હરિરાય ગુરુ (જ. 2 ફેબ્રુઆરી 1585, કિરતપુર, જિલ્લો રોપડ, પંજાબ; અ. 1661, કિરતપુર, પંજાબ) : શીખ ધર્મના સાતમા ગુરુ. પિતાનું નામ બાબા ગુરદિતા. માતાનું નામ નિહાલકૌર. તેમના ગુરુપદ દરમિયાન ભારત પર ઔરંગઝેબનું શાસન ચાલતું હતું. શીખ ધર્મને સંગઠિત રાખવા તથા તેના પ્રચાર માટે તેમણે પંજાબ રાજ્યનાં દોઆબા અને માલવા ક્ષેત્રનો પ્રવાસ ખેડ્યો હતો.

હરિરાય ગુરુ

તેમણે તેમના ગુરુપદ દરમિયાન 2200 ઘોડેસવાર સૈન્ય ઊભું કર્યું હતું. તેમના ગુરુપદનો મોટા ભાગનો સમય શાંતિના પ્રચારમાં વીત્યો હતો. તેમણે તેમના નાના પુત્ર હરિકૃષ્ણને શીખ ધર્મના આઠમા ગુરુ તરીકે પસંદ કર્યા હતા.

હરપાલસિંગ ચન્નનસિંગ સરદાર