ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઍડમ્સ, જૉન
ઍડમ્સ, જૉન (જ. 30 ઑક્ટોબર 1735, ક્વીત્સી, મૅસેચૂસેટ્સ; અ. 4 જુલાઈ 1826, ક્વીન્સી, માસાટુસેટસ, યુ. એસ.) : અમેરિકાના રાજકારણી અને બીજા પ્રમુખ (1797-1801). તે ખેડૂતના પુત્ર હતા. તેમણે હાર્વર્ડ ખાતે અભ્યાસમાં નામના કાઢી. 1758માં તે ‘બાર’માં પ્રવેશ્યા. તેમને વિવિધ વસાહતો પ્રત્યે સમભાવ હતો; તેમણે ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામે કાયદા સામેના વિરોધની…
વધુ વાંચો >ઍડમ્સ, જૉન કોચ
ઍડમ્સ, જૉન કોચ (જ. 5 જૂન 1819, કૉર્નવેલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. નેપ્ચ્યૂનગ્રહના અસ્તિત્વની આગાહી કરનાર બે ખગોળશાસ્ત્રીઓમાંના એક. ઍડમ્સે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ આ જ વિશ્વ વિદ્યાલયમાં ફેલો, ટ્યૂટર અને છેવટે ખગોળશાસ્ત્ર અને ભૂમિતિના પ્રાધ્યાપક બન્યા (1859). 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક…
વધુ વાંચો >ઍડલર, આલ્ફ્રેડ
ઍડલર, આલ્ફ્રેડ (જ. 17 ફેબ્રુઆરી 1870 પેજિંગ, વિયેના; અ. 28 મે 1937, ઓનર્ડીન, સ્કૉટલૅન્ડ) : વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપક. તેમણે વિયેના મેડિકલ સ્કૂલમાંથી 1895માં તબીબી પદવી પ્રાપ્ત કરી હતી. પ્રારંભમાં આંખના રોગોના નિષ્ણાત તરીકે, પછી સામાન્ય સેવાઓ આપતા ડૉક્ટર તરીકે અને ત્યારબાદ સાઇકિયાટ્રિસ્ટ તરીકે વિયેનામાં સેવાઓ આપી હતી. 1902માં ફ્રૉઇડના આમંત્રણથી…
વધુ વાંચો >ઍડવોકેટ જનરલ
ઍડવોકેટ જનરલ : રાજ્ય સરકારના કાયદા અંગેના સર્વોચ્ચ સલાહકાર તથા વરિષ્ઠ સરકારી વકીલ. ભારતના બંધારણની કલમ 165 (1) મુજબ દરેક સંલગ્ન રાજ્ય માટે તેમની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં નિર્દિષ્ટ લાયકાત તથા અનુભવ ધરાવતી વ્યક્તિની આ પદ પર રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે અને રાજ્યપાલ ઇચ્છે ત્યાં…
વધુ વાંચો >એડા
એડા : પ્રાચીન આઇસલૅન્ડના પુરાકથાસાહિત્યનો સમુચ્ચય. આ પ્રકારની પુરાકથા વિશેની અધિકૃત જાણકારી આપનારી વધુમાં વધુ પરિપૂર્ણ અને વિગતસભર આધારસામગ્રી બે ગ્રંથોરૂપે સચવાયેલી છે. એક ગ્રંથ તે ‘પ્રોઝ ઑર યન્ગર એડા’ એટલે કે ગદ્ય અથવા લઘુ એડા અને બીજો ગ્રંથ તે ‘પોએટિક ઑર એલ્ડર એડા’ અથવા પદ્ય અથવા બૃહદ્ એડા. ગદ્ય…
વધુ વાંચો >એડા ઑગસ્ટા બાયરન
એડા ઑગસ્ટા બાયરન (જ. 10 ડિસેમ્બર 1815, લંડન; અ. 27 નવેમ્બર 1852, લંડન) : પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી અને પ્રથમ કમ્પ્યૂટર ઑપરેટર. કવિ લૉર્ડ બાયરનની પુત્રી. ગણિતના ક્ષેત્રમાં ઘણી મહિલાઓએ પ્રદાન કર્યું છે તેમાં એડા બાયરનનો સમાવેશ કરી શકાય. તેમનો જન્મ થયો ત્યારે કવિ બાયરનના હૃદયમાંથી કાવ્યપંક્તિઓ સરી પડી : ‘મારા…
વધુ વાંચો >એડિક્ટ ઑવ્ નાન્ટિસ
એડિક્ટ ઑવ્ નાન્ટિસ (1598) : ફ્રેન્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા બક્ષતો કાયદો. ધર્મસુધારણાના આંદોલનને પરિણામે પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક સંપ્રદાયમાં વિભાજિત થયેલા યુરોપમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાયું. સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં આ ધાર્મિક અસહિષ્ણુતાને પરિણામે આંતરવિગ્રહ પેદા થયો. ઑગસ્ટ 1572માં સેંટ બાર્થોલોમ્યુ દિન નિમિત્તે હજારોની સંખ્યામાં હ્યૂજ્યુનૉટ તરીકે ઓળખાતા…
વધુ વાંચો >એડિનબરો
એડિનબરો : સ્કૉટલૅન્ડનું પાટનગર, પ્રદેશનું બીજા ક્રમનું મોટું શહેર અને શિક્ષણ તથા સંસ્કૃતિનું કેન્દ્ર. સ્કૉટલૅન્ડના દક્ષિણ-પૂર્વમાં ઉત્તર સમુદ્રના ફર્થ ઑવ્ ફોર્થ ખાડીના દક્ષિણ કિનારા નજીક તે આવેલું છે. તે લંડનની ઉત્તરે 700 કિમી. તથા ગ્લાસગો શહેરથી 71 કિમી.ના અંતરે છે. શહેરના ઈશાન ખૂણે આશરે 3 કિમી. અંતરે લીથ તથા આશરે…
વધુ વાંચો >એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ
એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ (ATP) : સજીવોના શરીરમાં થતી જૈવ પ્રક્રિયાઓ માટે પોતાના ઉચ્ચઊર્જા બંધ(high energy bond)ના વિમોચનથી કાર્યશક્તિ પૂરી પાડનાર જૈવ અણુ. ATPમાં ત્રણ ફૉસ્ફેટના અણુઓ હોય છે અને તેનું રચનાત્મક બંધારણ નીચે મુજબ હોય છે : એડિનોસીન અણુ સાથે જોડાયેલા ફૉસ્ફેટોના બંધોના વિઘટનથી મુક્ત થતી ઊર્જા અંદાજે નીચે મુજબ…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >