ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અરુણ કમલ

Jan 19, 1989

અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમણે 3 કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

અરુણા અસફઅલી

Jan 19, 1989

અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની…

વધુ વાંચો >

અરુણાચલ પ્રદેશ

Jan 19, 1989

અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન…

વધુ વાંચો >

અરુણોદય

Jan 19, 1989

અરુણોદય (1846થી 1888) : અસમિયા ભાષાનું સામયિક પત્ર. આસામના અમેરિકન બૅપ્ટિસ્ટ મિશને પ્રકટ કરેલું. શરૂઆતના અંકમાં જ જાહેર કરેલું કે ‘‘આ માસિક પત્ર ધર્મ, વિજ્ઞાન અને સામાન્ય બુદ્ધિમત્તાની વૃદ્ધિ માટે પ્રકટ કરવામાં આવે છે.’’ અહીં ધર્મનો અર્થ પ્રૉટેસ્ટંટ થાય છે. પણ એની દ્વારા જે ધર્મપ્રચાર થયો તે આક્રમક ન હતો.…

વધુ વાંચો >

અરુંડેલ રુકમિણીદેવી

Jan 19, 1989

અરુંડેલ, રુકમિણીદેવી (જ. 29 ફેબ્રુઆરી 1904, મદુરાઈ, તામિલનાડુ; અ. 24 ફેબ્રુઆરી 1986, ચેન્નઈ, તામિલનાડુ) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકલાકાર. સુસંસ્કૃત પરિવારમાં જન્મ. પિતા નીલકાંત શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. રુકમિણી તેમનાં સૌથી નાનાં પુત્રી અને લાડકોડમાં ઊછરેલાં. બાળપણથી જ સંગીત અને નૃત્ય પ્રતિ રુકમિણીને રુચિ હતી. જ્યૉર્જ એસ. અરુંડેલે તેમને શિક્ષણ આપ્યું…

વધુ વાંચો >

અરુંધતી

Jan 19, 1989

અરુંધતી : વસિષ્ઠ ઋષિનાં પત્ની. એમનું બીજું નામ અક્ષમાલા. સ્વયં અરુંધતીએ પોતાના નામની વ્યુત્પત્તિ આપી છે : ‘‘હું અરુ અર્થાત્ પર્વત, પૃથ્વી અને દ્યુલોકને ધારણ કરું છું; મારા સ્વામીની સમીપ રહું છું અને તેમના મનને ‘અનુરુંધતી’ એટલે અનુસરું છું. માટે મારું નામ અરુંધતી છે.’’ અરુંધતી અત્યંત ઉગ્ર તપશ્ર્ચર્યા કરનારી અને…

વધુ વાંચો >

અરૂન્ડો

Jan 19, 1989

અરૂન્ડો : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક પ્રજાતિ. Arundo donax Linn. (હિં. चारा नल; અં. great reed; spanish cane) તેની એક જાણીતી જાતિ છે. વાંસ, શેરડી, બાજરો વગેરે તેના સહસભ્યો છે. ચિરસ્થાયી ઘાસ, 6–5 મીટર ઊંચાઈ. તેનું પ્રકાંડ પોલું કાષ્ઠમય, નળાકાર, પર્ણતલ નિત્યસંલગ્ન પરિવેષ્ટિત. ભેજયુક્ત જમીન, નદી-નાળાંના કિનારા…

વધુ વાંચો >

અરૂપ્પુ કોટ્ટૈ

Jan 19, 1989

અરૂપ્પુ કોટ્ટૈ : તામિલનાડુ રાજ્યમાં આવેલા રામનાથપુરમ્ જિલ્લાનો તાલુકો. અરૂપ્પુ કોટ્ટૈનો તાલુકામથક તરીકે વિકાસ થયેલો છે. રામનાથપુરમ્ જિલ્લાનું આ શહેર વેપારી મથક પણ છે. આ શહેરમાં વસતા શાનક અને સાદિક જાતિના લોકો સૂતર રંગવામાં અને વણવામાં અતિકુશળ હોઈ અહીં કાપડનું સારું ઉત્પાદન થાય છે. તે ઉત્તમ કોટિનું હોવાથી તેની શ્રીલંકા…

વધુ વાંચો >

અરેકા

Jan 19, 1989

અરેકા (Areca) : જુઓ, સોપારી.

વધુ વાંચો >

અરેખીય પ્રકાશિકી

Jan 19, 1989

અરેખીય પ્રકાશિકી (non-linear optics) : પદાર્થ અને લેઝર વચ્ચેની પારસ્પરિક ક્રિયામાંથી ઉદભવતી વિશિષ્ટ ઘટના. પ્રકાશતરંગો વીજચુંબકીય તરંગોનો એક સીમિત વિસ્તાર છે. 4 × 1014 હર્ટ્ઝથી માંડીને 1 × 1015 હર્ટ્ઝની કંપનઆવૃત્તિવાળા વીજચુંબકીય તરંગો ‘પ્રકાશ’સ્વરૂપે સમજાય છે. તેમના દોલનશીલ (oscillatory) વિદ્યુતક્ષેત્રની અસર નીચે પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રૉન પણ દોલન કરે છે, તેને…

વધુ વાંચો >