ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સક્યુલન્ટ્સ

સક્યુલન્ટ્સ [માંસલ (રસાળ) વનસ્પતિઓ] : બાહ્ય પર્યાવરણીય શુષ્કતા અનુભવતી અને માંસલ અંગો (પ્રકાંડ, પર્ણ કે મૂળ) ધરાવતી મરુદ્ભિદ (xerophyte) વનસ્પતિઓ. ટૂંકા ચોમાસા દરમિયાન આ વનસ્પતિઓ આ અંગ કે અંગોમાં વિપુલ જથ્થામાં પાણીનો સંગ્રહ કરે છે. તેઓ સામાન્યત: ઉષ્ણ કટિબંધના શુષ્ક વિસ્તારોમાં થાય છે. તેમની દેહરચના ઓછા પાણીમાં જીવી શકાય તે…

વધુ વાંચો >

સક્રિયકૃત આપંક પ્રક્રમ

સક્રિયકૃત આપંક પ્રક્રમ (activated sludge process) : મલિન જળનો નિકાલ કરતાં પહેલાં તેની માવજત કરવાની પદ્ધતિ. મલિન જળની માવજત માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે; જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને અંતિમ માવજત-પદ્ધતિઓનો સમાવેશ થાય છે. સક્રિયકૃત આપંક પ્રક્રમ દ્વિતીયક માવજત-પદ્ધતિનો પ્રકાર છે. આ પ્રક્રમમાં મલિન જળને પ્રાથમિક ઠારણ બાદ હવા-ટાંકીમાંથી પસાર…

વધુ વાંચો >

સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત

સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત (activated complex theory, ACT) : સાંખ્યિક ઉષ્માગતિશાસ્ત્ર(Statistical thermodynamics)ના ઉપયોગ દ્વારા રાસાયણિક કે અન્ય પ્રવિધિઓના દર-અચળાંકો(વેગ-અચળાંકો, rate constants)ની ગણતરી કરવાનું શક્ય બનાવતો સિદ્ધાંત. તેને સંક્રમણ-અવસ્થા (transition state) સિદ્ધાંત અથવા કેટલીક વાર નિરપેક્ષ પ્રક્રિયાદર સિદ્ધાંત (theory of absolute reaction rate) પણ કહે છે. 1935માં હેન્રી આયરિંગ તથા ઇવાન્સ અને…

વધુ વાંચો >

સક્રિય જથ્થાનો (દળનો) નિયમ

સક્રિય જથ્થાનો (દળનો) નિયમ (Law of mass action) : પ્રક્રિયાના દર(વેગ)ને પ્રક્રિયકોના જથ્થા (દળ) સાથે સાંકળી લેતો નિયમ. આ નિયમ મુજબ, કોઈ એક તાપમાને રાસાયણિક પ્રક્રિયા જે દરે થાય તે દર પ્રક્રિયકોના સક્રિય જથ્થા(સક્રિય દળ, active masses)ના ગુણાકારના અનુપાતમાં હોય છે. અહીં સક્રિય જથ્થો એટલે પ્રક્રિયકની મોલર સાંદ્રતા ગણવામાં આવે…

વધુ વાંચો >

સક્રિયણ-ઊર્જા

સક્રિયણ–ઊર્જા (activation energy) : રસાયણશાસ્ત્રમાં પરમાણુઓ અને અણુઓને તેઓ રાસાયણિક રૂપાંતરણ (પરિવર્તન, transformation) અથવા ભૌતિક પરિવહન (transport) પામી શકે તેવી સ્થિતિમાં લાવવા માટે જરૂરી ન્યૂનતમ ઊર્જા. પ્રક્રિયા થવા માટે પ્રક્રિયક-અણુઓએ એકબીજાની નજીક આવી એકબીજા સાથે અથડાવું પડે છે. આ સમયે તેમના રાસાયણિક બંધો (chemical bonds) તણાય છે, તૂટે છે અને…

વધુ વાંચો >

સક્રિયણ-વિશ્લેષણ

સક્રિયણ–વિશ્લેષણ (activation analysis) : વિવિધ રાસાયણિક તત્ત્વોના અત્યંત નાના (એક મિગ્રા. કે તેથી ઓછા) જથ્થાઓની પરખ અને નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાતી અત્યંત સંવેદી એવી વૈશ્લેષિક તકનીક. આ પદ્ધતિ એવી નાભિકીય (nuclear) પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે કે જેમાં સ્થાયી (stable) તત્ત્વોમાંથી તેમના વિકિરણી સમસ્થાનિકો (વિકિરણધર્મી સમસ્થાનિકો, radioisotopes) ઉત્પન્ન થાય છે. જે…

વધુ વાંચો >

સક્રિયતા-ગુણાંક

સક્રિયતા–ગુણાંક (activity coefficient) : રસાયણશાસ્ત્રમાં પદાર્થની સાંદ્રતાને તેની અસરકારક સાંદ્રતા અથવા સક્રિયતામાં ફેરવવા માટે ઉપયોગમાં લેવાતો ગુણાંક. પદાર્થના અણુઓ (અથવા આયનો) વચ્ચેની પારસ્પરિક ક્રિયાને કારણે જ્યારે તેની સાંદ્રતા વધુ હોય ત્યારે પદાર્થ આદર્શ વર્તણૂક બતાવી શકતો નથી. આમ કોઈ એક પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણ વડે સૂચિત થતી પદાર્થની સાંદ્રતા એ તેની…

વધુ વાંચો >

સક્રિય વહન

સક્રિય વહન : જૈવિક પટલો દ્વારા થતા ચયાપચયિત પદાર્થો (metabolites) કે આયનોના વહનનો એક પ્રકાર. આ પદાર્થોનું વહન નિષ્ક્રિય (મંદ) વહન (passive transport) કે સક્રિય વહન (active transport) દ્વારા થાય છે. મંદ વહનની પ્રક્રિયામાં પદાર્થનું વહન વાહકની હાજરી કે ગેરહાજરીમાં પ્રસરણઢોળાવ(diffusion gradient)ની દિશામાં થાય છે. કોષના કોષદ્રવ(cellsap)માં ચયાપચયિત પદાર્થ કે…

વધુ વાંચો >

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના)

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના) (જ. 12 જૂન 1909, લખીમપુર, ખેરી, ઉત્તરપ્રદેશ) : સમાજશાસ્ત્રના અધ્યાપક. તેમણે લખનૌમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સક્સેનાએ એમ.એ. (1932); પીએચ.ડી. (1937) અને ડી.લિટ.(1947)ની પદવી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારતના વિદ્વાન સમાજવૈજ્ઞાનિકો જેવા કે રાધાકમલ મુખરજી, ડી. પી. મુખરજી, ધીરેન્દ્રનાથ મજમુદાર વગેરે પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું…

વધુ વાંચો >

સક્સેના, બાબુરામ

સક્સેના, બાબુરામ (જ. 1897, જિ. લખીમપુર, ઉત્તરપ્રદેશ) : ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર  હિન્દીના વિદ્વાન. પ્રયાગ વિશ્વવિદ્યાલય, બનારસહિંદુ યુનિવર્સિટી તેમજ ‘લંડન સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ સ્ટડિઝ’ જેવી સંસ્થાઓમાં રહીને ડી. લિટ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અવધી ભાષા વિશે ઇંગ્લૅન્ડમાં રહીને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. ટર્નરના સહયોગથી પૂર્ણ કરેલ એમના સંશોધનકાર્ય ‘ઇવૅલ્યુએશન ઑવ્…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >