ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર)
ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર): (જ. 7 સપ્ટેમ્બર 1533, ગ્રીનવિચ, લંડન; અ. 23 માર્ચ 1603, રિચમંડ) : ઇંગ્લૅન્ડની રાણી. રાજા હેન્રી આઠમાની બીજી પત્ની એન બોલીનની પુત્રી. બોલીન સાથે લગ્ન કરવા માટે રાજા હેન્રીને કૅથલિક ધર્મના વડા પોપના ધર્મશાસનનો અસ્વીકાર કરવો પડ્યો હતો, તેથી ઇલિઝાબેથ ધર્મસુધારણા(Reformation)નું સંતાન ગણાતી. એન બોલીન પુત્રને જન્મ…
વધુ વાંચો >ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી)
ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી) (જ. 21 એપ્રિલ 1926, મેફેર, લંડન; અ. 8 સપ્ટેમ્બર 2022 બાલમોરલ કેસલ, એબરડીન શાયર, સ્કોટલૅન્ડ) : ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લૅન્ડનાં સામ્રાજ્ઞી તથા રાષ્ટ્રકુટુંબ(Commonwealth)નાં વડાં. ડ્યૂક અને ડચેસ ઑવ્ યૉર્ક(પાછળથી સમ્રાટ જ્યૉર્જ 6 તથા સામ્રાજ્ઞી ઇલિઝાબેથ)નું પ્રથમ સંતાન. 1936માં વારસ તરીકે વરણી થતાં ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા…
વધુ વાંચો >ઈલિયડ
ઈલિયડ (Iliad) (ઈ.પૂ. આઠમી સદી) : ગ્રીક મહાકાવ્ય. ગ્રીક મહાકવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોની રચના કરી હતી. હોમરની જન્મભૂમિ આયોનિયા. આયોનિયનો પોતાની સાથે ટ્રોજનવિગ્રહને લગતી અસંખ્ય કથાઓ લઈને આવ્યા હતા. આ કથાઓનો અમૂલ્ય વારસો આ પ્રજાના વંશજોએ કંઠોપકંઠ સચવાતી કવિતાના રૂપે અખંડ જાળવી રાખ્યો હતો. હોમરે સદીઓથી ચાલ્યા આવતા…
વધુ વાંચો >ઇલીનોય
ઇલીનોય : અમેરિકામાં પ્રેરીના મેદાનના મધ્ય વિસ્તારમાં 37oથી 42o-05´ ઉ. અ. અને 87o-30´ થી 91o-30´ પશ્ચિમ. રે. વચ્ચે આવેલું રાજ્ય. તેનો ઉત્તર તરફનો પૂર્વ ભાગ મિશિગન સરોવર સાથે જોડાયેલો છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,45,934 ચોકિમી. અને વસ્તી 1,28,30,632 છે (2010). તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 612 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 338 કિમી.…
વધુ વાંચો >ઇલેક્ટ્રા
ઇલેક્ટ્રા (ઈ. સ. પૂ. 413) : ગ્રીક કરુણાંત નાટક. અગ્રિમ ગ્રીક નાટ્યકાર યુરિપિડિસે જટિલ માનસશાસ્ત્રીય ભૂમિકાએ વૈરપ્રદીપ્ત નારીના માનસનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. ઇલેક્ટ્રાના પાત્રને કેન્દ્રમાં રાખીને ઇસ્કિલસ અને સોફોકલિસે પણ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. યુરિપિડિસે ઇસ્કિલસની જેમ નાટકમાં કાર્યવેગને મહત્વ ન આપતાં સોફોકલિસની જેમ પાત્રાલેખનને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત…
વધુ વાંચો >ઇલેક્ટ્રિક ઇસ્ત્રી
ઇલેક્ટ્રિક ઇસ્ત્રી : કપડાંની કરચલી દૂર કરવાનું વીજળિક સાધન. વીજળીની તાપજનક અસર વડે તે આ કાર્ય કરે છે. અહીં વપરાતા ઉચ્ચ વીજ-વિરોધક તારને લીધે વીજશક્તિનું ઉષ્માશક્તિમાં રૂપાંતર થાય છે. તેના મુખ્ય ભાગો : (1) તળિયું અથવા સોલ-પ્લેટ, (2) નાઇક્રોમ તારનું એલિમેન્ટ તથા અબરખનું અવાહક પડ, (3) વજનપ્લેટ, (4) લોખંડનું ઢાંકણ,…
વધુ વાંચો >ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ
ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ : જુઓ વીજધ્રુવ વિભવ
વધુ વાંચો >