ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

ધિરાણ

ધિરાણ : સામાન્યત: પૂર્વનિર્ધારિત વ્યાજના દરે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જરૂરિયાતમંદ વ્યક્તિ કે સંસ્થાને પોતાનાં અથવા થાપણદારનાં નાણાં ઉછીનાં આપવાની પ્રક્રિયા. ભારતમાં આઝાદી પહેલાં ધિરાણની પ્રક્રિયા પર શાહુકારોનું ઘણું વર્ચસ હતું, જે આઝાદી પછી શિથિલ બનતું ગયું છે. ધિરાણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે : (1) ટૂંકા ગાળાનું, (2) મધ્યમ ગાળાનું,…

વધુ વાંચો >

ધિલ્લોં, જર્નેલસિંઘ

ધિલ્લોં, જર્નેલસિંઘ (Jarnail Singh Dhillon) (જ. 20 ફેબ્રુઆરી 1936, પનામ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 13 ઑક્ટોબર 2000, વાનકુંવર) : ભારતના આ મહાન ફૂટબૉલ ખેલાડીને બાળપણથી જ ફૂટબૉલમાં રસ હતો. શાળા દરમિયાન પોતાની શાળાનું અને 1954થી 1957 દરમિયાન પંજાબ યુનિવર્સિટીની ફૂટબૉલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે 1957માં તેમની પસંદગી પંજાબ રાજ્યની ટીમમાં…

વધુ વાંચો >

ધિંગરા (ઢિંગરા), મદનલાલ

ધિંગરા (ઢિંગરા), મદનલાલ (જ. 1887, અમૃતસર; અ. 17 ઑક્ટોબર 1909, લંડન) : ભારતના એક અગ્રણી ક્રાંતિકારી દેશભક્ત. પંજાબના ધનિક અને સન્માનનીય કુટુંબમાં જન્મ. પિતા ડૉકટર તથા મોટા ભાઈ વકીલ હતા. 1906માં પંજાબ યુનિવર્સિટીમાંથી  બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી સંસ્થામાં દાખલ થયા. ખુદીરામ…

વધુ વાંચો >

ધી ‘ઇસ્ટ વિન્ડ’ અંતરીક્ષ કેન્દ્ર

ધી ‘ઇસ્ટ વિન્ડ’ અંતરીક્ષ કેન્દ્ર (The ‘East Wind’ Space Centre) : ચીનનું ઉપગ્રહ-પ્રમોચન-મથક. તે ગોબીના રણના કિનારા પર, મૉંગોલિયાના અંતરાલ ભાગમાં ‘શુઆંગ ચેન્ગ ત્સે’ નામના કસબા પાસે આવેલું છે. (ભૌગોલિક સ્થાન: 40° 25´ ઉ. અ. 99° 50´ પૂ. રે.). 1960ની શરૂઆતમાં ટૂંકા અને મધ્યમ અંતરનાં પ્રક્ષેપાસ્ત્રોના પરીક્ષણ માટે આ મથકે…

વધુ વાંચો >

ધીખતી ધરા નીતિ

ધીખતી ધરા નીતિ : યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના. આ નીતિ વડે ધસી આવતા શત્રુના સૈન્ય સામે પીછેહઠ કરતાં પહેલાં શત્રુને આગળ વધવા માટે ઉપયોગી નીવડે તેવી સાધનસામગ્રીનો નાશ કરવામાં આવે છે અને તે દ્વારા શત્રુની આગેકૂચમાં અવરોધો ઊભા કરવા માટે ભૂમિભાગ પણ વેરાન કરવામાં આવે છે. સામાન્ય…

વધુ વાંચો >

ધીર, સંતોકસિંહ

ધીર, સંતોકસિંહ (જ. 2 ડિસેમ્બર 1920, બસ્સી પઠાના, પંજાબ; અ. 8 ફેબ્રુઆરી 2010 ચંડીગઢ, પંજાબ) : પંજાબી કવિ, ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, પ્રવાસલેખક અને નિબંધકાર. લેખનને વ્યવસાય તરીકે એમણે અપનાવ્યો હતો. તે પૂર્વે થોડો સમય ‘પ્રીતલહરી’ સામયિકમાં કામ કર્યું હતું. એમના ટૂંકી વાર્તાના નવ સંગ્રહો, ચાર નવલકથાઓ, અગિયાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં.…

વધુ વાંચો >

ધીરો

ધીરો (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ; અ. 1825) : મધ્યકાલીન ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિ. બારોટ જ્ઞાતિમાં એમનો જન્મ અને વતન વડોદરા જિલ્લાનું ગોઠડા ગામ. જ્ઞાનમાર્ગી પરંપરાના આ કવિ વિશેષ જાણીતા છે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ’–એવી કાફી રાગમાં ગવાતી અને ‘કાફી’ તરીકે જાણીતી પદરચનાઓથી. એવી જ એમની પ્રસિદ્ધ ‘અંબાડીએ…

વધુ વાંચો >

ધુઆંધાર

ધુઆંધાર : જુઓ જબલપુર.

વધુ વાંચો >

ધુત્તકખાણ

ધુત્તકખાણ (धूर्ताख्यान) (ઈ. સ.ની આઠમી સદી) : આચાર્ય હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના. હરિભદ્રસૂરિએ મહાભારત, રામાયણ, પુરાણ જેવા ગ્રંથોની કથાઓ પર વ્યંગ્યાત્મક પ્રહાર કરી તેમની અસાર્થકતા, અસંભવિતતા અને અવિશ્વસનીયતા સિદ્ધ કરવા કટાક્ષમય શૈલીમાં પાંચ ધૂર્તોની કથા ‘ધૂર્તાખ્યાન’માં રજૂ કરી છે. આ કલ્પિત કથા પુરાણગ્રંથોની નિસ્સારતા અને અસંગતિ દર્શાવવા તાકે છે. તેની ભાષા…

વધુ વાંચો >

ધુનિ અને ચુમુરિ

ધુનિ અને ચુમુરિ : ‘ધુનિ’ અને ‘ચુમુરિ’ એ બંને વેદમાં વપરાયેલા શબ્દો છે. ‘ધુનિ’ શબ્દ પ્રશિષ્ટ સંસ્કૃતમાં નદીના અર્થમાં જાણીતો છે. પરંતુ ધુનિ શબ્દનો મૂળ અર્થ અવાજ કે ગર્જના કરી રહેલ એવો છે. તેથી ગર્જના કરતા પવન, ખળખળ અવાજ કરતી નદી, ગળણીમાંથી ગળાઈને પડતો સોમરસ તેવા અર્થમાં રૂઢ થયેલો ‘ધુનિ’…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >