ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

દિલ્હી કૉલેજ

દિલ્હી કૉલેજ : ઉર્દૂ માધ્યમવાળી દિલ્હીની સૌપ્રથમ કૉલેજ. સ્થાપના 1825. દિલ્હી કૉલેજ મૂળ તો દિલ્હીમાં 1792માં સ્થપાયેલી ગાઝિયુદ્દીનની મદરેસાનું પરિવર્તન. ગાઝિયુદ્દીનની મદરેસા નવાબ નિઝામ-ઉલ-મુલ્ક આસિફ જાહના દીકરા નવાબ ગાઝિયુદ્દીનખાં ફીરોઝ જંગ બીજાએ શરૂ કરી હતી; તેની તાલીમી વ્યવસ્થા, અભ્યાસક્રમ, શિક્ષણ વગેરે ખૂબ પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યાં હતાં; પરંતુ તે વિશેની…

વધુ વાંચો >

દિલ્હી દરબાર

દિલ્હી દરબાર : બ્રિટનનાં રાજા-રાણીના રાજ્યાભિષેક પ્રસંગે ભારતમાં વિવિધ સમયે યોજાયેલા દરબાર. ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલીના અમલ દરમિયાન બ્રિટિશ પાર્લમેન્ટે ઈ. સ. 1876માં રૉયલ ટાઇટલ્સ ઍક્ટ પસાર કરીને ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાને ‘કૈસરે હિન્દ’ એટલે કે ભારતની સમ્રાજ્ઞીનો ઇલકાબ આપ્યો. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ લિટને રાણી વિક્ટોરિયા દ્વારા ‘કૈસરે હિન્દ’નો ખિતાબ…

વધુ વાંચો >

દિલ્હી સલ્તનત

દિલ્હી સલ્તનત કુત્બુદ્દીન અયબેક  (1206–1210)  : કુત્બુદ્દીન અયબેકને શિહાબુદ્દીન મોહમ્મદ ગોરીએ ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેના પ્રશંસનીય ગુણોને લીધે શિહાબુદ્દીને તેને લશ્કરની ટુકડીનો નાયક બનાવી અમીરોના વર્ગમાં દાખલ કર્યો અને ‘અમીરે આખૂર’ (શાહી તબેલાનો દારોગો) નીમ્યો. અયબેકે પોતાના માલિક સાથે રહીને ઘણી લડાઈઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરી. ચૌહાણ રાજા પૃથ્વીરાજ સાથે…

વધુ વાંચો >

દિવસ

દિવસ : સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની અક્ષીય ગતિને આધારે નક્કી કરવામાં આવતો સમયગાળો. ખગોળવિજ્ઞાન વિકસ્યું, એ પહેલાના સમયમાં દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો હતો. પરંતુ હવે દિવસની એ વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે દિવસને પૃથ્વીના પોતાની ધરી ઉપરના પરિભ્રમણ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. દિવસ એટલે ઉજાસ એવો અર્થ હવે…

વધુ વાંચો >

દિવસનો રાજા

દિવસનો રાજા : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum diurnum L. (હિં દિનકા રાજા, ચમેલી; ગુ. દિવસનો રાજા; અં. ડે જૅસ્મિન, ડે કવીન) છે. તે  ઝડપથી વૃદ્ધિ સાધતો સદાહરિત 1.0-1.5 મી.ની ઊંચાઈ ધરાવતો ઉન્નત ક્ષુપ છે. તેની શાખાઓ સફેદ હવાછિદ્રો (lenticets) ધરાવે છે. તરુણ ભાગો ગ્રંથિમય હોય…

વધુ વાંચો >

દિવાકર (ઐક્ષ્વાકુ)

દિવાકર (ઐક્ષ્વાકુ) : મનુ વૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુએ અયોધ્યામાં પ્રવર્તાવેલો રાજવંશ. આ વંશમાં કકુત્સ્થ, માન્ધાતા, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, દિલીપ, રઘુ, દશરથ અને રામ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. પાંડવો અને શ્રીકૃષ્ણના સમયમાં આ વંશમાં બૃહદબલ નામે રાજા થયા, જે ભારતયુદ્ધમાં મરાયા હતા. બૃહદબલ પછી આ વંશમાં બૃહત્ક્ષય, ઉરુક્ષય, વત્સવ્યૂહ અને પ્રતિવ્યોમ…

વધુ વાંચો >

દિવાકર, રંગા રાવ

દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ…

વધુ વાંચો >

દિવાકરસેન

દિવાકરસેન : દખ્ખણના વાકાટક નરેશ રુદ્રસેન બીજા(ઈ. સ. 385)નો યુવરાજ. પિતાના અવસાન સમયે તે સગીર વયનો હતો. આથી વાલી તરીકે રાજમાતા પ્રભાવતી ગુપ્તાએ સત્તા સંભાળી હતી. ઈ. સ. 400ની આસપાસ વાકાટકોની મુખ્ય શાખામાં વિંધ્યશક્તિથી પાંચમી પેઢીએ થનારા રાજા રુદ્રસેન બીજાના ત્રણ પુત્રો – દિવાકરસેન, દામોદરસેન અને પ્રવરસેનમાંનો એક શ્રેષ્ઠ પુત્ર…

વધુ વાંચો >

દિવાળી

દિવાળી : હિંદુઓનો સૌથી લોકપ્રિય તહેવાર. ધર્મશાસ્ત્ર આસો વદ ચૌદશ, અમાસ અને કારતક સુદ પડવો – એ ત્રણ દિવસોને દિવાળીનું પર્વ માને છે. લોકવ્યવહારમાં આસો વદ બારશ – વાઘબારશથી શરૂ કરી કારતક સુદ બીજ સુધીના છ દિવસોનું દિવાળી પર્વ ગણાય છે. આ તહેવાર દીવાનો, અર્થાત્ પ્રકાશનો હોવાથી તેને દિવાળી કહે…

વધુ વાંચો >

દિવીદિવી

દિવીદિવી : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia coriaria (Jacq.) willd (ત. તીવીદીવી, ઇકિમારામ; તે દીવીદીવી; મું. લિબીદિબી; અં. અમેરિકન સુમેક, દિવીદિવી પ્લાન્ટ) છે. તે દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક  (indigenous) છે અને ભારતમાં સો કરતાં વધારે વર્ષો પૂર્વે તેનો પ્રવેશ થયો હતો. ભારતના વિવિધ…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >