ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

ઇમલો

Jan 25, 1990

ઇમલો : માળ; બાંધકામમાં ભોંયતળિયાથી છત સુધીનો ભાગ. તેને મકાનના એક ભાગ રૂપે ગણી શકાય. બાંધકામના માળખાનું આયોજન આ ભાગને અનુલક્ષીને જ કરવામાં આવે છે. ઇમારતી માલસામાન અને બાંધકામની રીત(કારીગરી)નું ધોરણ ઇમલાને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ઇમવિક કસોટી

Jan 25, 1990

ઇમવિક કસોટી (Imvic Test) : દંડાકાર (કૉલિફૉર્મ) બૅક્ટેરિયાને ઓળખી કાઢવા નિશ્ચિત કરવામાં આવેલી I (Indol), M (Methyl red), V (Vages proskauer) અને C (Citrate) કસોટીઓનો સમૂહ. ઉચ્ચારની સરળતાની ર્દષ્ટિએ ‘V’ અને ‘C’ વચ્ચે ‘I’ વર્ણાક્ષરને ઉમેરી આ સમૂહની કસોટીઓને IMVIC નામ આપવામાં આવ્યું છે. ટ્રિપ્ટોફૅનમાં આવેલા ઇંડોલ સમૂહને અલગ કરનાર…

વધુ વાંચો >

ઇમાદ ફકીહ

Jan 25, 1990

ઇમાદ ફકીહ (જ. ?, અ. 1371) : ફારસી સૂફી કવિ. આખું નામ ઇમાદુદ્દીન ફકીહ કિરમાની. દૌલતશાહના ‘તઝ્કિરતુ શશોરા’, જામીના ‘બહારિસ્તાન’ તથા અન્ય ફારસી કવિઓના જીવનવૃત્તાંતનાં પુસ્તકોમાં તેનો વિશેષ ઉલ્લેખ થયો છે. ઇમાદ ફકીહ સુલતાન મુહંમદ મુઝફ્ફરશાહ અને તેના વારસોના સમયમાં હયાત હતો. સુલતાન મુહંમદ મુઝફફરનું રાજ્ય ભારત-પાકિસ્તાનની પશ્ચિમે મકરાન સુધી…

વધુ વાંચો >

ઇમામ અબૂ હનીફા

Jan 25, 1990

ઇમામ અબૂ હનીફા (જ. 699 કૂફા, ઇરાક; અ. 14 જૂન 767 બગદાદ, ઇરાક) : ઇસ્લામના હનીફા સંપ્રદાયના અગ્રણી ઇમામ. મૂળ નામ નુઅ્માન બિન સાબિત. વ્યવસાયે કાપડના વેપારી. વતન અર્વાચીન ઇરાકનું કૂફા શહેર. ઇસ્લામના ચાર સંપ્રદાયોમાં હનીફા મજહબના અનુયાયીઓ બીજા ત્રણ મજહબો (શાફઇ, માલિકી અને હંબલી) કરતાં ભારે બહુમતીમાં છે. એમનાં…

વધુ વાંચો >

ઇમામ અલી બિન મૂસા

Jan 25, 1990

ઇમામ અલી બિન મૂસા (799 આસપાસ) : શિયા પંથના 12 ઇમામોમાં સાતમા – ઇમામ મૂસા અલ્ કાઝિમ. તેમની વંશાવળી નીચે પ્રમાણે છે : તેમણે ખિલાફતના અધિકારી હોવાનો પોતાનો હક બતાવ્યો એટલે રાજ્ય તરફથી એમને ઘણી મુસીબતો વેઠવી પડી. ઝેર આપીને તેમને બગદાદમાં મારી નાખવામાં આવ્યા હતા. તેમના વંશજો અને અનુયાયીઓ…

