ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

દીવાને આમ

દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…

વધુ વાંચો >

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી : ફતેહપુર સિક્રીમાં અકબરનો, વિશિષ્ટ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ સાથેની મુલાકાત માટેનો દરબારખંડ. સિક્રીના સંકુલમાં ઈશાન ખૂણા તરફ આવેલી આ ઇમારતમાં વચમાં એક સ્તંભ આવેલો છે જેનો ગોળાકાર મંચ સર્પાકારના ખૂણિયા ટેકા વડે ટેકવાયો છે. આ મંચને દીવાને ખાસની ચોરસ ઇમારતના ચારે ખૂણે પહેલા માળે આવેલા ઝરૂખા…

વધુ વાંચો >

દીવાને ગાલિબ

દીવાને ગાલિબ (1958) : ઉર્દૂના વિદ્વાન ‘અર્શી’ (જ. 1904) સંપાદિત ગાલિબનો કાવ્યસંગ્રહ. ઇમતિયાઝઅલી ‘અર્શી’ ઉર્દૂ, અરબી તથા ફારસીના નામાંકિત અભ્યાસી હતા. શાયર ગાલિબની મહાન કવિઓમાં ગણના થાય છે. તેમની કવિતાનો આસ્વાદ સરળ અને સુલભ બનાવવા તેમણે આ સંગ્રહ જહેમતપૂર્વક સંપાદિત કર્યો છે. તેમાં અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના ઉપરાંત નોંધ, વિવરણ, ગાલિબના જીવન…

વધુ વાંચો >

દીવાસળી–ઉદ્યોગ

દીવાસળી–ઉદ્યોગ : જુઓ, કુટિર-ઉદ્યોગ.

વધુ વાંચો >

દુઆર્તે, જોઝ નેપોલિયાં

દુઆર્તે, જોઝ નેપોલિયાં (જ. 23 નવેમ્બર 1925, અલ સાલ્વાડૉર; અ. 23 ફેબ્રુઆરી 1990, અલ સાલ્વાડૉર) : [Duarte (Fuentes) Jose’ Napole’on]. અલ સાલ્વાડૉરના પ્રમુખ 1946માં નોત્રદામ યુનિવર્સિટી(ઇન્ડિયાના)ના સ્નાતક. 1960 સુધી બિનસરકારી હોદ્દાઓ પર કામ કર્યું. અલ સાલ્વાડૉરમાં ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષની સ્થાપનામાં મદદ કરી. 1964–70 સુધી સાન સાલ્વાડૉરના મેયર તરીકે સેવાઓ આપી.…

વધુ વાંચો >

દુખાયલ, હૂન્દરાજ

દુખાયલ, હૂન્દરાજ (જ. 16 જાન્યુઆરી 1910; લાડકાણા, સિંધ; અ. 2003) : સિંધી ભાષાના રાષ્ટ્રપ્રેમી કવિ. હૂન્દરાજ લીલારામ માણેક તેમનું નામ. આઠ વરસની ઉંમરે પિતાના પ્રોત્સાહનથી ભજનો ગાવાની પ્રેરણા થઈ હતી. તેમના કંઠથી આકર્ષાઈને એક સંન્યાસીએ પિતાને કહ્યું હતું, ‘આ છોકરો કોઈ દુખિયારો આત્મા લાગે છે’. ત્યારથી તેમનું ઉપનામ ‘દુખાયલ’ પડી…

વધુ વાંચો >

દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin)

દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin) (જ. 23 માર્ચ 1881, ફ્રાંસ; અ. 22 ઑગસ્ટ 1958 ફ્રાંસ) : ફ્રાંસના નવલકથાકાર, નાટ્યકાર તેમજ સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના 1937ના વર્ષના વિજેતા. તેમણે પ્રાચીન લિપિવિદ્યા તેમ જ પુરાતત્વવિદ્યાની તાલીમ લીધી હતી. આથી જ કદાચ તેમની કૃતિઓમાં તાટસ્થ્યપૂર્ણ અભિગમ તેમજ વિગતોની ઔચિત્યપૂર્વકની ચોકસાઈ…

વધુ વાંચો >

દુગ્ગલ, કર્તારસિંહ

દુગ્ગલ, કર્તારસિંહ [જ. 1 માર્ચ 1917, ધમીઅલ, જિ. રાવલપિંડી, (હવે પાકિસ્તાનમાં); અ. 26 જાન્યુઆરી 2012] : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક અને અનુવાદના ક્ષેત્રે વિશિષ્ટ સર્જન. બી.એ. (ઑનર્સ) પંજાબી સાહિત્યમાં અને એમ.એ. ની ઉપાધિ અંગ્રેજી સાહિત્યમાં પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. પ્રકાશનગૃહના મુખ્ય સંપાદક બન્યા તે પહેલાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં…

વધુ વાંચો >

દુનાં, ઝ્યાં હેન્રી

દુનાં, ઝ્યાં હેન્રી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હિડન, સ્વિટ્ઝર્લૅન્ડ) : આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રૉસના સ્થાપક. હેન્રી દુનાં સ્વિસ વેપારી હતા. અલ્જિરિયામાં ભીષણ દુકાળને લીધે પોતાના વેપારી પ્રયોજનથી તેઓ ઇટાલી આવેલા. તે વખતે ત્યાં યુદ્ધ ફાટી નીકળેલું. દુનાંએ આખો દિવસ ટેકરીની પેલે પાર પોતાના બાયનૉક્યુલર વડે ત્યાં…

વધુ વાંચો >

દુ પત્ર

દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >