ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

આત્મકથા

Feb 4, 1989

આત્મકથા : જીવન અથવા જીવનચરિત્ર સાથે ગોત્રસંબંધ ધરાવતો સાહિત્યપ્રકાર. જીવનચરિત્ર તથા આત્મચરિત્રને ઇતિહાસ સાથે પણ સંબંધ છે. જીવનકથાનો લેખક કોઈ બીજી વ્યક્તિના જીવન વિશે લખતો હોય છે ત્યારે આત્મકથાનો લેખક પોતાના જીવન વિશે લખતો હોય છે. આત્મકથાનો લેખક પોતે જ પોતાની કથાનો નાયક હોય છે. પોતાના જીવન વિશે તેને પ્રત્યક્ષ…

વધુ વાંચો >

‘આત્મકથા’

Feb 4, 1989

‘આત્મકથા’ : જુઓ, સત્યના પ્રયોગો.

વધુ વાંચો >

આત્મગોપન

Feb 4, 1989

આત્મગોપન (camouflage) : પ્રાણીઓની સ્વરક્ષણાર્થે પર્યાવરણ સાથે એકરૂપતા. પ્રાણીઓ જુદા જુદા રંગો અથવા જુદા જુદા આકારો ધારણ કરીને, પશ્ચાદભૂમિના પદાર્થોની નકલ કરીને કે પોતાના શરીરમાંથી રંગ છોડીને – એમ વિવિધ રીતે સ્વરક્ષણ સાધવા અન્ય પ્રાણીઓથી અદૃશ્ય  બનવાનો પ્રયત્ન કરે છે. પ્રાણીઓના આ દેખાવ કે વર્તનને આત્મગોપન કહે છે. પ્રાણીઓમાં રંગધારણક્રિયા…

વધુ વાંચો >

આત્મજીવનચરિત

Feb 4, 1989

આત્મજીવનચરિત : ઓરિસાના આધુનિક સાહિત્યના પ્રણેતા ફકીરમોહન સેનાપતિ(1843-1916)ની આત્મકથા. જીવનની સંધ્યાએ લખાયેલી રોમાંચક જીવનની ઘટનાઓ એક નવલકથા જેવી આકર્ષક શૈલી ધરાવે છે. 1892માં આ આત્મકથા ‘સંબલપુર હિતૈષિની’ અને ‘બાલાસોર સંવાદવાહિકા’માં છપાઈ હતી. લોકભાષામાં લખાયેલી આત્મકથામાં શોષક અને શોષિત વર્ગ, જમીનદારો અને ખેડૂતોની એ સમયની દશાનું વર્ણન છે. વાર્તાના સ્વરૂપમાં લખાયેલી…

વધુ વાંચો >

આત્મનિમજ્જન

Feb 4, 1989

આત્મનિમજ્જન (1895, 1914, 1959) : અગાઉ ‘પ્રેમજીવન’ અને અભેદોર્મિ’ શીર્ષકથી અલગ ટુકડે પ્રગટ થયા પછી આ શીર્ષકથી સમગ્રરૂપે પ્રગટ થયેલો ગુજરાતી કવિતાસંગ્રહ. લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858-1898). તેની પહેલી આવૃત્તિમાં 40, બીજીમાં 45 અને ત્રીજી આવૃત્તિમાં 55 કૃતિઓ સંગ્રહાયેલી છે. તેમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો છે. મણિલાલે…

વધુ વાંચો >

આત્મનિર્ણયનો અધિકાર

Feb 4, 1989

આત્મનિર્ણયનો અધિકાર : પ્રત્યેક રાષ્ટ્રને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો નિર્ધારિત કરવા અંગે મળતો નિર્ણાયક અધિકાર. દરેક રાષ્ટ્રને પોતાના રાજકીય ભાગ્યનો નિર્ણય કરવાનો આ અધિકાર છે. જે રાજ્યમાં એક કરતાં વધારે રાષ્ટ્રીયતા હોય તે દરેક રાષ્ટ્રીયતાને પોતાનું અલાયદા રાજ્ય સ્થાપવાનો અધિકાર મળે છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધ (1914-18) દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સને આત્મનિર્ણયના અધિકારની…

વધુ વાંચો >

આત્મસાતીભવન

Feb 4, 1989

આત્મસાતીભવન (assimilation) : મિશ્ર બંધારણવાળા (સંકર) ખડકો ઉત્પન્ન કરતી પ્રક્રિયા. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાથી અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. સ્થળ, કાળ અને સંજોગો અનુસાર ઉત્પન્ન થતો મૅગ્મા બેઝિક કે એસિડિક બંધારણવાળો હોઈ શકે છે અને તેનું તાપમાન 12500 સે.થી 6000 સે. સુધીના કોઈ પણ વચગાળાનું હોઈ શકે છે. કોઈ…

વધુ વાંચો >

આત્મસિદ્ધિશાસ્ત્ર

Feb 4, 1989

આત્મસિદ્ધિશાસ્ત્ર : શ્રીમદ્ રાજચંદ્રજીલિખિત ગ્રંથ. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા થયેલી વિનંતીના કારણે માત્ર દોઢ-બે કલાકમાં ષડ્દર્શનના સારરૂપ 142 ગાથાનું વિવેચન કરતો ગ્રંથ એકી કલમે લખાયો. શ્રીમદની આ પરમાર્થ ગંભીર પદ્યરચના અદભુત તત્ત્વકળાથી ગૂંથાયેલી છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની વિશેષતા એ છે કે તે માત્ર તાર્કિક બુદ્ધિનું સર્જન નથી,…

વધુ વાંચો >

આત્મસ્તુતિ

Feb 4, 1989

આત્મસ્તુતિ (autism) : જુઓ, મનોવિશ્લેષણ

વધુ વાંચો >

આત્મા

Feb 4, 1989

આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…

વધુ વાંચો >