ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

અંડકોષમોચન

Jan 28, 1989

અંડકોષમોચન (ovulation) : અંડગ્રંથિમાંથી અંડકોષનું છૂટા પડવું. ફલનકાળ(child-bearing age)માં સામાન્યત: દર ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત થાય છે. અંડનળીની તાંત્વિકાઓ (fimbria) તનુતંતુતરંગ અથવા કશાતરંગ (ciliary current) વડે અંડકોષનો અંડનળીમાં પ્રવેશ કરાવે છે. શુક્રકોષના સંગમથી અંડનળીમાં અંડકોષ ફલિત થાય છે. અંત:સ્રાવોની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા અને તેની અંતર્દીવાલના કોષો…

વધુ વાંચો >

અંડગ્રંથિકોષ્ઠ

Jan 28, 1989

અંડગ્રંથિકોષ્ઠ (ovarian cyst) : અંડગ્રંથિ(ovary)ની પ્રવાહી ભરેલી ગાંઠ. ક્યારેક અંડગ્રંથિની પેશીના કાર્યની વિષમતા કોષ્ઠ સર્જે છે. આવા કોષ્ઠને વિષમ-કાર્યશીલ (dysfunctional) કોષ્ઠ કહે છે. તે ત્રણ પ્રકારના હોય છે : (1) પુટિકા (follicular) કોષ્ઠ : જો તે કાર્યશીલ હોય તો અંત:સ્રાવ (hormone) ઉત્પન્ન કરે છે. તેથી ગર્ભાશયમાંથી લોહી પડવાનો, રુધિરસ્રાવી ગર્ભાશય-વ્યાધિ…

વધુ વાંચો >

અંડનળીબંધન અને પુનર્રચના

Jan 28, 1989

અંડનળીબંધન અને પુનર્રચના (tubal ligation and reconstruction) : ગર્ભધારણ રોકવા માટે અંડનળી(fallopian tube)ને બાંધી દેવી અને જરૂર પડે ત્યારે ગર્ભધારણહેતુથી તેને ફરીથી કાર્યાન્વિત કરવી તે. સામાન્ય રીતે ગર્ભધારણ કાયમી ધોરણે રોકવા માટે અંડનળી-બંધનની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ માટે છેલ્લાં 30 વર્ષોમાં ભારતમાં ૩ કરોડ સ્વૈચ્છિક શસ્ત્રક્રિયાઓ થઈ છે. કેટલાક…

વધુ વાંચો >

અંડેરી ગંડેરી ટીપરી ટેન

Jan 28, 1989

અંડેરી ગંડેરી ટીપરી ટેન (1966) : ગુજરાતી બાળનાટક. લેખિકા : ધીરુબહેન પટેલ. બહુ ઓછાં લાંબાં ગુજરાતી બાળનાટકોમાંનું એક. એના બાળપાત્ર નન્નુભાઈને એકથી નવ સુધીનાં દરેક અંક પોતપોતાના દેશમાં લઈ જાય છે અને એક સૂરજ, એક ચંદ્રથી માંડી નવ રત્નો અને નવ તારા સુધીના ઝૂમખાનો પરિચય કરાવી, એકથી નવ સુધીનું શિક્ષણ…

વધુ વાંચો >

અંડોરા

Jan 28, 1989

અંડોરા : ફ્રાન્સ અને સ્પેનની સરહદો વચ્ચે આવેલો, 1288થી સ્વતંત્ર રહેલો વિશ્વનો એક નાનો દેશ. રાજધાની : અંડોરા લા વેલ્લા જેની વસ્તી 22,256 (2011). વિસ્તાર : 464 કિમી. તે ઊંચા પર્વતો અને ઊંડી ખીણોનો બનેલો છે. સૌથી ઊંચું શિખર કોમા પેડ્રોસા (2336 મી.) છે. દેશની માત્ર 4 % જમીન જ…

