ખંડ ૨૫

હક, ઝિયા-ઉલથી હવાંગ

હક ઝિયા-ઉલ

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હકનો ખરડો

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકીકત

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >

હકીમ અજમલખાન

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…

વધુ વાંચો >

હકોની અરજી

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >

હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)

હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…

વધુ વાંચો >

હરિયૂપિયા

Feb 4, 2009

હરિયૂપિયા : હરિદ્વર્ણયૂપવાળું ઋગ્વેદોક્ત પ્રાચીન જનપદ (નગર). આ નગર પાસે લડાયેલા દસ રાજાઓના યુદ્ધનો ઉલ્લેખ ઋગ્વેદમાં ઋચા 8/33/2 અને 83/4માં કરાયો છે. ઋગ્વેદિક ભારતના અનેક લોકો સ્વાભાવિક રીતે નાનામોટા અનેક સમૂહોમાં વહેંચાયેલા હતા. તેઓ એકબીજા પર પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કરતા હતા. પરિણામે અવારનવાર તેમની વચ્ચે યુદ્ધો થતાં. આવો પ્રથમ સંઘર્ષ…

વધુ વાંચો >

હરિરાય ગુરુ

Feb 4, 2009

હરિરાય ગુરુ (જ. 2 ફેબ્રુઆરી 1585, કિરતપુર, જિલ્લો રોપડ, પંજાબ; અ. 1661, કિરતપુર, પંજાબ) : શીખ ધર્મના સાતમા ગુરુ. પિતાનું નામ બાબા ગુરદિતા. માતાનું નામ નિહાલકૌર. તેમના ગુરુપદ દરમિયાન ભારત પર ઔરંગઝેબનું શાસન ચાલતું હતું. શીખ ધર્મને સંગઠિત રાખવા તથા તેના પ્રચાર માટે તેમણે પંજાબ રાજ્યનાં દોઆબા અને માલવા ક્ષેત્રનો…

વધુ વાંચો >

હરિવર્મા (મૌખરિ)

Feb 4, 2009

હરિવર્મા (મૌખરિ) : કનોજ(કાન્યકુબ્જ)ના મૌખરિ વંશનો સ્થાપક. ગુપ્ત સામ્રાજ્યના વિઘટન પછી ઉત્તર ભારતમાં જે કેટલાંક સ્વતંત્ર રાજ્યો સ્થપાયાં એમાં મૌખરિઓનું કનોજ રાજ્ય પણ હતું. મૌખરિઓનું કુળ ઘણું પ્રાચીન હતું. તેઓનો મૂળ પ્રદેશ મધ્ય પંજાબ હતો; પરંતુ સમય જતાં તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આગળ વધ્યા. ઈસુની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં…

વધુ વાંચો >

હરિવંશ

Feb 4, 2009

હરિવંશ : સૌતિએ રચેલું મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) પર્વ. સોળ હજાર શ્લોકોથી અધિક બૃહદ્ આ ગ્રંથ છે. વ્યાસ અને વૈશંપાયને જે મહાભારત ગ્રંથની રચના કરી એમાં મહાભારતના યુદ્ધનો પૂરો વૃત્તાંત અપાયો છે પરંતુ કૃષ્ણ અને યાદવ વંશ વિશે એમાં ખાસ માહિતી નથી. આ કમીને પૂરી કરવા માટે સૌતિએ હરિવંશની રચના કરી.…

વધુ વાંચો >

હરિવંશપુરાણ (ધવલકૃત)

Feb 4, 2009

હરિવંશપુરાણ (ધવલકૃત) : અપભ્રંશ ભાષામાં લખાયેલો ગ્રંથ. અપભ્રંશ ભાષામાં ‘હરિવંશપુરાણ’ અનેક છે. દિગમ્બર જૈન કવિ ધવલે પણ ‘હરિવંશપુરાણ’ રચ્યું છે. તેમાં મહાભારતની કથાની સાથે સાથે મહાવીર તથા નેમિનાથ એ બે તીર્થંકરોનાં ચરિત્રો આલેખેલાં છે. કવિના પિતાનું નામ સૂર હતું, જ્યારે માતાનું નામ કેસુલ્લ હતું. અંબસેન તેમના ગુરુ હતા. કવિ મૂળ…

