ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અસમિયા ભાષા અને સાહિત્ય

Jan 23, 1989

અસમિયા ભાષા અને સાહિત્ય અસમિયા ભાષા : ઇન્ડો-આર્યન ભાષાસમૂહની એક ભાષા અને તેનું સાહિત્ય. ભારતના આસામ રાજ્યના બ્રહ્મપુત્રના ખીણપ્રદેશમાં તે બોલાય છે, અને માગધી અપભ્રંશમાંથી એ ઉત્પન્ન થઈ છે. અસમિયા ભાષાની બે શાખાઓ છે : પૂર્વ અસમિયા અને પશ્ચિમ અસમિયા. પૂર્વ અસમિયા ભાષા સદિયાથી ગુવાહાટી (ગૌહત્તી) સુધી લગભગ 65૦ કિમી.…

વધુ વાંચો >

અસરકારક તાપમાન

Jan 23, 1989

અસરકારક તાપમાન (effective temperature) : ખગોલીય જ્યોતિ(astronomical body)ની સમગ્ર સપાટી ઉપરથી ઉત્સર્જિત થતાં બધાં વિકિરણોના માપન વડે નક્કી થતું તે જ્યોતિની સપાટીનું સરેરાશ તાપમાન. સ્ટીફન-બોલ્ટ્સમાન કે પ્લાંકના વિકિરણોના નિયમો અનુસાર, જ્યોતિ દ્વારા ઉત્સર્જિત વિકિરણોની ઊર્જા અને તેની સપાટીનું તાપમાન પરસ્પર સંકળાયેલાં છે. આમાં ધારણા એવી છે કે ખગોલીય જ્યોતિ સંપૂર્ણ…

વધુ વાંચો >

અસહકાર

Jan 23, 1989

અસહકાર : અનિષ્ટ સામેના પ્રતિકારનું ગાંધીપ્રયુક્ત અહિંસક શસ્ત્ર. સત્ય અને અહિંસા જેમ અનાદિકાળથી ચાલ્યાં આવે છે તેમ અનિષ્ટ પણ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એના સ્વરૂપ વિશે જુદા જુદા ધર્મોની જુદી જુદી માન્યતાઓ છે. બૌદ્ધ અને જૈન ધર્મ અનિષ્ટને સત્ય તરીકે સ્વીકારે છે, જ્યારે હિંદુ ધર્મ તેને મિથ્યા તરીકે ઓળખાવે છે.…

વધુ વાંચો >

અસંગ (ચોથી શતાબ્દી)

Jan 23, 1989

અસંગ (ચોથી શતાબ્દી) : બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદના પ્રવર્તક આચાર્ય. જન્મ પુરુષપુર(પેશાવર)માં બ્રાહ્મણકુળમાં. એમનું ગોત્ર કૌશિક. એમના નાના ભાઈ અભિધર્મકોશકાર વસુબન્ધુ હતા. પહેલાં તો સૌત્રાન્તિક વલણ ધરાવતા હતા, પણ પછી તે મહાયાની થયા હતા. એમના ગુરુ મૈત્રેયનાથ યોગાચાર-વિજ્ઞાનવાદના પ્રસ્થાપક છે. ‘મહાયાન-સૂત્રાલંકાર’ આ ગુરુ-શિષ્યની કૃતિ છે. મૂળ ભાગ મૈત્રેયનાથનો ને ટીકાભાગ આચાર્ય…

વધુ વાંચો >

અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર

Jan 23, 1989

અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર (unorganised or informal sector) : સામાજિક પ્રક્રિયાઓ અને પરિબળો પર અસર કરવામાં મહદ્અંશે અશક્તિમાન તથા આર્થિક, સામાજિક અને રાજકીય વંચિતતાથી સતત પીડાતા, ભિન્ન ભિન્ન વ્યવસાયોમાં વીખરાયેલા ઉપેક્ષિત સમૂહો. વિશાળ સંખ્યા ધરાવતા આવા અસંગઠિત સમૂહો અલ્પવિકસિત સમાજનું એક લક્ષણ છે. વાસ્તવમાં સંઘશક્તિના અભાવ ઉપરાંત ન્યાયોચિત અને કાયદામાન્ય અધિકારોના ઉપભોગથી…

