ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

ધુબરી

ધુબરી : ભારતના પૂર્વ ભાગમાં આવેલા અસમ રાજ્યનું નગર, જિલ્લામથક અને જિલ્લો. ધુબરીનું જૂનું નામ ગોવાલપાડા હતું. ભૌગોલિક સ્થાન : 26° 02´ ઉ. અ. અને 89° 59´ પૂ. રે.. તે રાજ્યની છેક પશ્ચિમ સરહદે બ્રહ્મપુત્ર નદીની નીચલી ખીણના અંતિમ ભાગમાં નદીના વાયવ્ય તટ પર સમુદ્રસપાટીથી આશરે 34 મીટરની ઊંચાઈ પર…

વધુ વાંચો >

ધુમ્મન, કપૂરસિંગ

ધુમ્મન, કપૂરસિંગ (જ. 1927, ધુલચિકે, શિયાલકોટ; અ. 1985) : પંજાબી નાટ્યકાર અને દિગ્દર્શક. એમના પિતા જ્ઞાની બુદ્ધસિંગ શિક્ષક હતા અને કાવ્યો લખતા હતા. એમણે પ્રાથમિક શિક્ષણ ઉગ્ગોકીની ડી.બી. પ્રાથમિક સ્કૂલમાં લીધું હતું. પછી શિયાલકોટની ખાલસા હાઈસ્કૂલમાં ભણ્યા. ત્યાંની મૂરી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેમની નાટ્યકૃતિ ‘પાગલ લોક’ને 1984ના વર્ષનો કેન્દ્રીય…

વધુ વાંચો >

ધુમ્મસ

ધુમ્મસ (fog) : હવામાં તરતાં પાણીનાં સૂક્ષ્મ બુંદ. આમ તો ધુમ્મસ વાદળ જેવું છે પણ ફેર એટલો છે કે ધુમ્મસ પૃથ્વીની સપાટીને સ્પર્શી શકે છે જ્યારે વાદળો જમીનથી અધ્ધર રહે છે. તળાવ, નદી અને સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતું હોય છે. ભીની જમીન અને વનસ્પતિનાં પાંદડાંમાંથી પણ ભેજ છૂટો પડી હવામાં…

વધુ વાંચો >

ધુરંધર, મહાદેવ વિશ્વનાથ

ધુરંધર, મહાદેવ વિશ્વનાથ (જ. 18 માર્ચ 1871, મુંબઈ; અ. 1944) : મુંબઈના ચિત્રકાર. મૅટ્રિક થયા પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકળાના શિક્ષણ માટે જોડાયા. વિદ્યાર્થી તરીકે ઉજ્જ્વળ કારકિર્દી હતી. ચિત્રકળાના પ્રારંભિક દિવસોમાં પણ તેમણે ઉચ્ચ કલાશક્તિ દાખવી બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અભ્યાસ પૂરો થયા પછી એ…

વધુ વાંચો >

ધુવારણ

ધુવારણ : ગુજરાતમાં ખેડા જિલ્લાના ખંભાત તાલુકાનું, વિદ્યુતમથકને કારણે જાણીતું બનેલું ગામ. સ્થાન : 22° 14´ ઉ. અ. અને 72° 46´ પૂ. રે.. તે મહી નદીના મુખ ઉપર ખંભાતના અખાતના કિનારે ખંભાતથી અગ્નિકોણમાં 15 કિમી. અંતરે અને વાસદ-કઠાણા સ્ટેશનથી 9 કિમી. અંતરે આવેલું છે. વિદ્યુતમથકનો કચરો નદી મારફત સમુદ્રમાં સહેલાઈથી…

વધુ વાંચો >

ધુળે

ધુળે : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. શહેરનું જૂનું નામ ધૂળિયા હતું. ભૌગોલિક સ્થાન : 20° 55´ ઉ. અ. અને 74° 50´ પૂ. રે.. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે ખાનદેશ જિલ્લાનો ભાગ હતો. 1960માં રાજ્યપુનર્રચના થઈ ત્યારે તેનો સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવ્યો. જિલ્લાનો કુલ વિસ્તાર 8,061 ચોકિમી. છે. તે 20°…

વધુ વાંચો >

ધૂમકેતુ

ધૂમકેતુ : સામાન્ય પરિભાષામાં ‘પૂંછડિયા તારા’ તરીકે ઓળખાતો ખગોલીય પદાર્થ. આ પદાર્થના મસ્તકના ભાગે તારા જેવું ચમકતું બિંદુ અને તેમાંથી પૂંછડી અથવા તો સાવરણી આકારે આછું પ્રકાશિત વાદળ ઉદભવતું હોય તેવું ર્દશ્ય રચાતું હોવાથી તેને ‘પૂંછડિયો તારો’ કહે છે. આ પ્રકારના પદાર્થો સૂર્યમાળાના જ સદસ્યો છે અને તે બરફીલા ખડકોના…

વધુ વાંચો >

ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ)

ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ) (જ. 12 ડિસેમ્બર 1892, વીરપુર; અ. 11 માર્ચ 1965, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યસર્જક. બાલ્યાવસ્થામાં એમનું નામ ભીમદેવ અને લાડનું નામ મણિભાઈ. નાનપણમાં અભ્યાસમાં અરુચિ અને શાળાએ જવામાં નિરુત્સાહી પણ ભાભીને ભણાવતાં વિદ્યાનો નાદ લાગ્યો. ગણિતમાં કંટાળો, પણ ઇતિહાસનો રસ જાગ્યો અને વાંચવાનો શોખ વધ્યો. 1906માં આઠમી…

વધુ વાંચો >

ધૂમિલ

ધૂમિલ (જ. 9 નવેમ્બર 1936, ખેવલી, ઉ. પ્ર.; અ. 10 ફેબ્રુઆરી 1975, લખનૌ) : જાણીતા હિંદી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કલ સુનાના મુઝે’ (1977) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું ખરું નામ સુદામા પ્રસાદ પાંડે હતું. એમના પિતાનું નામ શિવનાયક પાંડે અને માતાનું નામ રાજવંતી…

વધુ વાંચો >

ધૂમ્રઝાકળ

ધૂમ્રઝાકળ : જુઓ, વાતાવરણ.

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >