ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અવરોધ
અવરોધ (resistance) : વિદ્યુત-પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના માર્ગમાં આવતું નડતર. અવરોધનું કાર્ય વિદ્યુતપ્રવાહને અવરોધવાનું છે. આથી વિદ્યુત-પરિપથમાં અવરોધને પાર કરવા માટે પૂરતા પ્રબળ વિદ્યુતચાલક બળ(electromotive force)ની જરૂર પડે છે. આવું વિદ્યુતચાલક બળ વિદ્યુતપ્રવાહનું નિર્માણ કરતા વિદ્યુતભારોને ઊર્જા પૂરી પાડે છે. વાહકના અવરોધને કારણે ઊર્જાનો વ્યય થતો હોય…
વધુ વાંચો >અવરોહી પવનો
અવરોહી પવનો (katabatic winds) : પર્વતોના ઢોળાવની દિશામાં અને ખીણોમાં ફૂંકાતા સ્થાનીય ઠંડા પવનો. દક્ષિણ ધ્રુવ પ્રદેશ અને ગ્રીનલૅન્ડ જેવા બરફ-આચ્છાદિત ઉચ્ચ પ્રદેશમાંથી પણ આવા ઠંડા પવનો બહારની બાજુ (outward) ફૂંકાય છે. સામાન્ય રીતે રાત્રિના સમયે જમીનની સપાટી વિકિરણથી ઠંડી પડતાં હવાના નીચેના સ્તરો ઠંડા પડે છે અને તેમની ઘનતા…
વધુ વાંચો >અવર્ણકતા ત્વકીય
અવર્ણકતા, ત્વકીય (albinism) : ચામડીમાં શ્યામ કણોની ઊણપ. ચામડી, વાળ તથા આંખના નેત્રપટલ(iris)ના કૃષ્ણ કોષો(melanocytes)માં રહેલા કૃષ્ણવર્ણક(melanin pigment)ના કણો તેમને કાળાશ આપે છે. કૃષ્ણવર્ણકની ઊણપ આખા શરીરમાં અથવા કોઈ એક ભાગમાં હોય ત્યારે ત્વકીય અવર્ણકતા થાય છે. તેથી તે વ્યક્તિ ભૂરિયો લાગે છે. આ એક વારસાગત રોગ છે. આખું ને…
વધુ વાંચો >અવલોકના
અવલોકના (1965) : ગુજરાતી કવિ સુન્દરમનો 1968નો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પામેલો વિવેચનસંગ્રહ. સુન્દરમ્ વેધક પર્યેષકદૃષ્ટિ છે. એમના વિવેચનલેખોના સંગ્રહોમાં ‘અવલોકના’નું સ્થાન ઊંચું છે. એમાંના ‘બ.ક.ઠા.ની કવિતાસમૃદ્ધિ’, ‘શેષનાં કાવ્યો’, ‘પારિજાત’, ‘રમણલાલ દેસાઈની કવિતા’, ‘શંકિત હૃદય’ અને ‘સંયુક્તા’ વગેરે લેખોમાં એમણે ખ્યાતનામ ગુજરાતી લેખકોની કૃતિઓની તથા તેમના સર્જનકાર્યની તટસ્થતાથી ચકાસણી કરી…
વધુ વાંચો >અવલોકિતેશ્વર
અવલોકિતેશ્વર : મહાન બોધિસત્વ. અવલોકિતેશ્વરના સામાન્યત: ચાર અર્થો થાય છે : (1) માનવને જે કંઈ દેખાય છે તેના સ્વામી, (2) પ્રચલિત સ્થાનના સ્વામી, (3) માનવને દેખાતા ઈશ્વર, (4) જેનો સાક્ષાત્કાર થયો છે તેવો ઈશ્વર. ટિબેટ અને ભારતના વિદ્વાનોના મતાનુસાર અવલોકિતેશ્વર એટલે માનવીઓ પ્રત્યે કરુણાદૃષ્ટિથી જોનારો ઈશ્વર. એ બધી બાજુએથી બધું…
વધુ વાંચો >અવશિષ્ટ અંગો
અવશિષ્ટ અંગો (vestigial organs) : આરંભે ક્રિયાશીલ પરંતુ વિકાસપ્રક્રિયા દરમિયાન નિરર્થક બનીને અવશેષ રૂપે જોવા મળતાં સજીવોનાં અંગો. વનસ્પતિ અને પ્રાણીઓમાં આવાં અવશિષ્ટ અંગો જણાય છે. આ એવાં અંગો છે જે સમય જતાં અનુપયોગી બનીને માત્ર ક્ષીણ સ્વરૂપમાં રહે છે. આ જ અંગો ભૂતકાળમાં તેમના સંબંધી સજીવોમાં કે પૂર્વજોમાં નિશ્ચિત…
વધુ વાંચો >અવશિષ્ટ નિક્ષેપો
અવશિષ્ટ નિક્ષેપો (residual deposits-rocks) : વિભંજન અને વિઘટન જેવી ભૌતિક-રાસાયણિક ખવાણની સતત અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજ જથ્થાઓમાંનાં ઘટકદ્રવ્યો નરમ પડીને ક્રમે ક્રમે એકબીજાંથી મુક્ત થતાં જાય છે. આ પૈકીનાં આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખનિજદ્રવ્યો દ્રાવણ સ્વરૂપે પાણીના પરિબળ દ્વારા અને સૂક્ષ્મ દ્રવ્યો પાણી તેમજ પવનના પરિબળ દ્વારા સ્થાનાંતરિત થતાં…
વધુ વાંચો >અવશિષ્ટ વિકિરણ
અવશિષ્ટ વિકિરણ (residual radiation, restrahlen) : પારદર્શક સ્ફટિકની સપાટી ઉપર પડતા પ્રકાશની આવૃત્તિ (frequency) અને સ્ફટિકનાં આયનોની કંપન-આવૃત્તિ (frequency of vibrations of ions) લગભગ સમાન હોય ત્યારે વરણાત્મક રીતે (selectively) પરાવર્તિત થતો પ્રકાશ. Restrahlen શબ્દ જર્મન ભાષાનો છે. પારદર્શક સ્ફટિક ઉપર પડતા પ્રકાશનો મોટોભાગ તેમાંથી પસાર થઈ જાય છે, કેટલોક…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >
અવલોક
અવલોક (દશમી શતાબ્દીનો અંત; વાક્પતિરાજ મુંજનો શાસન- કાળ) : ‘દશરૂપક’ ઉપરની ધનિક-રચિત ટીકા. ધનંજય-રચિત ‘દશરૂપક’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ચાર પ્રકાશ (પ્રકરણ) અને લગભગ 3૦૦ કારિકાઓમાં લખાયેલા આ ગ્રંથમાં નાટ્યશાસ્ત્રના આધારે રૂપકો(નાટ્ય)ના ભેદ, ઉપભેદ આદિનું નિરૂપણ છે અને ચતુર્થ પ્રકાશમાં રસોનું નિરૂપણ છે. આ જ ‘દશરૂપક’ની કારિકાઓ ઉપર ધનંજયના…
વધુ વાંચો >