ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઈદગાહ

ઈદગાહ : જુઓ મકબરો.

વધુ વાંચો >

ઈનાંતર અને પરમ ઈનાંતર

ઈનાંતર અને પરમ ઈનાંતર (elongation and greatest elongation) : ઈનાંતર (= ઈન + અંતર) એટલે સૂર્ય સાથે ગ્રહનું કોણીય અંતર. સૂર્યમંડળમાં બુધ અને શુક્રના ગ્રહોની કક્ષા પૃથ્વીની કક્ષાની અંદરની બાજુ આવેલી છે. [બુધ માટે 1 વર્ષ = 88 દિવસ, શુક્ર માટે 1 વર્ષ = 225 દિવસ અને પૃથ્વી માટે 1…

વધુ વાંચો >

ઈફેલ્સબર્ગ રેડિયો ઑબ્ઝર્વેટરી

ઈફેલ્સબર્ગ રેડિયો ઑબ્ઝર્વેટરી : પશ્ચિમ જર્મનીના ઈફેલ પર્વતવિસ્તારના ઈફેલ્સબર્ગ નામના સ્થળે બૉનની પશ્ચિમે 40 કિલોમીટર દૂર આવેલી રેડિયો-વેધશાળા. તેનું સંચાલન બૉન ખાતે આવેલી મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થતું હોવાથી, તે મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર રેડિયો ઍસ્ટ્રૉનૉમી તરીકે પણ ઓળખાય છે. બધી જ દિશામાં સહેલાઈથી ઘુમાવી શકાય તેવો વિશ્વનો મોટો રેડિયો-ટેલિસ્કોપ…

વધુ વાંચો >

ઈમર્સન બોનસ યોજના

ઈમર્સન બોનસ યોજના : વ્યક્તિગત બોનસ આપવાની યોજના. તે ઈમર્સનની કાર્યક્ષમતા યોજના તરીકે જાણીતી છે. કામદારો કંઈક વધારે સારી કામગીરી બજાવે તે માટે તેમને ઉત્સાહ આપવા માટે કામદારોની કાર્યક્ષમતાની ટકાવારીને ધોરણે બોનસ દ્વારા ઉત્તેજન આપવાની આ યોજના છે. તેમાં વૈજ્ઞાનિક રીતે પ્રમાણકાર્ય મુકરર કરવામાં આવે છે. અભ્યાસ કરતાં ઈર્મસનને લાગ્યું…

વધુ વાંચો >

ઈમલ્ઝન

ઈમલ્ઝન : પરસ્પર અદ્રાવ્ય બે અથવા વધુ પ્રવાહીઓનું મિશ્રણ; જેમાં એક પ્રવાહી બીજામાં અતિસૂક્ષ્મ બિન્દુ-સ્વરૂપે પરિક્ષિપ્ત (dispersed) થયેલ હોય એવી પ્રણાલી. મોટા ભાગનાં ઈમલ્ઝનોમાં પાણી એક પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાતું હોઈ ઈમલ્ઝનોને બે વિભાગમાં વહેંચી શકાય. (i) તેલ-પાણીમાં (oil-in-water, o/w); દા. ત., દૂધ. (ii) પાણી-તેલમાં (water-in-oil, w/o); દા. ત., માખણ.…

વધુ વાંચો >

ઈમેટિન

ઈમેટિન : ઈપેકાક્યુઆન્હા (ipecacuanha) નામના છોડવામાંથી મેળવવામાં આવતું આઇસોક્વિનોલીન વલય ધરાવતું આલ્કેલૉઇડ. સફેદ અસ્ફટિકમય પદાર્થ. ગ.બિં. 74o સે. સૂત્ર C29H40N2O4. અણુભાર 480.63 મિથેનોલ, ઇથેનોલ, એસિટોન, ઇથાઇલ એસિટેટ, ઈથર, ક્લૉરોફૉર્મ વગેરેમાં મુક્તપણે દ્રાવ્ય. પાણીમાં અંશત: દ્રાવ્ય. તેના બંધારણ અંગેનું સંશોધન અડધી સદી પર્યંત ચાલ્યું. તે પ્રબળ વમનકારી છે. અમીબાજન્ય મરડામાં તે…

વધુ વાંચો >

ઈયોસીન રચના

ઈયોસીન રચના : પૅલિયોસીન પછીનો અને ઑલિગોસીન પહેલાંનો કાળ. પહેલાં તેના સૌથી પુરાણા કાળને ટર્શિયરી (tartiary) ગણવામાં આવતો હતો. આ મત પ્રમાણે ઈયોસીનનો ગાળો આજથી પૂર્વે. 5.35 કરોડ અને 3.8 કરોડ વર્ષોની વચ્ચેનો ગણાય. ટર્શિયરી યુગને મુખ્ય બે વિભાગોમાં વહેંચેલો છે : (1) પૅલિયોસીન, ઈયોસીન અને ઑલિગોસીનને આવરી લેતો નિમ્ન…

વધુ વાંચો >

ઈરાન

ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…

વધુ વાંચો >

ઈરાનનો અખાત

ઈરાનનો અખાત (Persian gulf) : ઈરાન અને અરબી દ્વીપકલ્પ વચ્ચેનો જમીનથી ઘેરાયેલો જળપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 24o.00´ થી 30o.00´ ઉ. અ. અને 48o.00´ થી 56o.00´ પૂ. રે. તે અરબી અખાત તરીકે પણ ઓળખાય છે. અરબી ભાષામાં તેને ‘બહર ફારિસ’ કહે છે. તેની ઉત્તરના અંતિમ છેડા પર ઇરાક છે. હોરમુઝની સાંકડી…

વધુ વાંચો >

ઈરાની, અરદેશર

ઈરાની, અરદેશર (જ. 5 ડિસેમ્બર 1885, પુણે; અ. 14 ઑક્ટોબર 1969 મુંબઈ) : પ્રથમ ભારતીય બોલપટ ‘આલમઆરા’ના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ અરદેશર મારવાન ઈરાની. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગમાં પાયાનું પ્રદાન કરનારા અરદેશર ઈરાનીએ સ્થાપેલી ‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપની’એ અનેક યાદગાર ચિત્રોનું સર્જન કર્યું હતું. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા અરદેશર ઈરાનીએ જાતજાતની…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >