ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

આત્મારામ ભૂખણ

Feb 5, 1989

આત્મારામ ભૂખણ : સત્તરમા સૈકાના અંતમાં સૂરતમાં શરૂ થયેલી શરાફી પેઢી. આ પેઢીના સ્થાપક વનમાળીદાસ મૂળ અમદાવાદના હતા, પણ સત્તરમા સૈકામાં સૂરત બંદર અને નગર વ્યાપારી અને શરાફી પ્રવૃત્તિઓથી ધબકતું હોઈ વનમાળીદાસે અમદાવાદથી સૂરતમાં સ્થળાંતર કર્યું હોવાનો સંભવ છે. વનમાળીદાસ, આત્મારામ, આત્મારામના બે પુત્રો : દયારામ અને ઝવેરચંદ, ઝવેરચંદના પુત્ર…

વધુ વાંચો >

આત્રેય

Feb 5, 1989

આત્રેય (જ. 7 મે 1921, મંગલમપડુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ; અ. 13 સપ્ટેમ્બર 1989, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક, નાટકકાર, નટ, સિનેકથાલેખક અને કવિ. ચિતુરમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી, તેઓ શિક્ષકના તાલીમ-વર્ગમાં જોડાયા, પણ એવામાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું અને અભ્યાસ છોડી તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. જેલમાં ગયા. જેલમાંથી છૂટીને તેમણે…

વધુ વાંચો >

આત્રેય પુનર્વસુ

Feb 5, 1989

આત્રેય પુનર્વસુ (ઈ. પૂ. 1500થી 1000) : આયુર્વેદના અત્યંત મહત્વના પ્રાચીન ગ્રંથ ‘ચરકસંહિતા’ના વક્તા. સંહિતાગ્રંથોમાં આત્રેય નામથી પુનર્વસુ આત્રેય, કૃષ્ણ આત્રેય અને ભિક્ષુક આત્રેય એમ ત્રણ ઋષિઓનો ઉલ્લેખ મળે છે. તેમાં પુનર્વસુ આત્રેય તે જ કૃષ્ણ આત્રેય એવું વિદ્વાનોનું માનવું છે. પુનર્વસુ આત્રેયનું બીજું એક નામ ‘ચંદ્રભાગી આત્રેય’ મળે છે…

વધુ વાંચો >

આથવણ

Feb 5, 1989

આથવણ (fermentation) : અજારક અથવા અવાયુક (anerobic) ઉપચયન (oxidation)અપચયન (reduction) પ્રક્રિયાઓ. સજીવોના શ્વસન સાથે સંકળાયેલી આ પ્રક્રિયાઓ, કાર્બોહાઇડ્રેટના વિઘટનથી શરીરની જાળવણી તથા વૃદ્ધિ માટે આવશ્યક કાર્ય-ઊર્જા (working energy) પૂરી પાડે છે. આથવણની પ્રક્રિયા દસેક હજાર વર્ષોથી જાણીતી છે. દ્રાક્ષ અને અન્ય શર્કરાયુક્ત પદાર્થોમાંથી મદ્યયુક્ત પીણાં (alcoholic drinks), સરકો (vinegar) વગેરે…

વધુ વાંચો >

આદમ્સ, જૉન કાઉચ

Feb 5, 1989

આદમ્સ, જૉન કાઉચ (જ. 5 જાન્યુઆરી 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.…

વધુ વાંચો >

આદમ્સ બ્રિજ

Feb 5, 1989

આદમ્સ બ્રિજ : ભારતના પૂર્વ કિનારે આવેલા રામેશ્વર ટાપુ અને મન્નારના અખાતની વચ્ચે લગભગ 21 કિમી. જેટલી લંબાઈની રેતીની એક પટ્ટી. પ્રચલિત માન્યતા મુજબ રામચંદ્ર ભગવાને શ્રીલંકામાં રાવણ ઉપર ચડાઈ કરવા જતી વખતે આ સેતુ રચેલ – કારણ, અહીં સમુદ્રનું પાણી તદ્દન છીછરું છે. આ પટ્ટીનો થોડો ભાગ ખોદીને સ્ટીમરો…

વધુ વાંચો >

આદર્શવાદ

Feb 5, 1989

આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં…

વધુ વાંચો >

આદર્શ વાયુ

Feb 5, 1989

આદર્શ વાયુ (perfect/ideal gas) : સામાન્ય વાયુ નિયમ, PV = KT પ્રમાણે વર્તનાર વાયુ. આ સમીકરણ અવસ્થા સમીકરણ (equation of state) તરીકે પણ ઓળખાય છે. દબાણ, કદ તથા નિરપેક્ષ તાપમાનના ફેરફાર દરમિયાન વાયુની સ્થૂળ વર્તણૂક સમજાવવા માટે તે પૂરતું છે. આ સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય, જ્યાં વાયુના જથ્થાને મોલમાં…

વધુ વાંચો >

આદવન, સુંદરમ્

Feb 5, 1989

આદવન, સુંદરમ્ (જ. 21 માર્ચ 1942, કલ્લિડ ઈકુરિરી, તામિલનાડુ; અ. 19 જુલાઈ 1987) : તમિળ સાહિત્યના સર્જક. આદવન સુંદરમ્ તેમનું ઉપનામ છે. મૂળ નામ કે. એસ. સુંદરમ્. તેમની કૃતિ ‘મુદલિલ ઈરવુ વરુમ’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક હતા અને તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

આદાન-પ્રદાન-વિશ્લેષણ

Feb 5, 1989

આદાન–પ્રદાન–વિશ્લેષણ (input-output analysis) : આંતર-ઔદ્યોગિક સંબંધોનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. આદાન-પ્રદાન ગુણોત્તર દ્વારા આવા સંબંધોનું વિશ્લેષણ કરી શકાય. આ પ્રકારના પૃથક્કરણને આંતર-ઉદ્યોગ સંબંધો, અંત:સ્રાવ-બહિ:સ્રાવ પૃથક્કરણ, સાધન-ઉત્પાદન કે સાધનનિરપેક્ષ વિશ્લેષણ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી વૅસીલી લેયૉન્ટયેફે અમેરિકાના અર્થતંત્ર માટે 1919, 1929 અને 1939નાં વર્ષોના…

વધુ વાંચો >