વધુ વાંચો >

હરિશ્ચન્દ્ર 

Feb 4, 2009

હરિશ્ચન્દ્ર  : ઇક્ષ્વાકુ વંશનો પૌરાણિક રાજા. એ રાજા ત્રિશંકુ કે રાજા સત્યવ્રતનો પુત્ર હોવાનું કહેવાય છે. પહેલાં એના પુરોહિત તરીકે વિશ્વામિત્ર હતા. પછી એણે વશિષ્ઠને પોતાના પુરોહિત બનાવ્યા. આથી અપમાનિત થયેલા વિશ્વામિત્રે અનેક રીતે બદલો લેવા અંગેની કથાઓ પ્રચલિત છે. વિશ્વામિત્રને પ્રસન્ન કરવા હરિશ્ચન્દ્રે પોતાની સઘળી સંપત્તિ વિશ્વામિત્રને અર્પણ કરી…

વધુ વાંચો >

હરિશ્ચન્દ્ર બીજો

Feb 4, 2009

હરિશ્ચન્દ્ર બીજો : પારસી કલાકારોએ લંડનમાં ભજવેલું રણછોડભાઈ ઉદયરામનું નાટક. રણછોડભાઈ ઉદયરામ દવેના ‘હરિશ્ચન્દ્ર’ નાટકમાં ફેરફાર કરી કેખુશરૂ કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીમાં શનિવાર તા. 30–10–1875ની રાત્રે પારસી કલાકારોને લઈ આ નાટક ભજવ્યું. ખુરશેદજી બાલીવાલાએ આ નાટક લંડનમાં ભજવી પુરસ્કાર મેળવ્યો હતો. ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ સને 1921માં ‘રાજા હરિશ્ચન્દ્ર’ નામે પણ…

વધુ વાંચો >

હરિષેણ

Feb 4, 2009

હરિષેણ (શાસનકાળ : ઈ. સ. 490–520) : વાકાટક વંશનો પ્રખ્યાત રાજવી. સમુદ્રગુપ્તના વિજયોની એકસો વર્ષ પહેલાં વાકાટક રાજવંશ સ્થપાયો હતો. આ રાજવંશનો સ્થાપક પહેલો રાજા વિંધ્યશક્તિ નામે એક બ્રાહ્મણ હતો. વાકાટક વંશના મોટા ભાગના રાજાઓના નામને અંતે સેન શબ્દ જોડાતો હતો. આ વાકાટક શાસનનો પ્રારંભ વિંધ્યશક્તિ (ઈ. સ. 248–284) રાજાથી…

વધુ વાંચો >

હરિહર

Feb 4, 2009

હરિહર : શિવ અને વિષ્ણુનું સંયુક્ત રૂપ અને તેનાં મંદિરો. કર્ણાટકના શિમોગા જિલ્લામાં વિશાળ ગુહારણ્ય હતું. ત્યાં ગુહ નામનો અસુર ઋષિઓને બહુ ત્રાસ આપતો હતો અને યજ્ઞ ભંગ કર્યા કરતો. ત્રાસેલા દેવોની ફરિયાદથી વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાને ‘હરિહર’નું સંયુક્ત રૂપ લઈને ગુહને હણ્યો. આથી આ અરણ્ય હરિહરનું તીર્થક્ષેત્ર બન્યું.…

વધુ વાંચો >

હરિહર-1

Feb 4, 2009

હરિહર-1 (1150–1250) : હરિહર નામના શાસ્ત્રકાર. તેમણે ધર્મશાસ્ત્રના ‘વ્યવહાર પ્રકરણ’ ઉપર ગ્રંથ રચેલો જે ઉપલબ્ધ નથી. તેમણે ‘પારસ્કર ગુહ્યસૂત્ર’ ઉપર ભાષ્ય પણ રચ્યું છે. કેટલાક વિદ્વાનોના મતે તેઓ વિજ્ઞાનેશ્વરના શિષ્ય હતા. જયન્ત પ્રે. ઠાકર

વધુ વાંચો >