ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

દ્વિમુખી શાસનપદ્ધતિ

દ્વિમુખી શાસનપદ્ધતિ (1765 – 1772) : બે શાસકો દ્વારા દીવાની (મહેસૂલી) તથા નિઝામત (વહીવટી) સત્તા અલગ અલગ ભોગવવાની શાસનપદ્ધતિ. બંગાળના ગવર્નર તરીકે રૉબર્ટ ક્લાઇવ મે, 1765માં ભારત પાછો ફર્યો અને બકસરની લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઑગસ્ટ, 1765માં મુઘલ શહેનશાહ શાહઆલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા…

વધુ વાંચો >

દ્વિરૂપતા

દ્વિરૂપતા (ખનિજીય) (dimorphism) : કોઈ પણ બે (કે ત્રણ) ખનિજોનું રાસાયણિક બંધારણ એક જ હોય તેવો ગુણધર્મ. આવાં ખનિજોને દ્વિરૂપ (કે ત્રિરૂપ) ખનિજો કહે છે. સામાન્ય રીતે પ્રત્યેક ખનિજનું એક આગવું, ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, તેમ છતાં કુદરતમાં કેટલાંક ખનિજો એક જ સરખા રાસાયણિક બંધારણવાળાં પણ મળે છે. સામાન્યત:…

વધુ વાંચો >

દ્વિરેફની વાતો

દ્વિરેફની વાતો ભાગ 1 (1928), ભાગ 2 (1935), ભાગ 3 (1942) : રામનારાયણ વિશ્વનાથ પાઠકના વાર્તાસંગ્રહો. તખલ્લુસ ‘દ્વિરેફ’. વાર્તાઓ ટૂંકી વાર્તા કે નવલિકા નથી, પણ માત્ર ‘વાતો’ છે એવો એકરાર લેખકે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ભાગમાં કુલ 13 વાર્તાઓ છે. તેમાં આજે પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની ર્દષ્ટિએ તેમજ…

વધુ વાંચો >

દ્વિવક્રીભવન

દ્વિવક્રીભવન (double refraction અથવા birefringence) : કેટલાક કુદરતી સ્ફટિકો દ્વારા પ્રદર્શિત થતી  એક આપાતકિરણને બે વક્રીભૂત કિરણોમાં ફેરવવાની પ્રકાશીય ઘટના. કુદરતી ખનિજોના પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે સાવર્તિક (એકવક્રીભવનાંકી) (singly refracting) અને અસાવર્તિક (દ્વિવક્રીભવનાંકી, doubly refracting)  એ પ્રમાણે બે પ્રકાર પડે છે. દ્વિવક્રીભવનકારી માધ્યમને વિષમ દિગ્ધર્મી (anisotropic) માધ્યમ કહે છે. પ્રકાશ લંબગત…

વધુ વાંચો >

દ્વિવેદી, પ્રભુલાલ

દ્વિવેદી, પ્રભુલાલ (જ. 15 નવેમ્બર 1892, વીરપુર (સૌરાષ્ટ્ર); અ. 31 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. પિતાનું નામ દયારામ. માતાનું નામ ફૂલબાઈ. બચપણમાં પિતા પાસેથી એમણે શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ અને મહાભારતમાંથી કથાઓ સાંભળી હતી. ચાર ચોપડી તેઓ જેતપુરમાં ભણ્યા અને ત્યાંથી સત્તરમે વર્ષે તેઓ કરાંચી ગયા. ડૉક વર્કશૉપમાં ઍન્જિનિયરિંગ શીખવા…

વધુ વાંચો >

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (જ. 26 સપ્ટેમ્બર 1858, નડિયાદ; અ. 1 ઑક્ટોબર 1898, નડિયાદ) : ‘અભેદમાર્ગપ્રવાસી’. અગ્રણી ગુજરાતી સાહિત્યકાર, સમર્થ તત્વજ્ઞ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. વતન નડિયાદમાં પિતા નભુભાઈ ગોરપદું કરતા. માતાનું નામ નિરધાર. પ્રાથમિક  શિક્ષણ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં. અંગ્રેજી બીજા ધોરણમાં ઝવેરલાલ લલ્લુભાઈ નામના શિક્ષકની દોરવણીને પ્રતાપે પ્રથમ નંબરે…

વધુ વાંચો >

દ્વિવેદી, મહાવીરપ્રસાદ

દ્વિવેદી, મહાવીરપ્રસાદ (જ. 15 મે 1864, દૌલતપુર, ઉ. પ્ર.; અ. 11 ડિસેમ્બર 1938, રાયબરેલી) : હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું અને ત્યારબાદ પિતાની પાસે મુંબઈ ગયા જ્યાં તેમણે સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં રેલવેમાં નોકરી સ્વીકારી, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે અણબનાવ થતાં રાજીનામું આપ્યું. 1903માં ‘સરસ્વતી’…

વધુ વાંચો >

દ્વિવેદી, રેવાપ્રસાદ

દ્વિવેદી, રેવાપ્રસાદ (જ. 22 ઑગસ્ટ 1935, નાંદેડ, ભોપાલ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના જાણીતા કવિ, નાટ્યકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સ્વાતંત્ર્યસંભવમ્’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ., રવિશંકર યુનિવર્સિટી, રાયપુરમાંથી પીએચ.ડી., અને જબલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી હતી. તેમણે બનારસ…

વધુ વાંચો >

દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર

દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર (જ. 26 ફેબ્રુઆરી 1901; અ. 21 ઑક્ટોબર 1987) : ગુજરાતના પ્રાચીન પેઢીના નામી અને અનુભવી વૈદ્યરાજોની શ્રેણીમાં પ્રસિદ્ધ રસવૈદ્ય. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બ્રાહ્મણ કુટુંબના, વૈદ્ય પરિવારના પુત્ર. મૅટ્રિક્યુલેશન (1916) કર્યા પછી કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ. ત્યારબાદ મોરબીના રાજવૈદ્ય વિશ્વનાથ ભટ્ટને ગુરુ તરીકે સ્વીકારી આયુર્વેદનો અભ્યાસ…

વધુ વાંચો >

દ્વિવેદી, સુધાકર

દ્વિવેદી, સુધાકર (જ. 1860; અ. 1910) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી. કાશીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકપદે 1881થી તે છેક નિવૃત્તિ સુધી. તેમની આ દીર્ઘકાલીન સેવા બદલ બ્રિટિશ સરકારે તેમને ‘મહામહોપાધ્યાય’ની પદવી આપેલી. કાશીની સંસ્કૃત પાઠશાળાને સમર્પિત થયેલા જ્યોતિષશાસ્ત્રના આ પ્રતિભાશાળી અધ્યાપકે ગણિત, સંસ્કૃત, ખગોળશાસ્ત્ર, સૂર્યસિદ્ધાંત વગેરે ક્ષેત્રે અવિસ્મરણીય સેવા આપી હતી. કાશીની પાઠશાળાના…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >