ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મહેતા, કપિલરાય
મહેતા, કપિલરાય (જ. 9 માર્ચ 1911, ભાવનગર; અ. 1970, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર. કપિલરાય મહેતાનો જન્મ નાગર જ્ઞાતિમાં મનવંતરાય મહેતાને ત્યાં થયો હતો. 1923માં વિલેપારલેની રાષ્ટ્રીય શાળામાં દાખલ થઈ માધ્યમિક શિક્ષણ લીધું. અહીંના વાતાવરણથી તેઓ ચુસ્ત ગાંધીવાદી બન્યા. તેમણે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણમાં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી.…
વધુ વાંચો >મહેતા, કલ્યાણજીભાઈ
મહેતા, કલ્યાણજીભાઈ (જ. 7 નવેમ્બર 1890, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 11 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની, સમાજસેવક, મુંબઈ અને ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ. કલ્યાણજી પટેલના પિતા વિઠ્ઠલભાઈ સમૃદ્ધ ખેડૂત અને વેપારી હતા. તેમના મોટા ભાઈ કુંવરજી નામાંકિત સમાજસુધારક અને રાષ્ટ્રવાદી કાર્યકર હતા. કલ્યાણજીએ વાંઝની પ્રાથમિક શાળામાં અને અમદાવાદની પ્રેમચંદ…
વધુ વાંચો >મહેતા, કાશીરામ લલ્લુભાઈ
મહેતા, કાશીરામ લલ્લુભાઈ (જ. 1895, વલભીપુર; અ. 17 મે 1959, અમદાવાદ) : ભારતના મુક્તિસંગ્રામના અદના સૈનિક, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક, કેળવણીકાર. પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષણ લીધું. પત્ની નર્મદાબહેન શિક્ષક તરીકે શરૂઆત વલભીપુરમાં. દરબારી શાળામાં બે રૂપિયાના માસિક પગારથી શિક્ષક રહ્યા. સોનગઢ ગુરુકુળમાં પણ હતા; પરંતુ ખીરસરાની શાળામાં બાળકોને…
વધુ વાંચો >મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ
મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ (જ. 1886, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 18 ફેબ્રુઆરી 1982, મુંબઈ) : સૂરત જિલ્લાના લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત, સમાજસુધારક. વાંઝ ગામે અભ્યાસ કરીને ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા. બંગભંગની ચળવળ (1905) વખતથી તેઓ દેશસેવા કરવા લાગ્યા અને સ્વદેશી પ્રચારનું કાર્ય શરૂ કર્યું. 1907માં સૂરતમાં ભરાયેલા…
વધુ વાંચો >મહેતા, કેતન
મહેતા, કેતન (જ. 22 જુલાઈ 1952, નવસારી) : ભારતના અગ્રણી પ્રયોગલક્ષી ચલચિત્ર-દિગ્દર્શક અને નિર્માતા. પિતાનું નામ ચંદ્રકાન્ત મહેતા, જેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયા. કેતન મહેતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ દિલ્હીમાં થયું. ત્યાંની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે દિલ્હી…
વધુ વાંચો >મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ
મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ (જ. 1874, સૂરત; અ. 1951) : જીવનચરિત્રકાર, નિબંધકાર. એમનાં માતા હરદયાગૌરી; પિતા વિઘ્નહરરામ બલરામ. એમનું શિક્ષણ સૂરતમાં. ઈ. સ. 1889માં તેમણે સૂરતની હાઇસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી ઈ. સ. 1892માં બી.એ.ની પરીક્ષા તેમણે ભાષા અને સાહિત્યને ઐચ્છિક વિષયો…
વધુ વાંચો >મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ
મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ (જ. 15 એપ્રિલ 1900, અમદાવાદ; અ. 28 એપ્રિલ 1974, મુંબઈ) : પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા કુશળ વહીવટદાર તથા અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ એલચી. પિતા લલ્લુભાઈ શામળદાસ ભાવનગર રિયાસતના દીવાન હતા. તેમની માતાનું નામ હતું સત્યવતી. 1917માં મુંબઈની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1921માં ત્યાંની જ એલ્ફિન્સ્ટન…
વધુ વાંચો >મહેતા, ગિરધરલાલ દયારામ
મહેતા, ગિરધરલાલ દયારામ (જ. 5 સપ્ટેમ્બર 1879, માળવા; અ. 18 જાન્યુઆરી 1966, વિસનગર) : ઉત્તર ગુજરાતના જાણીતા સમાજસેવક. વિસનગરના નાગર પરિવારમાં જન્મેલા ગિરધરલાલ પિતાના દ્વિતીય પુત્ર હતા. પ્રાથમિક શિક્ષણ આબુ અને વિસનગરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવીને 1896માં તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ત્યારપછી સરકારી કૉલેજમાં દાખલ થયા, પરંતુ કુટુંબની…
વધુ વાંચો >મહેતા, ગિરધારીલાલ
મહેતા, ગિરધારીલાલ (જ. 13 જાન્યુઆરી 1907, વારાણસી; અ. 4 જુલાઈ 1988, કૉલકાતા) : ભારતના અગ્રણી વ્યાપારી અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ વારાણસી અને કૉલકાતામાં લીધું હતું. 1922માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમની બળદેવદાસ શાલિગ્રામની પેઢી કઠોળ, તેલીબિયાં અને કપાસની દલાલી કરી અંગ્રેજ કંપનીઓને તે નિકાસ માટે પૂરાં…
વધુ વાંચો >મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ
મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ (જ. 11 નવેમ્બર 1911, ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતી વિવેચક, અનુવાદક. વતન સરસ (જિ. સૂરત). ઈ.સ. 1931માં મૅટ્રિક થયા પછી 1935માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે બી. એ. 1937માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ત્યારબાદ પીએચ.ડી. 1937થી ’45 સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને 1946થી ’61 સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના…
વધુ વાંચો >