ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >

ઘર્સીસાગર (ગડસીસર)

Feb 23, 1994

ઘર્સીસાગર (ગડસીસર) : જેસલમેરના ગઢથી પૂર્વમાં આવેલું સરોવર. તે ગઢ અને ગામના બાંધકામ વખતે બનાવવામાં આવેલ. આ સરોવરનો ઘેરાવો લગભગ 1 ચોકિમી. વિસ્તારમાં ફેલાયેલ છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે ભરાય છે ત્યારે તેમાં 3 વર્ષ સુધી વપરાય તેટલું પાણી સમાય છે. સરોવરની વચ્ચે નાની નાની બંગલી બનાવાયેલ છે અને…

વધુ વાંચો >

ઘસાઈ-યંત્ર

Feb 23, 1994

ઘસાઈ-યંત્ર : પરિભ્રમિત અપઘર્ષક (abrasive) ચક્ર અથવા પટ્ટા (belt) દ્વારા ધાતુના ખરબચડા ઢાળેલા અને ફૉર્જિંગ્સ (forgings) જેવા અપરિષ્કૃત (unfinished) ભાગોને યોગ્ય ઘાટ આપવા અથવા તેમનાં પરિમાણ (dimensions) બદલવા જેવા પરિષ્કૃત (finishing) કામ માટે વપરાતું ઓજાર (tool). વિવિધ અપઘર્ષકો પૈકી સિલિકન કાર્બાઇડ(SiC)નો ઉપયોગ ભરતર (cast) લોખંડ જેવા કઠિન અને બરડ પદાર્થો…

વધુ વાંચો >

ઘસારો (depreciation)

Feb 23, 1994

ઘસારો (depreciation) : મિલકત કાળક્રમે જીર્ણ થવાથી અથવા વેપારઉદ્યોગમાં વપરાવાથી તેના મૂલ્યની કિંમતમાં ક્રમશ: અને કાયમી ધોરણે થતો ઘટાડો અને તેના ફળસ્વરૂપે ખર્ચ તરીકે દર વર્ષે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવતો નાણાકીય બોજ. મિલકત કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેની ઉપયોગિતાની ક્ષમતા કેટલી છે તે બંને પરિસ્થિતિને…

વધુ વાંચો >

ઘસારો (erosion)

Feb 23, 1994

ઘસારો (erosion) : ભૂપૃષ્ઠના ખડકો કે પૃથ્વીની સપાટી પરનો કોઈ પણ દ્રવ્ય જથ્થો જે જે પ્રક્રિયાઓ દ્વારા તેમના મૂળ માતૃખડક કે સમૂહમાંથી મુક્ત થઈ છૂટો પડે અને દ્રાવ્ય બને તે તમામ પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં ખવાણ, ધોવાણ, દ્રાવણ અને વહનક્રિયાનો સમાવેશ કરી શકાય. ભૌતિક (વિભંજન) કે રાસાયણિક (વિઘટન) ક્રિયા દ્વારા છૂટા…

વધુ વાંચો >

ઘસારો (wear)

Feb 23, 1994

ઘસારો (wear) : સરકવાની પ્રક્રિયાને કારણે ઘન સપાટીમાંથી થતું દ્રવ્યનું ખવાણ. મોટરકાર, વૉશિંગ મશીન, ટેપરેકર્ડર, કૅમેરા, કપડાં વગેરે નકામાં બની જવાનું આ મુખ્ય કારણ છે. ઘસારાની ઘટનાના થોડાક ઉપયોગ છે પરંતુ મહદંશે તે એક અનિષ્ટ છે અને તેની અસરો નિવારવા માટે મોટા પ્રમાણમાં માનવશક્તિ અને દ્રવ્યશક્તિ વેડફાઈ જાય છે. ઘણાંબધાં…

વધુ વાંચો >

ઘંટીટાંકણો (Hoopoe)

Feb 23, 1994

ઘંટીટાંકણો (Hoopoe) : સમસ્ત ભારતમાં વ્યાપક યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Upupa epops. તેનો સમાવેશ Coraciiformes વર્ગ અને upupidae કુળમાં થાય છે. તેનું કદ 30 સેમી. જેટલું હોય છે. ગુજરાતીમાં તેને હુડહુડ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ ‘હુપો’ છે. તે બોલે ત્યારે ‘હુડ હુડ’ એવો અવાજ આવે…

વધુ વાંચો >

ઘાઘરા

Feb 23, 1994

ઘાઘરા : ઉત્તરપ્રદેશ અને બિહારમાં વહેતી નદી. તેનું ઉદગમસ્થાન તિબેટમાં છે. તે 30° ઉ. અક્ષાંશ અને 88° પૂ. રેખાંશ પર છે. હિમાલયમાં આવેલી કરનાલી પર્વતશ્રેણીઓમાં વહીને તે ખીરી અને બહરાઇચ જિલ્લામાં મેદાનમાં પ્રવેશે છે. તિબેટમાં તે કરનાલી નદી તરીકે ઓળખાય છે. ઘાઘરા નદીની જમણી બાજુએ બારાબંકી, ગોંડા, બસ્તી અને ગોરખપુર…

વધુ વાંચો >

ઘાટ

Feb 23, 1994

ઘાટ : મંદિરોના સંકુલમાં જળાશયોની રચનામાં નદીકિનારાનાં તીર્થસ્થાનોને સંલગ્ન કિનારાના બાંધકામમાં પગથિયાંની હારમાળાથી થતી કાંઠાની રચના. ઘાટની રચનાઓમાં કિનારાની જરૂરિયાતને અનુરૂપ આયોજન કરાતું. પગથિયાં, ઓટલા અને નાની દેરીઓ આવા ઘાટને આગવી પ્રતિભા પ્રદાન કરે છે. વારાણસી, નાસિક વગેરે વિખ્યાત નદીકિનારાનાં તીર્થસ્થાનો આનાં અગત્યનાં ર્દષ્ટાંત છે. વીરમગામનું મુનસર તળાવ, મોઢેરાનો કુંડ…

વધુ વાંચો >

ઘાના

Feb 23, 1994

ઘાના : આફ્રિકાની પશ્ચિમ બાજુએ 3° ઉ. અ.થી 11° 10´ ઉ. અ. તથા 1° પૂ. રેખાંશથી 3° 15´ પ. રેખાંશ વચ્ચે આવેલો દેશ. ઘાનાનું ક્ષેત્રફળ 2,38,533 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી મુજબ આ દેશની વસ્તી 3,24,95,483  છે (2022). તેની ઉત્તરે વૉલ્ટા, પૂર્વ તરફ ટોગો, દક્ષિણે આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે…

વધુ વાંચો >

ઘા-બાજરિયું (પાન-બાજરિયું)

Feb 23, 1994

ઘા-બાજરિયું (પાન-બાજરિયું) : આયુર્વેદિક ઔષધિ. તેનું વૈજ્ઞાનિક નામ Typha angustifolia અને T. elephantina (સં. એરકા; હિં. પતર; મ. રામબાણ) છે. તે મધુર, કડવું, વાયડું, ઠંડું, શીતવીર્ય, બળપ્રદ તથા વીર્યપ્રદ છે. ઘા-બાજરિયું કફ, પિત્ત, ક્ષય, દાહ, રક્તપિત્ત, રક્તવિકારો, પથરીનાં દર્દ તથા જખમમાંથી થતા રક્તસ્રાવને તત્કાલ બંધ કરનાર અને જખમ રૂઝવનાર ઔષધિ…

વધુ વાંચો >