ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સુદાન
સુદાન ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 8° ઉ. અ.થી 23° ઉ. અ. અને 21° 50´થી 38° 30´ પૂ. રે. વચ્ચેનો 18,86,068ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આમ વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા ખંડમાં તેનો ક્રમ અલ્જિરિયા અને કૉંગો (પ્રજાસત્તાક) પછી આવે છે. આ દેશની ઉત્તરે ઇજિપ્ત, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વમાં…
વધુ વાંચો >સુદામા અન્ના રામ
સુદામા, અન્ના રામ (જ. 23 મે, 1923, રુનિયા બારાબસ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નવલકથાકાર, કવિ અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘મેવાઈ રા રુંખ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તેમની નાની વયે તેમના પિતા ગુમાવ્યા અને તેમની આજીવિકા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી…
વધુ વાંચો >સુદામાચરિત્ર
સુદામાચરિત્ર : ભગવાન શ્રીકૃષ્ણ સાથે સખ્યભક્તિથી જોડાયેલા તેમના બાલસખા સુદામાની ચરિત્ર-કથા. તે ભાગવતના દશમસ્કંધના 8081મા અધ્યાયમાં મળે છે. ભાગવતમાં સુદામાનો ‘કોઈ બ્રાહ્મણ’ તરીકે, કૃષ્ણના ગરીબ, બ્રાહ્મણ બાળમિત્ર તરીકે અને પછી ‘કુચૈલ’ તરીકે ઉલ્લેખ છે; પરંતુ ‘સુદામા’ એવો નામોલ્લેખ નથી. કૃષ્ણ-સુદામાની મૈત્રીને મધ્યકાળમાં વિવિધ કવિઓએ કાવ્યરૂપ આપ્યું છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ પદમાળા…
વધુ વાંચો >સુદાસ
સુદાસ : ઋગ્વેદના સમયમાં ભરતો તરીકે ઓળખાતા લોકોનો રાજા. એ સમયે ભરતોનો વસવાટ સરસ્વતી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં હતો. સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઋગ્વેદ’માં ‘દાશરાજ્ઞ વિગ્રહ’નો ઉલ્લેખ અને વર્ણન આવે છે. આ ‘દાશરાજ્ઞ વિગ્રહ’ એક તરફ ભરતોના તૃત્સુ પરિવારના રાજા સુદાસ અને બીજી તરફ દશ રાજાઓના સંયુક્ત લશ્કર…
વધુ વાંચો >સુદિરમાન હારમાળા
સુદિરમાન હારમાળા : ન્યૂ ગિનીના ઊંચાણવાળા મધ્યભાગની પેગનઉંગન હારમાળાનો પશ્ચિમ વિભાગ. જૂનું નામ નસાઉ હારમાળા. તે ન્યૂ ગિનીના ઇન્ડોનેશિયન ભાગમાં આવેલી છે. ‘ઇરિયન જય’ તરીકે ઓળખાતી આ હારમાળાની બાહ્ય સપાટી અસમતળ ભૂપૃષ્ઠ લક્ષણોવાળી છે. અહીં 4,000 મીટરથી ઓછી ઊંચાઈવાળા ઘાટ જોવા મળતા નથી. આ ટાપુનું સર્વોચ્ચ સ્થળ માઉન્ટ જય (જય…
વધુ વાંચો >સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન)
સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન) : આસામી કવયિત્રી. નિર્મલપ્રભા બારડોલાઈ(જ. 1933)નો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કૃત કૃતિ 104 કાવ્યોનો સંગ્રહ છે. તે કાવ્યોને ક્રમની દૃષ્ટિએ ચાર વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. ‘બત્યહાર કવિતા’; ‘સુદીર્ઘ દિનાર કવિતા’; ‘રિતુ’ અને ‘સુદીર્ઘ…
વધુ વાંચો >સુધરલૅન્ડ ધોધ
સુધરલૅન્ડ ધોધ : દુનિયામાં ખૂબ ઊંચાઈએથી પડતા ધોધ પૈકી પાંચમા ક્રમે આવતો ધોધ. તે ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડના દક્ષિણ આલ્પ્સમાં આવેલો છે. તે મિલફૉર્ડ સાઉન્ડના શિખાગ્રભાગથી અંદર તરફના ભૂમિભાગમાં 26 કિમી.ને અંતરે આવેલો છે. સુધરલૅન્ડ ધોધ 580 મીટર ઊંચાઈના પર્વતમથાળા પરથી તે એક પછી એક ત્રણ સોપાનોમાં નીચે ખાબકે છે. પહેલા…
વધુ વાંચો >સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર)
સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર) (જ. 19 નવેમ્બર 1915, બર્લિગેમ, કેન્સાસ, યુ.એસ.; અ. 9 માર્ચ 1974) : સન 1971ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યા (physiology) અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન અંત:સ્રાવોની ક્રિયાપ્રવિધિ (mechanism) અંગે તેમણે કરેલા અન્વેષણ(discovery)ને કારણે પ્રાપ્ત થયું હતું. તે સમયે તેઓ અમેરિકાના નેશવિલે(Nashville)ની વૅન્ડર્બિલ્ટ (Vanderbilt) વિશ્વવિદ્યાલયમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક…
વધુ વાંચો >સુધારાણી રઘુપતિ
સુધારાણી રઘુપતિ (જ. 21 માર્ચ 1944, પોલ્લાચી, બૅંગલુરુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત નૃત્યાંગના. માતાનું નામ શકુંતલા. પિતાનું નામ હ. લ. જગન્નાથ. સુધારાણીએ કુમળી વયથી જ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નૃત્યાચાર્યો કીટ્ટપ્પા પિલ્લૈ, યુ. એસ. કૃષ્ણરાવ અને મૈલાપોર ગૌરી અમ્મા પાસેથી નૃત્યનાં ઉચ્ચતમ તત્ત્વોની તાલીમ લીધી. વળી કર્ણાટકી સંગીતના વિખ્યાત વાયોલિનવાદક ટી. ચૌદિયા…
વધુ વાંચો >સુધાલહરી
સુધાલહરી : સંસ્કૃત સાહિત્યમાં પંડિતરાજ જગન્નાથે રચેલું સ્તોત્રકાવ્ય. પંડિતરાજ જગન્નાથે ‘લહરીપંચક’ સ્તોત્ર રચ્યું છે. તેમાં (1) ગંગાલહરી, (2) અમૃતલહરી (= યમુનાલહરી), (3) કરુણાલહરી, (4) લક્ષ્મીલહરી અને (5) સુધાલહરી — એમ પાંચ લહરીકાવ્યોનો સમાવેશ થાય છે. ‘સુધાલહરી’માં સૂર્યની સ્તુતિ છે. તેમાં સ્રગ્ધરા છંદમાં રચાયેલાં 30 પદ્યો છે. આમ આ લહરી ‘અમૃતલહરી’થી…
વધુ વાંચો >