ખંડ ૪
ઔરંગાથી કાંસું
કાંચકી (કાંકચ કાચકા)
કાંચકી (કાંકચ, કાચકા) : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ સિઝાલ્પિનિયેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia crista syn. C. bonducella Flem. (સં. પૂતિકરંજ, લતાકરંજ; હિં. કટુકરંજા, કરંજવા; બં. લત્તાકરંચા; મ. સાગરગોટા, ગજગા, ગજરા; તા. કાલારકોડી; ક. ગજગ, ગડુગુ; અં. બૉંડકનટ, ફીવરનટ) છે. તે મોટી આરોહી (scandent), અંકુશ આકારની છાલશૂળવાળી ક્ષુપ-સ્વરૂપ વનસ્પતિ…
વધુ વાંચો >કાંચનજંઘા
કાંચનજંઘા : નેપાળમાં આવેલ હિમાલય ગિરિમાળાનું જગતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર. આ પહાડી ક્ષેત્રનું નામ, મૂળ તિબેટિયન ભાષાના ‘Kangchen-dzo-nga’ અથવા ‘Yangchhen-dzo-nga’ પરથી ઊતરી આવ્યું છે. તેની ટોચનાં પાંચ શિખરોને કારણે તિબેટના લોકોએ તેને ‘બરફના પાંચ ભંડારો’ ઉપનામ આપ્યું છે. તેનું નેપાળી નામ કુંભકર્ણ લંગૂર છે. તે નેપાળ અને સિક્કિમની…
વધુ વાંચો >કાંચી કાવેરી (1880)
કાંચી કાવેરી (1880) : રામશંકર રાયાનું ઊડિયા નાટક. એમાં કાંચીના રાજાની પુત્રીની વાત છે. જગન્નાથની રથયાત્રા વખતે ચાંડાલ રાજા પુરુષોત્તમ કાંચી રાજાની પુત્રીને જુએ છે અને પછી માગું મોકલે છે ત્યારે કાંચીનરેશ એમ કહીને એનો તિરસ્કાર કરે છે કે પુરુષોત્તમ દેવ ચાંડાલ છે; એને કન્યા શી રીતે સોંપાય ? આથી…
વધુ વાંચો >કાંચીપુરમ્
કાંચીપુરમ્ : ભારતના તામિલનાડુ રાજ્યમાં ચેન્નાઈથી નૈર્ઋત્યે આવેલો જિલ્લો તથા પાલર નદીને કિનારે આવેલું શહેર તથા કાંચીપુરમ્ જિલ્લાનું વડું મથક. તે કાંચી અથવા કાંચીપુરમ્ કાંજીવરમ્ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 12o 50′ ઉ. અ. અને 79o 43′ પૂ.રે.. આ જિલ્લાનો વિસ્તાર 4,037 ચોકિમી. છે. જ્યારે વસ્તી 39,90,897 (2011),…
વધુ વાંચો >કાંટા ઓ ફૂલ (1958)
કાંટા ઓ ફૂલ (1958) : (કાંટા અને ફૂલ) ગોદાવરીશ મહાપાત્રનો અર્વાચીન ઊડિયા કાવ્યસંગ્રહ. આ સંગ્રહની કવિતા રંગદર્શી હોવા છતાં એમાં કવિનો ઉત્કટ રાષ્ટ્રપ્રેમ સુચારુ રીતે વ્યક્ત થયો છે. એમણે મોટેભાગે બોલાતી ભાષાનો અને લોકબોલીનો ઉપયોગ કર્યો છે. જોકે, એમાંની મોટાભાગની કવિતા વ્યંગપૂર્ણ છે. વ્યંગોક્તિઓ દ્વારા કવિએ માનવની સામાજિક નિર્બળતા, નેતૃત્વવિહીનતા…
વધુ વાંચો >કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ
કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ (જ. 1 નવેમ્બર 1880, વડોદરા; અ. 15 નવેમ્બર 1933) : જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરગોવિંદદાસના સુપુત્ર. પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં લીધેલું. ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. મિલ-એજન્ટનો વ્યવસાય હોવા છતાં સાહિત્યિક સંસ્કારવારસાને કારણે કિશોરાવસ્થાથી સાહિત્યપ્રીતિ. તેમણે ‘સાહિત્ય’ (1914) નામનું…
વધુ વાંચો >કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ
કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ (જ. 16 જુલાઈ 1844, ઉમરેઠ; અ. 31 માર્ચ 1930) : પ્રસિદ્ધ ગુજરાતી લેખક. અમદાવાદની વર્નાક્યુલર ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો તથા અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી અને ઉર્દૂ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આરંભમાં રાજકોટ ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું સામયિક ચલાવ્યું. 1875-76માં વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા. શ્રીમંત સયાજીરાવની…
વધુ વાંચો >કાંટાશેળિયો
કાંટાશેળિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barleria prionitis Linn. (સં. કુરંટક; મ. કોરાંટી; હિં. કટશરૈયા; ક. ગોરટેં; બં. કાંટા જાટી; તે. ગોરેડું) છે. તે બહુશાખી કાંટાળો ક્ષુપ છે અને વધુમાં વધુ 3 મી. સુધી ઊંચો જોવા મળે છે. ભારતના ઉષ્ણપ્રદેશોમાં તે બધે જ થાય…
વધુ વાંચો >કાંટાળાં વન
કાંટાળાં વન : બ્રશ કે છાંછાળાં (bristle) તેમજ સીમિત વૃદ્ધિવાળાં વૃક્ષ કે ક્ષુપ(shrub)ના વનસ્પતિ-સમૂહના વિસ્તારો. આવાં વનનાં વૃક્ષ કે ક્ષુપ કંટકમય હોય તે સામાન્ય બાબત હોવાથી વ્યાપક અર્થમાં કાંટાળાં વનમાં અંગ્રેજીમાં જેને ‘થૉર્ન ફૉરેસ્ટ’ તેમજ ‘સ્ક્રબલૅન્ડ’ કહે છે તે બંનેનો સમાવેશ થઈ જાય છે. આબોહવા : કાંટાળાં વનો શીતોષ્ણ કટિબંધ…
વધુ વાંચો >કાંટી (કાંટાવાળાં) ગોખરુ
કાંટી (કાંટાવાળાં) ગોખરુ : દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાયલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tribulus terrestris Linn. (સં. વનશૃંગાટક, ઇક્ષુગંધા; હિં. છોટે ગોખરુ, બં, ગોક્ષુરી, છોટ ગોખુરી; ક. – તે. ચિરિપિલેરૂ; તા. નેરંજીલ; મલા. નેરિનિલ; અં. લૅન્ડ કેલ્ટ્રોપ્સ, પંક્ચર વાઇન) છે. તેના સહસભ્યોમાં ધમાસો, જવાસો, પંગણી, સીતાનિયા, પટલાણી અને અથેલીનો…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >