ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ

Jan 17, 2002

મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ (જ. 1874, સૂરત; અ. 1951) : જીવનચરિત્રકાર, નિબંધકાર. એમનાં માતા હરદયાગૌરી; પિતા વિઘ્નહરરામ બલરામ. એમનું શિક્ષણ સૂરતમાં. ઈ. સ. 1889માં તેમણે સૂરતની હાઇસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી ઈ. સ. 1892માં બી.એ.ની પરીક્ષા તેમણે ભાષા અને સાહિત્યને ઐચ્છિક વિષયો…

વધુ વાંચો >

મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ

Jan 17, 2002

મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ (જ. 15 એપ્રિલ 1900, અમદાવાદ; અ. 28 એપ્રિલ 1974, મુંબઈ) : પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા કુશળ વહીવટદાર તથા અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ એલચી. પિતા લલ્લુભાઈ શામળદાસ ભાવનગર રિયાસતના દીવાન હતા. તેમની માતાનું નામ હતું સત્યવતી. 1917માં મુંબઈની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1921માં ત્યાંની જ એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

મહેતા, ગિરધરલાલ દયારામ

Jan 17, 2002

મહેતા, ગિરધરલાલ દયારામ (જ. 5 સપ્ટેમ્બર 1879, માળવા; અ. 18 જાન્યુઆરી 1966, વિસનગર) : ઉત્તર ગુજરાતના જાણીતા સમાજસેવક. વિસનગરના નાગર પરિવારમાં જન્મેલા ગિરધરલાલ પિતાના દ્વિતીય પુત્ર હતા. પ્રાથમિક શિક્ષણ આબુ અને વિસનગરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવીને 1896માં તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ત્યારપછી સરકારી કૉલેજમાં દાખલ થયા, પરંતુ કુટુંબની…

વધુ વાંચો >

મહેતા, ગિરધારીલાલ

Jan 17, 2002

મહેતા, ગિરધારીલાલ (જ. 13 જાન્યુઆરી 1907, વારાણસી; અ. 4 જુલાઈ 1988, કૉલકાતા) : ભારતના અગ્રણી વ્યાપારી અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ વારાણસી અને કૉલકાતામાં લીધું હતું. 1922માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમની બળદેવદાસ શાલિગ્રામની પેઢી કઠોળ, તેલીબિયાં અને કપાસની દલાલી કરી અંગ્રેજ કંપનીઓને તે નિકાસ માટે પૂરાં…

વધુ વાંચો >

મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ

Jan 17, 2002

મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ (જ. 11 નવેમ્બર 1911, ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતી વિવેચક, અનુવાદક. વતન સરસ (જિ. સૂરત). ઈ.સ. 1931માં મૅટ્રિક થયા પછી 1935માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે બી. એ. 1937માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ત્યારબાદ પીએચ.ડી. 1937થી ’45 સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને 1946થી ’61 સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના…

વધુ વાંચો >

મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’)

Jan 17, 2002

મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’) (જ. 6 ઑગસ્ટ 1939, સરખેજ, જિ. અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર. વતન સરોડા. પિતા આખ્યાનકાર અને હિંદુ ધર્મના અભ્યાસી. માતા મણિબહેન. શિક્ષણ સરોડા તથા કેલિયાવાસણાની શાળાઓમાં તથા અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં. હિંદી વિષયમાં એમ. એ., પીએચ. ડી. તથા કાયદાશાસ્ત્રમાં એલ.એલબી. નવગુજરાત કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક તેમજ…

વધુ વાંચો >

મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ

Jan 17, 2002

મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ (જ. 6 એપ્રિલ 1901, સૂરત; અ. 4 મે 1991, વડોદરા) : ગુજરાતના સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને આત્મકથાકાર. પિતાને વડોદરામાં રેલવેમાં નોકરી એટલે બાળપણ વડોદરામાં વીતેલું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સૂરતમાં. શિક્ષકોએ સાહિત્ય અને ઇતિહાસનો રસ લગાડેલો. ‘કાવ્યદોહન’, ‘ચંદ્રકાન્ત’, ‘હિન્દ અને બ્રિટાનિયા’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા’…

વધુ વાંચો >

મહેતા, જગન વિ.

Jan 17, 2002

મહેતા, જગન વિ. (જ. 21 મે 1909, વિરમગામ; અ. 10 ફેબ્રુઆરી 2003) : ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર છબીકાર. તેમના પિતા વાસુદેવભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા અને સાણંદમાં વૈદ તરીકે જાણીતા હતા. પિતાની ઇચ્છા તેમને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દાની નોકરી અપાવવાની હતી, પણ જગનભાઈમાં સુષુપ્તાવસ્થામાં રહેલી કળાકાર બનવાની વૃત્તિ…

વધુ વાંચો >

મહેતા, જયા

Jan 17, 2002

મહેતા, જયા (જ. 16 ઑગસ્ટ 1932, કોળિયાક, જિ. ભાવનગર) : કવયિત્રી, અનુવાદક, વિવેચક, સંપાદક. ઉપનામ : ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’. પિતાનું નામ વલ્લભદાસ. વતન કોળિયાક (જિ. ભાવનગર). હાલમાં મુંબઈ. 1954માં બી.એ.; 1963માં એમ.એ. ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિશિષ્ટ અભ્યાસ’ – એ વિષય પર તેમણે પીએચ.ડી. કર્યું. એ પછી…

વધુ વાંચો >

મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’)

Jan 17, 2002

મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’) (જ. 19 સપ્ટેમ્બર 1904, ભાવનગર; અ. 2 ઑક્ટોબર 1987) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અભ્યાસ મેટ્રિક સુધી. સંજોગવશાત્ માત્ર 17 વર્ષની વયે તેમને ખાંડના કારખાનામાં નોકરી લેવી પડી; ત્યારબાદ નસીબ અજમાવવા તેઓ મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં એમનું ચિત્ત પત્રકારત્વની દિશામાં ખેંચાયું…

વધુ વાંચો >