ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >ઇરિટ્રિયા
ઇરિટ્રિયા (Eritrea) : ઇથિયોપિયા દેશનો ઉત્તર છેડાનો પ્રાંત. તે રાતા સમુદ્રના આફ્રિકા ખંડના કિનારા પર પૂર્વભાગમાં 14o ઉત્તર અક્ષાંશ અને 41o પૂર્વ રેખાંશ પર આવેલો છે. તેના ઉત્તર-પશ્ચિમમાં સુદાન, ઉત્તર-પૂર્વમાં રાતો સમુદ્ર, પૂર્વે યેમેન, દક્ષિણ-પૂર્વમાં જીબુટી (Djibouti) તથા દક્ષિણમાં ઇથિયોપિયા આવેલા છે. આ દેશનો કુલ વિસ્તાર 1,21,100 ચોકિમી. છે. તેની…
વધુ વાંચો >ઇરિડિયમ
ઇરિડિયમ (Ir) : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIII A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1804માં અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથ્સન ટેનાન્ટે પ્લૅટિનમ ખનિજના ઍસિડ-અદ્રાવ્ય વિભાગમાં આ તત્વ શોધી કાઢ્યું અને તેનાં સંયોજનોના વિવિધ રંગોને કારણે મેઘધનુષ્યના લૅટિન નામ ‘iris’ ઉપરથી ઇરિડિયમ નામ પાડ્યું. તે કુદરતમાં પ્લૅટિનમ, ઓસ્મિયમ અને સુવર્ણ સાથે મિશ્ર ધાતુ રૂપે કોઈ વાર…
વધુ વાંચો >ઇરી સરોવર
ઇરી સરોવર : ઉત્તર અમેરિકાના ‘ધ ગ્રેટ લેક્સ’ તરીકે ઓળખાતાં પાંચ સરોવરમાંનું વિસ્તારની ર્દષ્ટિએ ચોથા ક્રમનું સરોવર. તે 42o 30´ ઉત્તર અક્ષાંશ અને 82o પશ્ચિમ રેખાંશ પર, સમુદ્રની સપાટીથી આશરે 172 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો અડધા ઉપરાંતનો ભાગ અમેરિકામાં અને બાકીનો કૅનેડામાં છે. તે ઉત્તરમાં કૅનેડા અને પૂર્વ, દક્ષિણ…
વધુ વાંચો >ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્
ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્ : મલયાળમ ખંડકાવ્ય. આલ્કતમ્ અચ્યુતન નમ્બુદિરિ (નંપૂતિરિ) (જ. 1917) રચિત આ ખંડકાવ્યના શીર્ષકનો અર્થ છે ‘વીસમી સદીની ગાથા’. માનવીના અંતરની કૂટ સમસ્યાઓનું પ્રભાવશાળી આલેખન કરતું આ કાવ્ય છે. તેનો નાયક ભાવુક અને આદર્શવાદી છે અને તે અન્યાયો ને અત્યાચારો વિરુદ્ધ સંઘર્ષ કરવા સામ્યવાદી માર્ગ ગ્રહણ કરે છે. કિશોરાવસ્થામાં…
વધુ વાંચો >ઇરેન્થિમમ
ઇરેન્થિમમ: વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક શોભન-પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ક્ષુપ જાતિઓની બનેલી છે અને એશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તેનાં આકર્ષક પર્ણો અને પુષ્પોને કારણે ભારતીય ઉદ્યાનોમાં તેને ઉગાડવામાં આવે છે. તે આછા છાંયડાવાળી જગાઓએ થાય…
વધુ વાંચો >ઇર્કુટ્સ્ક
ઇર્કુટ્સ્ક (Irkutsk) : રશિયાના ઇર્કુટ્સ્ક પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 52o 16´ ઉ. અ. અને 104o 20´ પૂ. રે. તે સાઇબીરિયાના દક્ષિણ ભાગમાં અંગારા નદી જ્યાં બૈકલ સરોવરને મળે છે તેની નજીકમાં આવેલું છે. તેની વસ્તી અંદાજે 6,00,000 (2013) છે. અહીં નાની ઇર્કુટ નદી અંગારાને મળે છે. ઇર્કુટ્સ્ક સાઇબીરિયાનું સૌથી…
વધુ વાંચો >ઇર્વિન, લૉર્ડ
ઇર્વિન, લૉર્ડ (જ. 16 એપ્રિલ 1881, ડેવનશાયર; અ. 23 ડિસેમ્બર 1959, યૉર્કશાયર) : 1925થી 1931 સુધી હિન્દના વાઇસરૉય. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળમાં ખેતીવાડીના સેક્રેટરી તરીકે 41 વર્ષની વયે અને હિંદના વાઇસરૉય તરીકે 45 વર્ષની વયે જોડાયા હતા. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ મળે તે માટે તેઓ…
વધુ વાંચો >ઇર્શાદ હુસેન મહંમદ
ઇર્શાદ હુસેન મહંમદ (જ. 1 ફેબ્રુઆરી 1930, બ્રિટિશ શાસન દરમિયાન કૂચ બિહારના દિનહારા ખાતે; અ. 14 જુલાઈ 2019 ઢાકા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના લશ્કરી શાસક તથા પ્રમુખ. હાલનો બાંગ્લાદેશ 1971 સુધી પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતો હતો તે અરસામાં 1950માં ઢાકા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ઇર્શાદ પાકિસ્તાનના લશ્કરમાં અધિકારી તરીકે…
વધુ વાંચો >ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ
ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ (1880) : ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પ્રકાશનસંસ્થા બેનેટ કૉલમૅન ઍન્ડ કંપની દ્વારા પ્રગટ થયેલું સચિત્ર અંગ્રેજી સાપ્તાહિક. ભારતનાં સૌથી જૂનાં અંગ્રેજી સાપ્તાહિકોમાં તેનો સમાવેશ થાય છે. એનો પ્રારંભ 1880માં થયો. 1923માં તેનું નામ ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું. દીર્ઘ કારકિર્દીમાં આ સાપ્તાહિકે અનેક વાર કાયાપલટ…
વધુ વાંચો >