વધુ વાંચો >

અંડોરા લા વેલ્લા

Jan 28, 1989

અંડોરા લા વેલ્લા : ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલા અંડોરા દેશનું પાટનગર. વસ્તી : 22,387 (1993). વાલિરા અને રિયુ વાલિરા દેલ નોર્તે નદીઓના સંગમ નજીક તે વસેલું છે. લગભગ 193૦ સુધી અંડોરા લા વેલ્લા દુનિયાના અન્ય ભાગો સાથે ઝાઝો સંપર્ક ધરાવતું ન હતું. પ્રવાસન-ઉદ્યોગ ખીલતાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ શહેરની…

વધુ વાંચો >

અંતરમાપક ઉપકરણો

Jan 28, 1989

અંતરમાપક ઉપકરણો (distance measuring instruments) બે બિંદુઓ વચ્ચેનું અંતર ચોકસાઈપૂર્વક માપવાનાં વૈજ્ઞાનિક સાધનો. અંતરમાપનનું કાર્ય પૃથ્વીની સપાટી ઉપર, અવકાશમાં, સમુદ્રના જળમાં અથવા પૃથ્વીના પડમાં કરવાનું જરૂરી બને છે. આ અંતરોનો વ્યાપ અતિસૂક્ષ્મ પરમાણુ-અંતરો(10-8થી 10-30 સેમી.)થી માંડીને અતિવિશાળ ખગોલીય અંતરો (106થી 1010 પ્રકાશવર્ષ) સુધી પથરાયેલો છે. તેથી વિવિધ માત્રા(magnitude)ની લંબાઈના એકમો…

વધુ વાંચો >

અંતરંગ

Jan 28, 1989

અંતરંગ : પાણિનીય વ્યાકરણની પરિભાષાનો એક શબ્દ. સામાન્ય અર્થ ‘નજીકનું કે અંદરનું અંગ’. પાણિનીય વ્યાકરણનાં સૂત્રો પાંચ સ્વરૂપે કાર્ય સાધે છે. તેમાં પછીનું સૂત્રસ્વરૂપ આગલા સૂત્રસ્વરૂપ કરતાં બળવાન હોય છે, તેથી જ્યારે પરસ્પર બે સૂત્રોનો વિરોધ ઊભો થાય ત્યારે તે તે સૂત્રના સ્વરૂપનો ખ્યાલ રાખીને કાર્ય સાધવામાં આવે છે. (1)…

વધુ વાંચો >

અંતરા

Jan 28, 1989

અંતરા (જ. 525; અ. 615) : આરબ કવિ. નામ અંતરા. અટક અબૂ અલ્ મુગલ્લસ. તેની મા હબસી ગુલામ અને પિતા કબીલા અબસનો સરદાર શદ્દાદ હતો. અંતરા કાળા રંગનો હોવાથી કબીલાના લોકો અને તેનો પિતા તેને તુચ્છ ગણતા; પરંતુ ‘દાહિસ’ની લડાઈ(ઈ. સ. 568-608)માં તલવાર અને વીરતાનું પ્રદર્શન કરવાથી અને તેનાં શૌર્યપૂર્ણ…

વધુ વાંચો >

અંતરાલ

Jan 28, 1989

અંતરાલ : મંદિરોના સ્થાપત્યમાં લગભગ સાતમી સદી સુધી ગર્ભગૃહ અને મંડપ વચ્ચે જગ્યા રહેતી અને બંનેનું બાંધકામ કશા જ જોડાણ વગર કરવામાં આવતું (દા.ત., મોઢેરાનું સૂર્યમંદિર). આ બંને ભાગોને જોડતા ભાગને અંતરાલ કહેવામાં આવે છે, જેનાથી મંદિરોની ઇમારતોનું બાંધકામ અને આકાર સંયોજિત રીતે થવા લાગેલાં. તેથી સભામંડપ અને ગર્ભગૃહને જોડતા…

વધુ વાંચો >