ખંડ-૨૩

સાગરથી સૈરંધ્રી

સાદ ઝઘલુલ

સાદ, ઝઘલુલ (જ. જુલાઈ 1857, બિયાના; અ. 23 ઑગસ્ટ 1937, કેરો) : ઇજિપ્તના રાજનીતિજ્ઞ પુરુષ અને રાષ્ટ્રીય આંદોલનના મહત્ત્વના નેતા. સાદ ઝઘલુલ પાશા ઇબ્ન ઇબ્રાહીમનો જન્મ ઇજિપ્તની નાઇલ ત્રિકોણ-ભૂમિમાં આવેલા બિયાના(Ibyanah)માં એક સુખી ખેડૂત-કુટુંબમાં થયો હતો. તેમણે કૅરોની અલ-અઝરની મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમજ ઇજિપ્તની કાયદાની કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત…

વધુ વાંચો >

સાદત અન્વર અલ

સાદત, અન્વર અલ (જ. 25 ડિસેમ્બર 1918, મિત અબુલ કોમ, ઇજિપ્ત; અ. 6 ઑક્ટોબર 1981, કૅરો) : પ્રજાસત્તાક ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અરબ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સુમેળ સાધવાની દિશામાં હકારાત્મક અને સાહસિક પગલાં લેવાં માટે 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઔપચારિક શિક્ષણ લીધા બાદ 1936-1939 દરમિયાન ઇજિપ્તના અબ્બાસિયા…

વધુ વાંચો >

સા દ મિરાન્દા ફ્રાન્સિસ્કો દ

સા દ મિરાન્દા, ફ્રાન્સિસ્કો દ (જ. 28 ઑગસ્ટ 1481 ?, કોઇમ્બ્રા, પોર્ટુગલ; અ. 1558, ટપાદા) : પોર્ટુગીઝ રેનૅસાંસના પ્રથમ કવિ. ગૉન્ઝાલો અને દોના ઇનિસના ગેરકાયદેસર સંતાન એવા મિરાન્દાને 1490માં કાયદેસરના પુત્ર તરીકે સ્વીકારાયા હતા. અભ્યાસ લિસ્બન યુનિવર્સિટીમાં. લગભગ 40 વર્ષની ઉંમર સુધી લિસ્બનમાં જ હતા. યુનિવર્સિટીમાં અધ્યાપન પણ કર્યું હોવાનું…

વધુ વાંચો >

સાદિક (સૈયદ સાદિક અલી)

સાદિક (સૈયદ સાદિક અલી) (જ. 10 એપ્રિલ 1943, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ) : ઉર્દૂ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગના રીડર નિમાયા. તેઓ 1990માં ભારતીય વિદ્યાપીઠની ભાષા સલાહકાર સમિતિના સભ્ય; 1991-92 દરમિયાન સરસ્વતી સન્માન માટેની ભાષા સમિતિ અને ચયન સમિતિના…

વધુ વાંચો >

સાદિકઅલીખાં (?)

સાદિકઅલીખાં (?) : વીણા તથા સૂરસિંગારના વિખ્યાત કલાકાર. તેમના પિતા બહાદુરહુસેનખાં પણ આ બંને વાદ્યોના કુશળ કલાકાર હતા. સાદિકઅલીખાંએ તેમના પિતા પાસેથી આ બંને વાદ્યો વગાડવાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેઓ કંઠ્ય સંગીતમાં પણ નિપુણ હતા. રામપુર નવાબ સાહબજાદા હૈદરઅલીખાંએ સાદિકઅલીખાંને પોતાના ગુરુ સ્થાને પ્રસ્થાપિત કર્યા હતા. સાદિકઅલીએ ઘણી બંદિશોની…

વધુ વાંચો >

સાદિકઅલીખાં (રામપુર)

સાદિકઅલીખાં (રામપુર) (જ. 1893, જયપુર; અ. 17 જુલાઈ 1964) : વિખ્યાત બીનકાર. બાલ્યાવસ્થામાં જ તેમને બીન પ્રત્યે લગાવ થયો. તેમના પિતાનું નામ મુશર્રફખાં હતું, જેઓ જયપુરના વિખ્યાત બીનકાર રજબઅલીખાંના વંશજ હતા. ઉસ્તાદ મુશર્રફખાંએ બીનવાદનની તાલીમ ઉસ્તાદ રજબઅલીખાંસાહેબ પાસેથી લીધી હતી. સમયાંતરે તેમના જ પુત્ર સાદિકઅલીખાંએ ઉચ્ચ કક્ષાના બીનકાર તરીકે પ્રતિષ્ઠા…

વધુ વાંચો >

સાદિક હિદાયત

સાદિક હિદાયત (જ. 1903, તેહરાન; અ. 1951, પૅરિસ) : વીસમી સદીના ઈરાનના તેજસ્વી સાહિત્યકાર. તેઓ ફારસીમાં વ્યક્ત થયેલા આધુનિક વિચારોના પ્રતીક જેવા હતા. સાદિક હિદાયતનો જન્મ ઈરાનના એક શિષ્ટ અને કુલીન કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ રિઝા કુલી ખાન હિદાયત (અ. 1872) ઈરાનના કાજારી વંશના સમ્રાટોના દરબારમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવતા…

વધુ વાંચો >

સાધનવાદ

સાધનવાદ : બ્રિટિશ ચિંતક ઍલેક્ઝાન્ડર બર્ડના પુસ્તક ‘ધ ફિલૉસૉફી ઑવ્ સાયન્સ (1998, 2002) મુજબ, પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો (theories) કેવળ ઘટનાઓની આગાહી (પૂર્વકથન-prediction) કરવા માટેનાં સાધનો જ છે તેવો મત (Instrumentalism). સાધનવાદ પ્રમાણે પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો ન તો જગતની ઘટનાઓની સમજૂતી આપે છે કે ન તો તેવા…

વધુ વાંચો >

સાધના

સાધના : સાધના એટલે ઇષ્ટ સિદ્ધિ માટેનો અતિત્વરાયુક્ત વ્યાપાર. સામાન્યત: ‘આરાધના’, ‘ઉપાસના’ અને ‘સાધના’ પર્યાય જેવા છે. આરાધનામાં ઇષ્ટને પ્રસન્ન કરવાનો શ્રદ્ધાયુક્ત પ્રયત્ન છે. ઉપાસનામાં ઇષ્ટની વધુ નજીક જવા માટે નવધા ભક્તિ કે વિશેષ ક્રિયાન્વિતિ અપેક્ષિત છે; જ્યારે સાધનાનો પથ અતિ દુર્ગમ છે. આ માટે ગુરુકૃપા, દીક્ષા, દીક્ષાવિધિ પછી ગુરુના…

વધુ વાંચો >

સાધારણીકરણ

સાધારણીકરણ : જુઓ રસ.

વધુ વાંચો >

સાગર

Jan 1, 2008

સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…

વધુ વાંચો >

સાગર

Jan 1, 2008

સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…

વધુ વાંચો >

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

Jan 1, 2008

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…

વધુ વાંચો >

સાગરનંદિન્

Jan 1, 2008

સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…

વધુ વાંચો >

સાગર મૂવીટોન

Jan 1, 2008

સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…

વધુ વાંચો >

સાગર, રામાનંદ

Jan 1, 2008

સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…

વધુ વાંચો >

સાગર સંગમે

Jan 1, 2008

સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

સાગરા, ઈશ્વર

Jan 1, 2008

સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…

વધુ વાંચો >

સાગરા પિરાજી

Jan 1, 2008

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…

વધુ વાંચો >

સાગોળ (lime)

Jan 1, 2008

સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…

વધુ વાંચો >