વધુ વાંચો >

ઇમામ અહમદ ઇબ્ન હંબલ

Jan 25, 1990

ઇમામ અહમદ ઇબ્ન હંબલ (જ. નવેમ્બર 780, બગદાદ; અ. 2 ઑગસ્ટ 855 બગદાદ) : સુન્ની મુસ્લિમોના ચોથા ઇમામ. જન્મ બગદાદમાં. તેમણે હદીસનું જ્ઞાન બીજા ઇમામ શાફેઇ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ધર્મની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. ધાર્મિક સિદ્ધાંતોને અક્કલની કસોટી ઉપર પારખીને અપનાવનાર મુઅ્તઝેલી સંપ્રદાયની વિરુદ્ધ એમણે ઝુંબેશ ઉપાડી હતી.…

વધુ વાંચો >

ઇમામબારા

Jan 25, 1990

ઇમામબારા : મહોરમને લગતી ક્રિયાઓ માટેની લખનૌની ઇમારત. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીમાં મુઘલ સ્થાપત્યની શૈલીનો પ્રચાર ઓછો થયો. યુરોપીય દેશોની શૈલીનો તેમાં સમન્વય થઈ થોડા સમય માટે તે જીવંત રહી હતી. અવધ અને લખનૌમાં ખાસ કરીને અસફ-ઉદ્-દૌલાના સમય દરમિયાન (1775-95) એનું વિશાળ બાંધકામ હાથ પર લેવાયેલ. ઇમામબારા, તેની નજીક આવેલ…

વધુ વાંચો >

ઇમામશાહ

Jan 25, 1990

ઇમામશાહ (જ. 1452; અ. 1513 અથવા 1520) : અમદાવાદની દક્ષિણે પીરાણાના જાણીતા પીર. તેઓ મુહમ્મદ બેગડાના સમયમાં (આ. 1470-71) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે 14 કિમી. ઉપર આવેલા ‘ગીરમથા’ નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરોના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એમના ચમત્કારોને કારણે ગુજરાતના સુલતાન…

વધુ વાંચો >

ઇમામ સમ્આની

Jan 25, 1990

ઇમામ સમ્આની (1687–1768) : લૅબેનોનના અરબ ઇતિહાસકારોમાં મેરિયોનેટ ખ્રિસ્તી સંપ્રદાયના સૌથી મહાન ઇતિહાસકાર. નામ યૂસુફ-અલ્-સમ્આની. આ વિદ્વાનના અથાગ પ્રયત્નોને કારણે પ્રાચ્યવિદ્યા(oriental studies)માં મુખ્યત્વે ખ્રિસ્તી સંપ્રદાય વિશેની અભ્યાસ-સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અલ્-સમ્આનીનો મહાગ્રંથ ‘બિબ્લિયૉથિકા ઑરિએન્ટાલિસ’ (ચાર ભાગ) સીરિયન, અરબી, ફારસી, તુર્કી ઇત્યાદિ હસ્તપ્રતો વિશેના સંશોધનાત્મક લેખોનો અમૂલ્ય સંગ્રહ છે. આજે…

વધુ વાંચો >

ઇમામ સૈયદ હસન

Jan 25, 1990

ઇમામ સૈયદ હસન (જ. 31 ઑગસ્ટ 1871, નેવરા, જિ. પટણા; અ. 19 એપ્રિલ 1933 પટના) : પ્રખર રાષ્ટ્રવાદી, બંધારણના હિમાયતી અને સમાજસુધારક. અગ્રણી મધ્યમવર્ગીય શિક્ષિત કુટુંબમાં જન્મેલા ઇમામે પ્રારંભિક શિક્ષણ લીધા પછી 1889માં ઇંગ્લૅન્ડ જવાનું નક્કી કર્યું. ત્યાં કાયદાના અભ્યાસની સાથોસાથ જાહેર પ્રવૃત્તિનો પણ આરંભ થયો. 1892માં ત્યાંના ‘બાર’માં પ્રવેશ…

વધુ વાંચો >