ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સિંઘ પરમજિત (1)
સિંઘ, પરમજિત (1) (જ. 1935, અમૃતસર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને 1958માં કલાના સ્નાતક થયા. અત્યંત રંગદર્શી ઢબે નિસર્ગ આલેખવા માટે તેઓ જાણીતા છે. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો ભારતનાં અનેક શહેરો ઉપરાંત જર્મની, નૉર્વે, બ્રિટન, જાપાન, અમેરિકા વગેરે દેશોમાં યોજાયાં…
વધુ વાંચો >સિંઘ પરમજિત
સિંઘ, પરમજિત (2) (જ. 1941, જમશેદપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને કલાના સ્નાતક થયા. ઘનવાદી ઢબે નિસર્ગચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. ભારતનાં વિવિધ શહેરો ઉપરાંત જર્મની, દુબઈ, ઈરાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. કેન્દ્રની લલિત…
વધુ વાંચો >સિંઘ પ્રેમ
સિંઘ, પ્રેમ (જ. 1943, પતિયાલા, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી ચંદીગઢની ગવર્નમૅન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. ત્યારબાદ પતિયાલાની પંજાબ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરીને તેમણે ચિત્રકલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ અમદાવાદ, મુંબઈ, વડોદરા, ચંદીગઢ અને કોલકાતામાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો…
વધુ વાંચો >સિંઘભૂમ
સિંઘભૂમ : ઝારખંડ રાજ્યમાં આવેલા બે જિલ્લા : (1) પશ્ચિમ સિંઘભૂમ અને (2) પૂર્વ સિંઘભૂમ. પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો (1) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો : ઝારખંડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 34´ ઉ. અ. અને 85° 49´ પૂ. રે.ની આજુબાજુનો 5,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…
વધુ વાંચો >સિંઘલ સી. આર.
સિંઘલ, સી. આર. : પ્રસિદ્ધ સિક્કાનિષ્ણાત. તેમનું અધ્યયન-સંશોધન મોટેભાગે મુઘલ યુગના સિક્કાઓ અને તેની આનુષંગિક બાબતો અંગેનું રહ્યું છે. સલ્તનત અને મુઘલ સમય તે કાળના વિભિન્ન પ્રકારના સિક્કાઓથી સમૃદ્ધ રહ્યો છે. આ સિક્કાઓ તૈયાર કરવા માટેની ટંકશાળાઓ પણ મુઘલ સામ્રાજ્યના વિભિન્ન પ્રાન્તોમાં આવેલ. સિંઘલે આ અંગે ‘Mint-Towns of the Mughal…
વધુ વાંચો >સિંઘ શ્રીરામ
સિંઘ, શ્રીરામ (જ. 29 જૂન 1950, બડાનગર, રાજસ્થાન) : ભારતીય દોડ-ખેલાડી. પિતાનું નામ કરણસિંઘ. તેઓ મધ્યમ દોડના ખેલાડી હતા. શ્રીરામ સિંઘ રાજસ્થાન રાજ્ય તરફથી નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેતા. તેમણે 1976માં 400 મી. દોડ; 1972, 1973, 1977 અને 1980નાં વર્ષોમાં 800 મી. દોડમાં અને 1977માં 1500 મી.ની દોડમાં ભાગ લીધો.…
વધુ વાંચો >સિંઘ સિંઘજિત
સિંઘ, સિંઘજિત (જ. 3 નવેમ્બર 1932, ઇમ્ફાલ, મણિપુર) : જાણીતા મણિપુરી નૃત્યકાર ને મૃદંગવાદક. ઇમ્ફાલ શહેરના રાજવી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સિંઘજિતને માતામહની જેમ મંદિરમાં ઉત્કૃષ્ટ મૃદંગવાદક બનવાની આકાંક્ષા હતી, તેથી આઠ વર્ષની ઉંમરે તેની તાલીમ લેવાની શરૂઆત કરી. મણિપુરમાં સંકીર્તન અથવા મૃદંગ સાથે નૃત્ય કરવું એ મંદિરના પ્રાંગણ સુધી…
વધુ વાંચો >સિંઘાણિયા પદમપત
સિંઘાણિયા, પદમપત (જ. 3 ફેબ્રુઆરી 1905, કાનપુર; અ. 19 નવેમ્બર 1979, કાનપુર) : ધર્મમાં ઊંડી આસ્થા અને માનવીય અભિગમ ધરાવનાર સાહસિક ઉદ્યોગપતિ. કાનપુરમાં વિખ્યાત ઉદ્યોગપતિ કમલપતના જુહારીદેવીના જ્યેષ્ઠ પુત્ર. બાળપણમાં ખાનગી શિક્ષકો દ્વારા અભ્યાસ. પિતાનું અવસાન થતાં તેમણે સત્તર વર્ષની વયે પરિવારના ઉદ્યોગની ધુરા સંભાળી હતી. પિતાશ્રીએ ગાંધીજીને સ્વદેશી ચળવળમાં…
વધુ વાંચો >સિંચાઈ-ઇજનેરી
સિંચાઈ–ઇજનેરી પાક ઉગાડવા માટે ખેતરમાં કૃત્રિમ રીતે પાણી આપવાનું આયોજન તથા તે માટે જરૂરી સવલતોને લગતી ઇજનેરી. તેમાં સિંચાઈની સગવડો માટેનાં બાંધકામો, જેવાં કે બંધ, બૅરેજ (barrage), વિયર (weir), નહેરો અને તેને લગતાં આનુષંગિક કામોનો અભ્યાસ કરવામાં આવે છે. ભારત જેવા દેશોના મોટાભાગના વિસ્તારોમાં ખેતી વરસાદ ઉપર આધારિત છે. આવા…
વધુ વાંચો >સિંચાઈ-યોજનાઓ (Irrigation projects)
સિંચાઈ-યોજનાઓ (Irrigation projects) ભૂપૃષ્ઠ જળ (surface water) માટે નદી પર આડો બંધ બાંધી, પાણીનો જથ્થો સંગ્રહી, નહેરો દ્વારા પાણીને ખેતરો તેમજ શહેરો કે ગ્રામવિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. તેવી જ રીતે જરૂરિયાતવાળા સ્થળે ભૂગર્ભ-જળને ખેંચી પહોંચાડવાની વ્યવસ્થા. ભારતમાં સિંચાઈનો ઇતિહાસ પુરાણો છે. ઈ. સ.ની બીજી સદીમાં દક્ષિણમાં કાવેરી નદી પર મોટો…
વધુ વાંચો >