ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >માનસરોવર
માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…
વધુ વાંચો >માનસિક યુદ્ધ
માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ…
વધુ વાંચો >માનસિક વય
માનસિક વય : માનસિક વય અથવા માનસિક આયુની સંકલ્પના પ્રથમ વાર ફ્રેન્ચ મનોવિજ્ઞાની બિને(Binet)એ પોતાની પ્રથમ બુદ્ધિ-કસોટીઓ રજૂ કરતાં આપી હતી. 1905ની પ્રથમ આવૃત્તિની મૂળ કસોટીઓની 1908માં થયેલી બીજી આવૃત્તિમાં નકામી જણાયેલી કસોટીઓ કાઢી નાખી બાકીની કસોટીઓને તેણે ઉંમરના ક્રમમાં વહેંચી અને એ રીતે પ્રથમ વય-માપદંડ (age scale) તૈયાર કર્યો.…
વધુ વાંચો >માનસિંગ, સોનલ
માનસિંગ, સોનલ (જ. 30 એપ્રિલ 1944) : સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના. સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં જન્મ. પિતા અરવિંદ પકવાસા અને માતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસાના ઉછેર સાથે સ્વાતંત્ર્ય-સેનાની અને વિવિધ સ્થળે ગર્વનર તરીકે રહી ચૂકેલ દાદા મંગળદાસ પકવાસાનો તેમના વ્યક્તિત્વઘડતરમાં ઠીક ઠીક ફાળો હતો. રૂપ, ગુણ અને બુદ્ધિનો સુમેળ ધરાવતાં સોનલે…
વધુ વાંચો >માનસિંહ, રાજા
માનસિંહ, રાજા (જ. ? અ. 1614) : અંબર(હાલનું જયપુર)ના રાજા બિહારીમલના દત્તક પુત્ર રાજા ભગવાનદાસનો ભત્રીજો અને દત્તક પુત્ર. રાજા બિહારીમલની પુત્રીનાં લગ્ન અકબર સાથે કર્યા બાદ, માનસિંહને મુઘલ દરબારમાં ઊંચા હોદ્દા પર નીમવામાં આવ્યો હતો. એપ્રિલ 1576માં અકબરે મેવાડના રાણા પ્રતાપ સામે લડવા રાજા માનસિંહ તથા આસફખાનને મોકલ્યા હતા.…
વધુ વાંચો >માનસી
માનસી : વિજયરાય વૈદ્ય-સંપાદિત સામયિક. વિવેચક, નિબંધકાર અને સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કરનાર શ્રી વિજયરાય વૈદ્યે 1935માં ડેમી કદમાં ‘માનસી’ ત્રૈમાસિકનો પ્રારંભ કર્યો. આ સામયિકને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવ્યું. ‘માનસી’ એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એમ કહ્યું. આ પૂર્વે 1924થી 1935 સુધી તેમના તંત્રીપદ હેઠળ ‘કૌમુદી’ માસિક પ્રગટ થતું…
વધુ વાંચો >માનાગુઆ
માનાગુઆ : મધ્ય અમેરિકાનો પ્રાદેશિક વિસ્તાર તથા નિકારાગુઆ દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. માનાગુઆ પ્રદેશ નૈર્ઋત્ય નિકારાગુઆનો 3,597 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની નૈર્ઋત્યમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. આ પ્રદેશનું મહત્વનું ભૂપૃષ્ઠ-લક્ષણ તેની વચ્ચે આવેલું માનાગુઆ સરોવર છે. આ…
વધુ વાંચો >માનાગુઆ સરોવર
માનાગુઆ સરોવર : પશ્ચિમ નિકારાગુઆમાં લિયૉન અને માનાગુઆ વચ્ચે આવેલું સરોવર. સ્થાનિક નામ લાગો દ માનાગુઆ. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. આ સરોવર ફાટખીણ સ્વરૂપનું છે. 39 મીટરની ઊંચાઈ પર રહેલું આ સરોવર આશરે 10 મીટરની ઊંડાઈવાળું, 58 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળું અને 25…
વધુ વાંચો >માને, એદુઅર્દ
માને, એદુઅર્દ (Manet, EDOUARD (mah-nay’, ay-dwahr) (જ. 23 જાન્યુઆરી 1832, પૅરિસ; અ. 30 એપ્રિલ 1883) : પ્રસિદ્ધ ફ્રૅન્ચ ચિત્રકાર. પ્રભાવવાદી (impressionist) શૈલીના પ્રણેતા અને ચિત્રની પ્રક્રિયા તરફ દર્શકનું ધ્યાન ખેંચવા માટે થઈને ‘ચિત્ર એ રંગથી આલેખિત સ્પષ્ટ ભૂમિ છે’ એવા ખ્યાલનો પ્રથમ પુરસ્કર્તા. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા ન્યાય-મંત્રાલયમાં ઉચ્ચ હોદ્દો…
વધુ વાંચો >માને, લક્ષ્મણ
માને, લક્ષ્મણ (જ. 1949) : મરાઠી લેખક. ‘ઉપરા’ નામની તેમની જીવનકથાને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ મહારાષ્ટ્ર સરકારના સહકાર વિભાગમાં સતારા ખાતે સેવા આપતા હતા. પુણે ખાતેની કેસરી મરાઠા સંસ્થાના એન. સી. કેલકર પુરસ્કારના પણ તેઓ વિજેતા બન્યા હતા, અને તેમને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી સ્કૉલરશિપ મળી હતી.…
વધુ વાંચો >