ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
શીખવિગ્રહો
શીખવિગ્રહો : પંજાબના મહારાજા રણજિતસિંહના અવસાન (1839) પછી અંગ્રેજોએ શીખો સામે કરેલા બે વિગ્રહો. રણજિતસિંહના અવસાન પછી છ વર્ષ સુધી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજિતસિંહ પછી તેનો પુત્ર ખડગસિંહ ગાદીએ બેઠો. રણજિતસિંહના બીજા પુત્ર શેરસિંહે ખડગસિંહનો વિરોધ કરી, ગાદી વાસ્તે પોતાનો દાવો રજૂ કર્યો. ખડગસિંહના પુત્ર નાઓ નિહાલસિંહે તેને ટેકો આપ્યો.…
વધુ વાંચો >શી જિનપિંગ
શી જિનપિંગ (જ. 15 જૂન 1953, ફુપિંગ કાઉન્ટી, શાનક્સી પ્રાંત, ચીન) : ચીનના રાષ્ટ્રપતિ. તેઓ ચીનમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના ઉપપ્રમુખ તરીકે, ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના જનરલ સેક્રેટરી અને પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. શી જિનપિંગ શી ઝોંગક્સનના પુત્ર હતા, જેમણે એક સમયે ચીનના નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી…
વધુ વાંચો >શીટ, સૅમ્યુઅલ
શીટ, સૅમ્યુઅલ (જ. 1587, હેલે, નેધર્લૅન્ડ્ઝ; અ. 30 માર્ચ 1654, હેલે, નેધર્લૅન્ડ્ઝ) : ડચ ઑર્ગનવાદક અને સંગીતનિયોજક. ઉત્તર જર્મનીની બરોક સંગીતશૈલી પર તેનો પ્રભાવ છે. ડચ ઑર્ગનવાદક સ્વીલિન્ક હેઠળ ઑર્ગનનો અભ્યાસ કરીને હેલે ખાતે શીટે 1609માં ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. આશરે 1619માં બ્રાન્ડેન્બર્ગના માર્ગ્રેવ ઑર્કેસ્ટ્રાના કપેલમેઇસ્ટરનું પદ તેને મળ્યું.…
વધુ વાંચો >શીતઘન પરિચ્છેદ (frozen section)
શીતઘન પરિચ્છેદ (frozen section) : શસ્ત્રક્રિયાથી બહાર કઢાયેલી પેશીને તરત અતિશય ઠંડકની મદદથી ઘનસ્વરૂપમાં ફેરવીને તેનાં પાતળાં પડ કાપીને, તેમને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવી તે. તેમાં સર્જ્યન (શસ્ત્રક્રિયાવિદ) અને રુગ્ણવિદ (pathologist) વચ્ચે સંપર્ક અને આયોજન હોય છે, જેથી કરીને ચાલુ શસ્ત્રક્રિયામાં શંકાસ્પદ પેશીનું ઝડપી નિદાન કરીને શસ્ત્રક્રિયામાં આગળ કેવી…
વધુ વાંચો >શીતપિત્ત (શીળસ; urticaria)
શીતપિત્ત (શીળસ; urticaria) : શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ. રોગસ્વરૂપ : જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ…
વધુ વાંચો >શીતલનાથ
શીતલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં દસમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર તેમના તીર્થંકરજન્મ પહેલાંના જન્મમાં તેઓ સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા હતા. રાજારૂપે તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરી કાળક્રમે વૈરાગ્ય પ્રબળ બનતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી અને તપ-આરાધના કરતાં કરતાં ‘તીર્થંકર’ નામગોત્ર પ્રાપ્ત કર્યું હતું. કાળ કરીને અર્થાત્ મૃત્યુ પછી તેઓ…
વધુ વાંચો >શીતલ, સોહનસિંગ
શીતલ, સોહનસિંગ (જ. 1909) : પંજાબી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘જુગ બદલ ગયા’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે બાળપણથી કાવ્યો રચવાનું શરૂ કરેલું. 1947માં તેમણે તેમની પ્રથમ નવલકથા લખી. પંજાબી સાહિત્યમાં તેમણે અત્યાર સુધીમાં 11,000 પૃષ્ઠ જેટલું સાહિત્યિક પ્રદાન કર્યું. તેમના ઘણા ગ્રંથોના હિંદી…
વધુ વાંચો >શીતવાતાગ્ર
શીતવાતાગ્ર : જુઓ વાયુસમુચ્ચય અને વાતાગ્ર.
વધુ વાંચો >શીતશસ્ત્રક્રિયા (cryosurgery)
શીતશસ્ત્રક્રિયા (cryosurgery) : પેશીને અતિશય ઠંડીના સંસર્ગમાં લાવીને તથા તેમાં ફરીથી સુધરી ન શકે તેવો ફેરફાર લાવીને તેનો નાશ કરવાની પદ્ધતિ. સન 1851માં જેમ્સ આર્નોટે મિડલસેક્સ હૉસ્પિટલમાં આ પદ્ધતિ વડે વિવિધ પ્રકારના સપાટી પરના કૅન્સરની સારવાર કરી હતી. તેમાં તેમણે મીઠા-બરફના 20° સે.ના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. ઓછામાં ઓછું 10°…
વધુ વાંચો >શીતસમાધિ (Hibernation)
શીતસમાધિ (Hibernation) : શિયાળામાં ઠંડીની વિપરીત અસરને ટાળવા પ્રાણીઓ વડે અપનાવવામાં આવતી સુપ્તાવસ્થા (dormancy). ખાસ કરીને અસ્થિર તાપમાનવાળાં (poikilo thermic) પ્રાણીઓ પર્યાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતાં શરીરનું તાપમાન જાળવવામાં મુશ્કેલી અનુભવતાં હોય છે. તેની વિપરીત અસર દેહધાર્મિક પ્રક્રિયા પર થાય છે. આવાં કેટલાંક પ્રાણીઓ પથ્થર જેવાની નીચે દર ખોદીને અથવા પોતાના…
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >