ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અલગતાવાદ

Jan 20, 1989

અલગતાવાદ (isolationism) : અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ  (1939-45) પહેલા સુધી અપનાવેલો વિદેશનીતિનો સિદ્ધાંત. અલગતાવાદ, તટસ્થતા અને બિનજોડાણ શબ્દપ્રયોગોનો ઉપયોગ વિદેશનીતિના ક્ષેત્રમાં થાય છે. રાજ્યશાસ્ત્રની દૃષ્ટિએ આ ત્રણે શબ્દોના અર્થ ભિન્ન છે. વળી અલગ અલગ ઐતિહાસિક સંદર્ભમાં તેમનો ઉપયોગ થયેલો છે. ‘અલગતાવાદ’, ‘અલગતાવાદી માનસ’ એ શબ્દોનો ઉપયોગ અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના બીજા દેશો…

વધુ વાંચો >

અલગ મતદાર મંડળ

Jan 20, 1989

અલગ મતદાર મંડળ : ધર્મ કે કોમના ધોરણે અલગ મતદારમંડળ રચીને તેના જ ઉમેદવારને મત આપવાની વ્યવસ્થા. લોકશાહીના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે સાધારણ રીતે મતદારમંડળની વ્યવસ્થા ભૌગોલિક કે પ્રાદેશિક ધોરણે કરવામાં આવે છે, જેમાં મતદાર તેના મતદારમંડળમાંથી ઉમેદવારી કરતા કોઈ પણ ઉમેદવારને મત આપવાનો અધિકાર ધરાવે છે. અલગ મતદારમંડળમાં પ્રદેશના…

વધુ વાંચો >

અલગારીની રખડપટ્ટી

Jan 20, 1989

અલગારીની રખડપટ્ટી (1969) : પ્રવાસવર્ણન. લેખક રસિક ઝવેરી. વિદેશપ્રવાસના – ખાસ કરીને ઇંગ્લૅન્ડના એક વર્ષના અનુભવોનું માર્મિક કથન એમાં થયેલું છે. પહેલાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલી આ લેખમાળામાં લેખકે જહાજમાં કરેલી મુસાફરી, તેમજ લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટૉર્સ, ઇન્ડિયા હાઉસ, ટૅક્સી-ડ્રાઇવર, ખિસ્સાકાતરુ, પબ, ઝૂંપડપટ્ટી, કૉલેજિયન યુવતી, હિપ્પી વગેરે સાથેના પ્રસંગોનું આલેખન કર્યું…

વધુ વાંચો >

અલ ગીઝા

Jan 20, 1989

અલ ગીઝા : ઇજિપ્તના પાટનગર કેરોનું ઉપનગર, તે જ નામ ધરાવતો પ્રાંત તથા પ્રાંતનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 30° 01´ ઉ. અ. અને 31° 13´ પૂ. રે.. ગીઝાનો પ્રાંત 85,153.20 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વસ્તીમાં તે ઇજિપ્તના કેરો અને ઍલેક્ઝાન્ડ્રિયા પછી ત્રીજા ક્રમે આવે છે. આ શહેર…

વધુ વાંચો >

અલ ગ્રેકો

Jan 20, 1989

અલ ગ્રેકો (El Greco) (જ. 1541, ક્રીટ; અ. 1641, સ્પેન) : સોળમી અને સત્તરમી સદી દરમિયાનના સ્પેનના સૌથી વધુ મહત્ત્વના ચિત્રકાર તથા સ્પેનમાં મૅનરિઝમ શૈલીના પ્રખર પુરસ્કર્તા. મૂળ નામ ડૉમેનિકોસ થિયૉટોકોપુલી. ગ્રીસની દક્ષિણે આવેલા ક્રીટ ટાપુ પર તેમણે બાયઝેન્ટાઇન પરંપરામાં ચિત્રકળાની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ ઇટાલીના વેનિસ નગરમાં…

વધુ વાંચો >

અલઘ વાય. કે.

Jan 20, 1989

અલઘ, વાય. કે. (જ. 14 ફેબ્રુઆરી 1939, ચકવાલ-પંજાબ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેળવણીકાર તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી. પૂરું નામ યોગેન્દ્રકુમાર ભગતરામ અલઘ. માતાનું નામ પ્રકાશ. ભારતમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં રાજસ્થાન યુનિવર્સિટીના એમ.એ. થયા પછી અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં શરૂઆતમાં એમ.એ. અને ત્યારબાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1964-65માં તે યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

અલફખાન

Jan 20, 1989

અલફખાન (જ. –; અ. 1316) : ગુજરાતનો પહેલો મુસ્લિમ સૂબો. તે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીનો સાળો હતો. નામ મલેક સંજર. સૂબા તરીકે તેનું નોંધપાત્ર કામ ગુજરાતના છેલ્લા હિંદુ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળદેવીને દેવગિરિ પાસેથી પકડીને સુલતાનના આદેશ મુજબ દિલ્હી મોકલવાનું હતું. ત્યારપછી ગોહિલવાડ, રાણપુર, સૈજકપુર વગેરે ઈ. સ. 1309માં…

વધુ વાંચો >

અલવર

Jan 20, 1989

અલવર : રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર 8,383 ચોકિમી. વસ્તી : શહેર 3,41,422; જિલ્લો 36,74,179 (2011). રાજપૂતો દ્વારા 1771માં અલવરમાં દેશી રજવાડું સ્થાપવામાં આવ્યું હતું. 1803ની સંધિ દ્વારા તે બ્રિટિશ સાર્વભૌમત્વ હેઠળ આવ્યું. 1949માં તે રાજસ્થાનમાં જોડાયું. જિલ્લાનો પૂર્વ વિસ્તાર સપાટ છે જ્યારે પશ્ચિમ વિસ્તાર અરવલ્લી પર્વતમાળાની…

વધુ વાંચો >

અલહાગી

Jan 20, 1989

અલહાગી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોસી) કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિને પૅપિલિયોનોઇડી ઉપકુળમાં મૂકવામાં આવી છે. Alhagi pseudalhagi (Bieb.) Desv. syn. A. camelorum Fisch. (સં. मता; હિં. जवासो; ગુ. જવાસો, ધમાસો;  અં. કૅમલ થોર્ન) જાણીતી જાતિ છે. કૌંચા, ચણોઠી, ઇકડ વગેરે તેનાં સહસભ્યો છે. આશરે 1 મીટર ઊંચાઈ…

વધુ વાંચો >

અલંકરણ અને સુશોભન

Jan 20, 1989

અલંકરણ અને સુશોભન (લોકકળા)  જીવનમાં રસાનંદ માટે લોકસમાજે પ્રયોજેલા સૌંદર્ય-શોભાવર્ધક કલાકીમિયા. માનવ સુશોભન અને અલંકરણપ્રિય હોવાથી જીવન તેમજ સંસ્કૃતિઉત્થાનના દરેક તબક્કે એણે પોતાનો દેહ, વસ્ત્ર, ઘરબાર, સાજસરંજામ વગેરેનાં સુશોભન-આલેખનમાં અલંકૃત એવી વિવિધ આકૃતિઓ તેમજ પ્રતીકોનાં અલંકરણ પ્રયોજીને સુશોભનને અધિક સુંદર બનાવ્યું છે. જીવનના રસાનંદમાંથી અભિવ્યક્ત થતી અનુભૂતિને એણે ચિત્ર, સંગીત,…

વધુ વાંચો >