ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સમોષ્મી વિચુંબકન (adiabatic demagnetization)

સમોષ્મી વિચુંબકન (adiabatic demagnetization) : એવી ભૌતિક પ્રક્રિયા કે જેની મદદથી, અગાઉથી ઠંડા પાડેલા ચોક્કસ પદાર્થો પરથી લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રને દૂર કરતાં તે પદાર્થોનું વધુ શીતન (cooling) શક્ય બને. પીટર ડિબાઈ અને વિલિયમ ફ્રાન્સિસ ગિયાક નામના રસાયણશાસ્ત્રીઓએ 1926-1927ના અરસામાં સ્વતંત્રપણે આ પદ્ધતિ વિકસાવી હતી. આ કાર્ય માટે 1949માં તેમને…

વધુ વાંચો >

સમ્પત્તી આર્યની (શ્રીમતી)

સમ્પત્તી આર્યની (શ્રીમતી) (જ. 31 માર્ચ 1923, પટણા શહેર, બિહાર) : મગહી વિદુષી. તેમણે 1952માં પટણા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1956માં બિહાર યુનિવર્સિટીમાંથી પાલિમાં એમ.એ. તથા પટણા યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેમણે પટણા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે કારકિર્દી શરૂ કરી; 1953થી હિંદી વિભાગમાં અધ્યાપનની કામગીરી કરી. તેઓ રીડર તરીકે સેવાનિવૃત્ત થયાં. 1965થી…

વધુ વાંચો >

સમ્બાશિવરાવ, પોતુકુચી

સમ્બાશિવરાવ, પોતુકુચી (જ. 27 જાન્યુઆરી 1928, આલમુરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને કલાપ્રપૂર્ણ તથા ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની ડિગ્રી મેળવી. વકીલાતની સાથોસાથ સાહિત્યિક પ્રવૃત્તિ કરી. 199397 સુધી તેઓ તેલુગુ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના કારોબારી-સભ્ય; ‘નાટ્યકલા’ માસિકના સંપાદક, ઓસ્માનિયા…

વધુ વાંચો >

સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ)

સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ) (ઈ. ચોથી-પાંચમી સદી) : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. શ્વેતામ્બર જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની (ઈ. સ. ચોથી-પાંચમી શતાબ્દી) આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. તેમાં કુલ 167 પ્રાકૃત ગાથાઓ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ જ તે શ્વેતામ્બર અને દિગમ્બર – બંને સંપ્રદાયોને માન્ય છે; તેથી ‘ષટ્ખંડાગમ’ની ‘ધવલા’ ટીકામાં તેનાં ઉલ્લેખો અને ઉદ્ધરણો છે તથા…

વધુ વાંચો >

સમ્સા

સમ્સા (જ. 1898, આગરા, જિ. મૈસૂર, કર્ણાટક; અ. 1939) : કન્નડ કવિ, વાર્તાકાર અને અસામાન્ય પ્રતિભાશાળી નાટ્યકાર. તેમણે અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃતમાં વિદ્વત્તા મેળવી, થોડાં વર્ષ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો. તેમનું ખરું નામ એ. એસ. વેંકટાદ્રી અય્યર હતું. 1936માં તેઓ મૈસૂર પાછા ફર્યા ત્યારે વિચાર,…

વધુ વાંચો >

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ : અમદાવાદ નજીક કોબા ખાતે આવેલું પ્રાચીન હસ્તપ્રતોનું મ્યુઝિયમ. 1980ના ડિસેમ્બરની છવ્વીસમીએ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થયેલી. આ મ્યુઝિયમમાં 3,000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો છે. તેમાંની સેંકડો હસ્તપ્રતો સચિત્ર છે. આ ઉપરાંત પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી મૂર્તિઓ અને હાથીદાંતમાંથી કંડારેલી કોતરણીઓ…

વધુ વાંચો >

સયાજીરાવ ગાયકવાડ-3 (સર)

સયાજીરાવ ગાયકવાડ-3 (સર) : જુઓ ગાયકવાડ વંશ.

વધુ વાંચો >

સયાજીવિજય

સયાજીવિજય : વડોદરાનું સૌપ્રથમ ગુજરાતી સાપ્તાહિક. 1890માં મુંબઈથી વડોદરા આવેલા શ્રી દામોદર સાંવળારામ પદેએ વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સહાનુભૂતિ અને સહકારથી ‘સયાજીવિજય’ શરૂ કર્યું અને એક જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધું. આ સાપ્તાહિકમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી – એમ ત્રણ વિભાગ આવતા. સમય જતાં એ અઠવાડિયામાં બે વખત…

વધુ વાંચો >

સયામનો અખાત

સયામનો અખાત : થાઇલૅન્ડની દક્ષિણે આવેલો અખાત. અગાઉ તે સિયામના અખાત તરીકે ઓળખાતો હતો. તે દક્ષિણ ચીની સમુદ્રનો ફાંટો છે અને તેની સીમા પર ઉત્તરે થાઇલૅન્ડ, કામ્પુચિયા (કમ્બોડિયા) અને ઈશાન તરફ વિયેટનામ આવેલાં છે. તેની લંબાઈ 720 કિમી. અને પહોળાઈ 500થી 560 કિમી. જેટલી છે. તેના મથાળે તેમો ચાઓ ફ્રાયા…

વધુ વાંચો >

સરકસ

સરકસ : અંગ-કસરતના સાહસિક દાવ કરનારાઓ, પાલતુ અને જંગલી પશુઓના ખેલ કરનારાઓ તથા વિદૂષકોની, લોકરંજન માટે વ્યાવસાયિક ધોરણે ઊભી કરવામાં આવેલી હરતીફરતી મંડળી. સરકસની શરૂઆત થઈ તે ગાળામાં તેના ખેલ ઘોડેસવારીના ખેલ પૂરતા જ મર્યાદિત હતા અને તે ખેલ પાકાં મકાનોના અંદરનાં ગોળાકાર મેદાનોની મધ્યમાં કરવામાં આવતાં; મધ્યમાં એટલા માટે…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >