૂમ્રપાન : જુઓ, તમાકુસેવન.

વધુ વાંચો >

ધૂર્તવિટસંવાદ

ધૂર્તવિટસંવાદ : જુઓ, ચતુર્ભાણી.

વધુ વાંચો >

ધૂસરકોષાર્બુદ

ધૂસરકોષાર્બુદ (pheochromocytoma) : મુખ્યત્વે અધિવૃક્ક (adrenal) ગ્રંથિના મજ્જાસ્તરમાં થતી ધૂસરકોષો(cromoffin cells)ની ગાંઠ. બંને મૂત્રપિંડ(વૃક્ક)ના ઉપલા છેડે એક એક  – એમ બે નાની ગ્રંથિની જોડ આવેલી છે. તેથી તેને અધિવૃક્ક ગ્રંથિ કહે છે. અધિવૃક્ક ગ્રંથિમાં 2 સ્તર આવેલા છે. બહારના સ્તરને બહિ:સ્તર (cortex) કહે છે. તેમાંથી સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવો (hormones) ઝરે…

વધુ વાંચો >

ધૂળમાંની પગલીઓ

ધૂળમાંની પગલીઓ : આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનું ગુજરાતી પુસ્તક. લેખક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ. આ પુસ્તકને ભારતીય સાહિત્ય અકાદમીનો 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકનાં શૈશવ અને કૈશોર્યના દિવસોનું આમાં આલેખન થયું છે. શિશુકાળ અને કિશોરકાળનાં સ્મરણોનાં રિપ્લે દ્વારા લેખક જાણે પ્રસન્નતા અને માધુર્યથી ભર્યા ભર્યા એ દિવસો સ્મૃતિ સજીવ…

વધુ વાંચો >

ધૂંધભરી ખીણ

ધૂંધભરી ખીણ : ઈ. સ. 2000નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર વીનેશ અંતાણીકૃત ગુજરાતી નવલકથા (1996). લેખક ચંડીગઢમાં આકાશવાણીના સ્ટેશન-ડિરેક્ટર તરીકે બે વર્ષથી વધારે સમય રહેલા. લેખકે નિવેદનમાં નોંધ્યું છે – ‘પંજાબમાં સ્થપાવા લાગેલી શાંતિના સંકેતોની પડછે, વીતેલા લોહિયાળ દાયકાનો ઓથાર પણ મેં ત્યાંના લોકોના ચહેરા પર જોયો હતો અને…

વધુ વાંચો >

ધૃતરાષ્ટ્ર

ધૃતરાષ્ટ્ર : વ્યાસરચિત સંસ્કૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક મહત્વનું પાત્ર. શાંતનુના નિ:સંતાન અવસાન પામેલા પુત્ર વિચિત્રવીર્યની વિધવા પત્ની અંબિકા સાથેના સત્યવતી-યોજિત વ્યાસના નિયોગથી અંધ જન્મેલ ‘ક્ષેત્રજ’ પુત્ર ધૃતરાષ્ટ્ર ‘મહાભારત’નાં ખલપાત્રોમાંનો એક છે. તે માત્ર ચર્મચક્ષુ-અંધ નહોતો, અન્યનાં – સવિશેષ, પાંડવોનાં – ક્લ્યાણદર્શનનાં આંતરચક્ષુથી પણ વંચિત હતો. પાંડવોનું અધિકારસિદ્ધ અર્ધું રાજ્ય પડાવી…

વધુ વાંચો >

ધેનકેનાલ

ધેનકેનાલ : પૂર્વ ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારા પર ઓરિસા રાજ્યની મધ્યમાં આવેલ ધેનકેનાલ જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લાનું વહીવટી મથક. ભૌ. સ્થાન : 20° 40’ ઉ. અ. અને 85° 36’ પૂ. રે. ઓરિસામાં વસતી અનેક આદિવાસી જાતિઓ પૈકીની સવારા (સેઓરા કે સોરા) જાતિના મધ્યયુગમાં થઈ ગયેલા કોઈ ધેનકા નામના મુખિયાના…

વધુ વાંચો >

ધોરણભંગ

ધોરણભંગ : જુઓ, સામાજિક ધોરણો

વધુ વાંચો >

ધોરાજી

ધોરાજી : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના નૈર્ઋત્ય ખૂણે આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. તાલુકો : ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 47’ ઉ. અ. 70° 27’ પૂ. રે. પર આવેલો છે. તાલુકામાં અગત્યનું નગર ધોરાજી છે અને 30 ગામો આવેલાં છે. કુલ ક્ષેત્રફળ 484 ચોકિમી. છે અને 2011માં તેની વસ્તી…

વધુ વાંચો >

ધોલપુર

ધોલપુર : રાજસ્થાનની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય શહેર. શહેરનું સ્થાન : 26° 42´ ઉ. અ. અને 77° 54´ પૂ. રે. 1982 સુધી આ જિલ્લો રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો એક ભાગ હતો. 1982માં તેનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે. ભારતીય સંઘમાં સર્વપ્રથમ જોડાવાનું માન આ પ્રદેશને ફાળે જાય…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >