ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સરકસ

Jan 11, 2007

સરકસ : અંગ-કસરતના સાહસિક દાવ કરનારાઓ, પાલતુ અને જંગલી પશુઓના ખેલ કરનારાઓ તથા વિદૂષકોની, લોકરંજન માટે વ્યાવસાયિક ધોરણે ઊભી કરવામાં આવેલી હરતીફરતી મંડળી. સરકસની શરૂઆત થઈ તે ગાળામાં તેના ખેલ ઘોડેસવારીના ખેલ પૂરતા જ મર્યાદિત હતા અને તે ખેલ પાકાં મકાનોના અંદરનાં ગોળાકાર મેદાનોની મધ્યમાં કરવામાં આવતાં; મધ્યમાં એટલા માટે…

વધુ વાંચો >

સરકાર

Jan 11, 2007

સરકાર : રાજ્યનું એક અંગ તથા માનવજાતને વ્યવસ્થા પૂરી પાડતી સૌથી જૂની તથા સૌથી અગત્યની સંસ્થા. એકલદોકલ જીવન જીવતા માનવમાંથી સામૂહિક જીવનની શરૂઆત થતાં સમુદાય માટે કોઈ ને કોઈ પ્રકારના નિયમોની જરૂર ઊભી થઈ. આથી પ્રાથમિક સમાજોએ તેમનું સુવ્યવસ્થિત કે કાચુંપાકું વ્યવસ્થાનું માળખું ઊભું કર્યું ત્યારથી સરકારનો આરંભ થયો. સમાજની…

વધુ વાંચો >

સરકાર, જદુનાથ (સર)

Jan 11, 2007

સરકાર, જદુનાથ (સર) (જ. 10 ડિસેમ્બર 1870, કરચમારિયા, રાજશાહી જિલ્લો, હાલમાં બાંગ્લાદેશ; અ. 19 મે 1958) : ભારતના એક મહાન ઇતિહાસકાર. તેમના પિતા રાજકુમાર સારી સ્થિતિના, પ્રબુદ્ધ વિચારો ધરાવતા જમીનદાર તથા માતા હરિસુંદરી ધાર્મિક વૃત્તિનાં સદ્ગુણી મહિલા હતાં. જદુનાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ રાજશાહીમાં અને ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી…

વધુ વાંચો >

સરકાર, દિનેશચંદ્ર

Jan 11, 2007

સરકાર, દિનેશચંદ્ર [જ. 8 જૂન 1907, કૃષ્ણનગર (જિ. ફરીદપુર, બાંગ્લાદેશ); અ. 10 જાન્યુઆરી 1985] : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિના મૂર્ધન્ય વિદ્વાન, પ્રસિદ્ધ અભિલેખવિદ અને પ્રાચીન લિપિવિદ તથા સિક્કાશાસ્ત્રી. પિતાનું નામ યજ્ઞેશ્વર અને માતાનું નામ કુસુમકુમારી. 1925માં ફરીદપુર જિલ્લાની શાળામાંથી મૅટ્રિક્યુલેશન પાસ કરી. 1929માં ફરીદપુરની રાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે…

વધુ વાંચો >

સરકાર, બાદલ

Jan 11, 2007

સરકાર, બાદલ (જ. 1925) : બંગાળના જાણીતા નાટ્યકાર, નટ-દિગ્દર્શક, નાટ્યવિદ. મૂળ નામ સુધીન્દ્ર. વ્યવસાયનો આરંભ સિવિલ એન્જિનિયર તરીકે; પરંતુ કલાના રસને લીધે તેમણે નાટ્યલેખન અને પછી નાટ્યસર્જક તરીકે પ્રદાન કર્યું. 1967 સુધી પોતાની ‘ચક્ર’ નાટ્યસંસ્થા દ્વારા દર વર્ષે એક કૉમેડી નાટકનું લેખન અને પ્રસ્તુતિ એ કરતા, પણ એનો એકથી વધુ…

વધુ વાંચો >

સરકાર, બી. એન.

Jan 11, 2007

સરકાર, બી. એન. (જ. 5 જુલાઈ 1901, ભાગલપુર; અ. 28 નવેમ્બર 1981) : ચલચિત્રસર્જક. કોલકાતામાં ફિલ્મઉદ્યોગને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બીરેન્દ્રનાથ સરકાર બંગાળના ઍડવૉકેટ જનરલ એન. એન. સરકારના પુત્ર હતા. લંડન યુનિવર્સિટીમાં તેમણે ઇજનેરી શિક્ષણ મેળવ્યું હતું. પણ નાટકો અને ચિત્રોના શોખને કારણે તેઓ ઇજનેરીના ક્ષેત્રે જવાને બદલે ચલચિત્ર-ઉદ્યોગ…

વધુ વાંચો >

સરકારી કંપની

Jan 11, 2007

સરકારી કંપની : સરકારની સંપૂર્ણ અથવા આંશિક શૅરમૂડી અને ખાનગી રોકાણકારોની આંશિક શૅરમૂડી વડે કંપની અધિનિયમ-1956 હેઠળ ભારતમાં નોંધણી કરાવીને સ્થાપવામાં આવેલી કંપની. દેશમાં પાયાના ઉદ્યોગોમાં વિપુલ મૂડીરોકાણ કરવું પડે છે, જેનો નફો લાંબા ગાળે મળવાની શક્યતા હોય છે. વળી પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદિત વસ્તુઓ મોટા પ્રમાણમાં વેચી શકાય નહિ અને…

વધુ વાંચો >

સરકારી સિક્યુરિટીઓ

Jan 11, 2007

સરકારી સિક્યુરિટીઓ : ઉછીનાં લીધેલાં નાણાંની સ્વીકૃતિનું સરકારે રોકાણકારને આપેલું પ્રમાણપત્ર. અનેક કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકારો દેવું કરે છે. અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી સરકાર જાહેર ઉછીનાં નાણાં લે છે. પોસ્ટ ઑફિસ મારફતે રૂ. 100નું રાષ્ટ્રીય બચતપત્ર આપીને સરકાર નાના રોકાણકારની પણ દેવાદાર બને છે. સરકારનાં દેવાંને જાહેર દેવાં…

વધુ વાંચો >

સરખુશ મોહમ્મદ અફઝલ

Jan 11, 2007

સરખુશ મોહમ્મદ અફઝલ (જ. 1640, કાશ્મીર; અ. 1714) : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીરના સમયના દરબારનો મહત્ત્વનો ફારસી કવિ અને કલિમાત-અશ-શુઅરા નામના જાણીતા તઝકિરાનો લેખક. તેના પિતા મોહમ્મદ ઝાહિદ, મુઘલ શહેનશાહ શાહજહાનના એક અમીર અબ્દુલ્લાખાન ઝખ્મીની સેવામાં હતા. સરખુશ પણ શરૂઆતમાં આ જ અમીરનો દરબારી અને તેના અવસાન બાદ આલમગીરની સેવામાં…

વધુ વાંચો >

સરખેજ

Jan 11, 2007

સરખેજ : અમદાવાદ સિટી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 59´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.. તે અમદાવાદ શહેરથી પશ્ચિમ તરફ અમદાવાદ-સૌરાષ્ટ્રના માર્ગ પર આવેલું છે. સરખેજ અને તેની આજુબાજુની ભૂમિ સમતળ અને ફળદ્રૂપ છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને…

વધુ વાંચો >