ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
એમ. આઇ. બી. કે.
એમ. આઇ. બી. કે. (મિથાઇલ આઇસો બ્યૂટાઇલ કીટોન, MIBK) : શાસ્ત્રીય નામ : 4-મિથાઇલ-2-પેન્ટેનોન. સૂત્ર CH3CO CH2 – CH(CH3)2. ઉદ્યોગમાં એસેટોનમાંથી તેનું નિર્માણ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવે છે. તે રંગવિહીન, આછી કીટોન જેવી કે કપૂર જેવી સુવાસવાળું પાણીમાં અલ્પદ્રાવ્ય (1.91 %) પ્રવાહી છે. ઉ.બિં. 117o – 118o…
વધુ વાંચો >એમ.આર.ટી.પી.
એમ.આર.ટી.પી. : જુઓ ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો.
વધુ વાંચો >એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908)
એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908) : ગુજરાતી અને ઉર્દૂ તખ્તાના પ્રસિદ્ધ અભિનેતા અમૃત કેશવ નાયક(1877-1907)ની ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં હપતે હપતે પ્રગટ થયેલી સામાજિક નવલકથા. તે ગુજરાતી પ્રેસ તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રસિદ્ધ થઈ હતી. તેને ઘણી લોકચાહના મળી હતી. પચાસ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથાનું કથાવસ્તુ શૈક્ષણિક અને સામાજિક…
વધુ વાંચો >એમ. એસ. સુબ્બલક્ષ્મી
એમ. એસ. સુબ્બલક્ષ્મી : જુઓ સુબ્બલક્ષ્મી એમ. એસ.
વધુ વાંચો >એમ. કમલ
એમ. કમલ (જ. 8 ઑગસ્ટ 1925, કનડિયરો જિલ્લો, કરાંચી, પાકિસ્તાન; અ. 3 ફેબ્રુઆરી 2010) : સિંધી ભાષાના જાણીતા કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ મૂલચંદ મંઘારામ બિંદ્રાણી છે. તેઓ ‘કમલ’ ઉપનામથી લખતા હતા. તેમને તેમના ઉત્તમ ગઝલસંગ્રહ ‘બાહિ જા વારિસ’ (એટલે કે ‘નરકના વારસદાર’) માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી…
વધુ વાંચો >એમ. મુકુન્દન્
એમ. મુકુન્દન્ [જ. 10 સપ્ટેમ્બર 1942, મય્યષી (માહી), ભૂતપૂર્વ ફ્રેંચ વસાહત, ઉત્તર કેરળ] : મલયાળમના જાણીતા નવલકથાકાર તથા અગ્રેસર વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘દૈવત્તિન્ટે વિકૃતિકળ’ (ઈશ્વરની ચેષ્ટાઓ) માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મય્યષી શહેરની લાબોરદોને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓએ નવી દિલ્હી ખાતે આવેલી…
વધુ વાંચો >એમરી
એમરી (emery) : કોરન્ડમ (60 %થી 75 %) અને મૅગ્નેટાઇટ(10 %થી 35 %)નું કુદરતમાં મળી આવતું ઘનિષ્ઠ (intimate) મિશ્રણ. તે પ્રાચીન સમયથી ઘર્ષક તરીકે વપરાય છે. ગ્રીસના નેક્સોસ ટાપુની એમરી ભૂશિરમાંથી પ્રાચીન સમયમાં તે મેળવાતું તેથી આ ખનિજ એમરી નામથી ઓળખાયું હોવાનું મનાય છે. એમરી કાળાશ પડતા સૂક્ષ્મ દાણાદાર નિક્ષેપ…
વધુ વાંચો >ઍમરી, એલ. એસ.
ઍમરી, એલ. એસ. (જ. 22 નવેમ્બર 1873, ગોરખપુર; અ. 16 સપ્ટેમ્બર 1955, લંડન) : બ્રિટિશ રાજનીતિજ્ઞ, ‘સામ્રાજ્યને પસંદગી’ના હિમાયતી તથા જકાત-સુધારણાના પુરસ્કર્તા. પિતા ભારત સરકારની જાહેર સેવામાં હતા. શિક્ષણ હૅરો તથા ઑક્સફર્ડમાં. 1899-1909ના ગાળામાં ઇંગ્લૅન્ડના ‘ટાઇમ્સ’ વૃત્તપત્ર સાથે જોડાયેલા. શરૂઆતમાં એક વર્ષ (1899-1900) દક્ષિણ આફ્રિકાના યુદ્ધ માટેના પ્રમુખ ખબરપત્રી અને…
વધુ વાંચો >એમર્સન, રાલ્ફ વાલ્ડો
એમર્સન, રાલ્ફ વાલ્ડો (જ. 25 મે 1803, બૉસ્ટન; અ. 27 એપ્રિલ 1882, કૉન્કોર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બૉસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેમની સાત પેઢીઓથી કોઈ ને કોઈ નબીરા પાદરી બનતા હતા. એમર્સન અનુભવાતીત જ્ઞાનની ચળવળના પ્રમુખ નેતા હતા. રાલ્ફ કડવર્થ, રૉબર્ટ લિટન,…
વધુ વાંચો >એમ. શિવરામ
એમ. શિવરામ (જ. 1905, બૅંગાલુરુ; અ. 26 ડિસેમ્બર 2006 ) : કન્નડ લેખક. બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી દાક્તરીમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને ત્યાં જ વ્યવસાય શરૂ કર્યો. કૉલેજમાં હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. વાર્તા, નવલકથા, હાસ્ય અને વ્યંગ્ય એમ અનેક પ્રકારોમાં એમણે પ્રતિષ્ઠિત લેખક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે ભિન્ન…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >