ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અમીન ગોવિંદભાઈ
અમીન, ગોવિંદભાઈ (જ. 7 જુલાઈ 1909, વસો, ખેડા; અ. 1980) : ગુજરાતી લેખક. જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં. મુંબઈમાં બી.કૉમ. સુધીનો અભ્યાસ કરી, પછી શેરદલાલના ધંધામાં પડેલા. એમણે નાટક, એકાંકી, નવલિકા તથા નવલકથાનાં ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. એમના 19 ગ્રંથો પ્રગટ થયા છે. એમની નવલકથાઓમાં જાણીતી ‘બે મિત્રો’ (1944), ‘માડીજાયો’…
વધુ વાંચો >અમીન નાનુભાઈ
અમીન, નાનુભાઈ (જ. 27 નવેમ્બર 1919, વડોદરા; અ. 27 માર્ચ 1999, વડોદરા) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તથા બિનપરંપરાગત ઊર્જાક્ષેત્રે અને પર્યાવરણક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પિતા ભાઈલાલભાઈ અને માતા ચંચળબા. પિતા વડોદરા રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગપતિ હતા. નાનુભાઈ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી…
વધુ વાંચો >અમીન રમણભાઈ
અમીન, રમણભાઈ (જ. 13 મે 1913, વડોદરા; અ. 8 એપ્રિલ, 2000) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. ખાનદાન પરિવારમાં જન્મ. પિતાનું નામ ભાઈલાલભાઈ અને માતાનું નામ ચંચળબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ત્યારબાદ મિકૅનિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ પશ્ચિમ જર્મની ગયા અને ત્યાંની દાર્મસ્ટૅડ (Darmstadt) યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >અમીના
અમીના : તેલુગુ નવલકથા. લેખક વેંકટચલમ, ગુડીપટી(ચલમ) (1894-1978). ‘અમીના’ તેલુગુની પ્રથમ મનોવૈજ્ઞાનિક પાત્રપ્રધાન નવલકથા છે. ‘અમીના’ પ્રસિદ્ધ થઈ ત્યારે એ ફ્રૉઇડના મનોવિજ્ઞાનના પ્રભાવથી લખાઈ હોવાથી, એમાં યૌનસંબંધોનું યથાર્થ ચિત્રણ થયેલું, પણ તે સ્થૂલ રૂપે નહિ. અમીના જે આ કથાની નાયિકા છે, તેના મનનાં સંવેદનો એમાં નિરૂપિત થયાં છે; પણ નવલકથાને…
વધુ વાંચો >અમીબા
અમીબા : સમુદાય : પ્રજીવ (protozoa) વર્ગ મૂળપદી (Rhizopoda), શ્રેણી : લોબોઝા(lobosa)ની એક પ્રજાતિ અમીબા (Amoeba). ભારતમાં સામાન્યપણે મળી આવતું અમીબા A. proteusના નામે ઓળખાય છે. રંગ વગરનું, સ્વચ્છ, જેલી જેવું અને સતત આકાર બદલતું તે એકકોષી સૂક્ષ્મ પ્રાણી છે. અમીબા 0.2 મિમી.થી 0.6 મિમી. લંબાઈ ધરાવે છે. મીઠા પાણીનાં…
વધુ વાંચો >અમીબાજન્ય રોગ
અમીબાજન્ય રોગ (amoebiasis) : અમીબા (amoeba, અરૂપી) નામના એકકોષી (unicellular) પરજીવીથી થતો રોગ. તે મોટા આંતરડા અને યકૃતને નુકસાન કરે છે. તેના ઉગ્ર સ્વરૂપને મરડો કહે છે. અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ સારણી 1માં આપી છે. સારણી 1 : અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ જૂથ નામકરણ વૈજ્ઞાનિક સંઘ (phyllum) પ્રોટોઝોઆ (protozoa) ફોન સીબોલ્ડ (1845)…
વધુ વાંચો >અમીરખાં
અમીરખાં (જ. ?, રામપુર; અ. 1870, રામપુર, ઉત્તરપ્રદેશ) : તાનસેન વંશની પરંપરાના ભારતીય સંગીતકાર. આ વંશની વિશિષ્ટ પરંપરા મુજબ સંગીતકારને કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત બંનેની એક સાથે તાલીમ આપવામાં આવતી. ઓગણીસમી સદીના આવા અગ્રણી સંગીતકારોમાં અમીરખાં (રામપુર) નામથી જાણીતા બનેલા સંગીતકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમનો કંઠ મીઠો હોવાથી…
વધુ વાંચો >અમીરખાં (2)
અમીરખાં (2) (જ. 15 ઑગસ્ટ 1912, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 13 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ઇન્દોર ઘરાનાના અગ્રણી ગાયક. પિતા શાહમીરખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમની ઇચ્છા પુત્ર અમીરખાંને સારંગીવાદક બનાવવાની હતી, પરંતુ અમીરખાંએ સંજોગોવશાત્ કંઠ્ય સંગીત શીખવાનું પસંદ કર્યું. શાસ્ત્રીય સંગીતજગતમાં પિતાની ખ્યાતિને લીધે ઇન્દોરના તેમના નિવાસ…
વધુ વાંચો >અમીર ખુસરો
અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…
વધુ વાંચો >