વધુ વાંચો >

અસંગત પાણી

Jan 23, 1989

અસંગત પાણી (anomalous, ortho or poly water) : રશિયન રસાયણશાસ્ત્રી ફેડ્યાકિને 1962માં બંને છેડે બંધ કાચની અથવા ક્વાર્ટ્ઝની કેશનળી(capillary)માં વરાળને ઠારીને મેળવેલું અસામાન્ય ગુણો ધરાવતું પાણી. તેના અગત્યના ગુણધર્મો નીચે પ્રમાણે હતા : (1) નીચું બાષ્પદબાણ. (2) –4૦° સે. કે તેથી નીચા ઉષ્ણતામાને ઠારતાં કાચરૂપ (glassy) ઘન મળે છે. (૩)…

વધુ વાંચો >

અસંગતિ

Jan 23, 1989

અસંગતિ (unconformity) (ભૂસ્તરશાસ્ત્ર) : બે સ્તરશ્રેણી વચ્ચેની નિક્ષેપ – રચનાનો સાતત્યભંગ. જુદા જુદા પ્રકારની અસંગતિના અર્થઘટન માટે મુખ્યત્વે ત્રણ દૃષ્ટિબિંદુઓ લક્ષમાં લેવાય છે : (1) કાળ (time) : જે કાળગાળા દરમિયાન એક અસંગતિ-રચનાનો વિકાસ થઈ શકે, તેમાં બિલકુલ નિક્ષેપક્રિયા થતી નથી. આ સંકલ્પના નિક્ષેપક્રિયા અને કાળ બંનેને સાથે મૂલવે છે,…

વધુ વાંચો >

અસંધિમિત્રા

Jan 23, 1989

અસંધિમિત્રા (જ. ?; અ. ઈ. પૂ. 238) : મૌર્ય સમ્રાટ અશોકની એક રાણી. શ્રીલંકાના પાલિ ગ્રંથોની અનુશ્રુતિ અનુસાર એ અશોકની અગ્રમહિષી (પટરાણી) હતી. આ પરથી એનું ખરું નામ આસંદીમિત્રા (રાજ્યારોહણ સમયની ધર્મપત્ની) હોવાનું સૂચવાયું છે. એ વિદિશાની રાણી દેવીથી ભિન્ન છે. અસંધિમિત્રા અશોકના રાજ્યના ૩૦મા વર્ષે મૃત્યુ પામી હતી. હરિપ્રસાદ…

વધુ વાંચો >

અસંયોગી જનન (પ્રાણીશાસ્ત્ર)

Jan 23, 1989

અસંયોગી જનન (પ્રાણીશાસ્ત્ર) (parthenogenesis) : અફલિત જનનકોષનો થતો સ્વયંસ્ફુરિત વિકાસ. અસંયોગી જનનની ઘટના એ ગર્ભવિદ્યાની જટિલ સમસ્યા છે. તેની સૌપ્રથમ શોધ બોનેટે 1762માં કરી; તેણે શોધ્યું કે ઉનાળા દરમિયાન મશી કીટકો ફક્ત અફલિત અંડકોષોમાંથી ઉત્પન્ન થાય છે. અસંયોગી જનનની ઘટના પ્રાણીઓમાં તેમજ વનસ્પતિમાં પણ જોવા મળે છે. અસંયોગી જનન દરમિયાન…

વધુ વાંચો >

અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર)

Jan 23, 1989

અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર) (apomixis) : ફલીકરણ વગરનું પ્રજનન. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે. એક તે જન્યુજનક જેમાં નર જન્યુ અને માદા જન્યુના મિલનથી યુગ્મક (zygote) બને અને તેમાંથી પુખ્તભ્રૂણ બને. બીજી અવસ્થા તે બીજાણુજનક જેમાં બીજાણુઓ (spore) બને. બીજાણુ પોતે જ ફલન વિના સ્વયં વનસ્પતિ…

વધુ વાંચો >