ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અલંકાર

Jan 20, 1989

અલંકાર : જુઓ, ઘરેણાં.

વધુ વાંચો >

અલંકાર (કાવ્યશાસ્ત્ર)

Jan 20, 1989

અલંકાર (કાવ્યશાસ્ત્ર) : કાવ્યગત કથનમાં ચારુતા લાવવા માટે સધાતું ઉક્તિવૈચિત્ર્ય. અલંકાર શબ્દના બે અર્થ થઈ શકે છે : જે વિભૂષિત કે અલંકૃત કરે છે એવો સીમિત અર્થ લેતાં, અલંકાર પદથી ઉપમા, રૂપક આદિ અલંકારો લેવાય છે; પણ જે વિભૂષિત અર્થ કરાય છે તે પણ અલંકાર એવો (વ્યાપક) અર્થ લેતાં રસ,…

વધુ વાંચો >

અલંકાર (પાશ્ચાત્ય)

Jan 20, 1989

અલંકાર (પાશ્ચાત્ય) (figures of speech) : વિશાળ અર્થમાં ભાષાકીય અભિવ્યક્તિને વેધક અને વધુ અસરકારક બનાવવાની એક ચમત્કૃતિજનક સાહિત્યિક પ્રયુક્તિ. તેનો મુખ્ય હેતુ લાગણીની તીવ્રતા સાધવાનો  વિચારની સ્પષ્ટતા કરવાનો હોય છે. ગ્રીક શબ્દ ‘litos’ના એકલું, સાદું, સામાન્ય તેવા અર્થ પરથી ‘દિશા બદલવી’ તેમ ‘litotes’ અલ્પોક્તિ નામનો અલંકાર પ્રસિદ્ધ થયો. અલંકાર માટે…

વધુ વાંચો >

અલંકારકૌસ્તુભ

Jan 20, 1989

અલંકારકૌસ્તુભ : જુઓ, કવિ કર્ણપુર.

વધુ વાંચો >

અલંકારચિંતામણિ

Jan 20, 1989

અલંકારચિંતામણિ (1293 આશરે) : દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય પાર્શ્વસેનના પ્રશિષ્ય અજિતસેનકૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અત્યંત સરળ સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ પરિચ્છેદમાં વિભક્ત આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રના સઘળા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે; પરંતુ શબ્દ અને અર્થના અલંકારો માટે તો ત્રણ (2, 3, 4) પરિચ્છેદો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પ્રથમ પરિચ્છેદમાં મંગલાચરણ, કાવ્યનું સ્વરૂપ,…

વધુ વાંચો >

અલંકારચૂડામણિ-1

Jan 20, 1989

અલંકારચૂડામણિ-1 (અલંકારશિરોમણિ) (સત્તરમી શતાબ્દી – પૂર્વાર્ધ) : તાંજોરના રાજા રઘુનાથ દીક્ષિતના સભાપંડિત, રત્નખેટનો શ્રીનિવાસ દીક્ષિતના પુત્ર રાજચૂડામણિ દીક્ષિતે લખેલો અલંકારગ્રંથ. તેમણે ‘કાવ્યદર્પણ’ ઉપરાંત ‘રુક્મિણી-કલ્યાણ’ કે ‘પરિણય’ (10 સર્ગો ધરાવતું કાવ્ય), ‘આનંદરાય’ (નાટક), ‘શૃંગારતિલક’ (ભાણ) અને ‘ભારતચમ્પૂ’ જેવા ગ્રંથો લખ્યા હોવાનું કહેવાય છે. ભગવતીપ્રસાદ પંડ્યા

વધુ વાંચો >

અલંકારચૂડામણિ-2

Jan 20, 1989

અલંકારચૂડામણિ-2 : સંસ્કૃત અલંકારના હેમચંદ્રવિરચિત ‘કાવ્યાનુશાસન’ ઉપર લખાયેલ ટીકા. સૂત્ર, ઉદાહરણ તથા વૃત્તિ એમ ત્રણ ભાગોમાં વિભક્ત થયેલ આ ગ્રંથમાં સૂત્રોને ‘કાવ્યાનુશાસન’, સૂત્રોની વૃત્તિને ‘અલંકારચૂડામણિ’ તથા ટીકાને ‘વિવેક’ એવું નામ આપવામાં આવેલ છે. ભગવતીપ્રસાદ પંડ્યા

વધુ વાંચો >

અલંકારમહોદધિ

Jan 20, 1989

અલંકારમહોદધિ (1225-26) : વસ્તુપાલના સમકાલીન, હર્ષપુરીય ગચ્છના નરચન્દ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિકૃત અલંકારશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ. રચના-સ્થળ પાટણ અથવા ધોળકા. વસ્તુપાળની વિનંતીને માન આપીને પુરોગામી અલંકારગ્રંથોને આધારે તેની રચના થઈ છે. આઠ ‘તરંગો’માં અલંકારશાસ્ત્રના વિષયો  અનુક્રમે કાવ્યનું પ્રયોજન, કારણ અને સ્વરૂપનિર્ણય, કવિશિક્ષા અને (1) શબ્દવૈચિત્ર્ય, (2) ધ્વનિનિર્ણય, (3) ગુણીભૂત વ્યંગ્ય, (4) દોષનિરૂપણ, (5)…

વધુ વાંચો >

અલંકારમંજૂષા

Jan 20, 1989

અલંકારમંજૂષા (અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : દેવશંકર પુરોહિતકૃત, પુણેના પેશ્વાઓની પ્રશસ્તિનાં ઉદાહરણોને વણી લેતી અલંકારો પરની નાનકડી કૃતિ. શ્રીગણેશ, શ્રીરામ અને સીતાની પ્રશસ્તિ-વંદનાથી કૃતિનો આરંભ કરવામાં આવ્યો છે. 115 અલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પૈકી 103માં પરમાલંકાર, 107થી 113માં ધ્વન્યાલંકારો અને 114 અને 115માં મિશ્રાલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કારિકામાં…

વધુ વાંચો >

અલંકારરત્નાકર

Jan 20, 1989

અલંકારરત્નાકર (બારમી શતાબ્દીની આસપાસ) : ત્રયીશ્વર મિત્રના પુત્ર શોભાકર મિત્રરચિત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેમાં 107સૂત્રો છે. કાશ્મીરી કવિ યશસ્કરે પોતે લખેલ દેવીસ્તોત્રમાં આ સૂત્રો તથા તેનાં ઉદાહરણ આપ્યાં છે. આના ઉપર ‘રત્નોદાહરણ’ નામની સ્વોપજ્ઞ ટીકા પણ લખાઈ છે. ભગવતીપ્રસાદ પંડ્યા

વધુ વાંચો >