ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મહારાજા અજિતસિંહ

Jan 16, 2002

મહારાજા અજિતસિંહ : મુઘલ બાદશાહ ફર્રુખસિયરના ગુજરાતના સૂબેદાર (1715–17 અને 1719–21). ગુજરાતમાં શાહજાદા મુહમ્મદ આઝમશાહની સૂબેદારી દરમિયાન દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડો સાથેનું સમાધાન સ્વીકાર્યું હતું; પરંતુ મહારાજા અજિતસિંહને પોતાને મળેલી જાગીરોથી સંતોષ નહોતો. તેઓ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતા. સુજાતખાનના અવસાન(ઈ. સ. 1701)થી એમના પર રહેલો…

વધુ વાંચો >

મહારાજા કરણી સિંહ

Jan 16, 2002

મહારાજા કરણી સિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર અ. 6 સપ્ટેમ્બર 1988, નવી દિલ્લી) : લોકસભાના સભ્ય, સુપ્રસિદ્ધ નિશાનેબાજ અને બિકાનેર રાજ્યના અંતિમ મહારાજા. તેમનું નામ તેમની કુળદેવી કરણીમાતા પરથી પાડવામાં આવ્યું હતું. તેમનું શાલેય શિક્ષણ બિકાનેરમાં થયું. સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ…

વધુ વાંચો >

મહારાજા જશવંતસિંહ

Jan 16, 2002

મહારાજા જશવંતસિંહ (ઈ. સ. 1659–62 અને 1670–72) : જોધપુરના મહારાજા અને ઔરંગઝેબના ગુજરાતના સૂબેદાર. શાહજહાંના નાના પુત્ર મુરાક્ષના સમય(ઈ. સ. 1657)માં જોધપુરના મહારાજા જશવંતસિંહ માળવાના સૂબેદાર નિમાયેલા. ઈ. સ. 1659માં ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી મહારાજા જશવંતસિંહને સોંપી. દખ્ખણમાં શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઇસ્તખાનને મદદ કરવા અને સોરઠના ફોજદાર કુત્બુદ્દીનને નવો…

વધુ વાંચો >

મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે

Jan 16, 2002

મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે : સન 1888માં પુણેમાં સ્થાપવામાં આવેલી એક વેધશાળા. આ વેધશાળા 1888થી 1912 સુધી કાર્યરત રહી. મહારાજા તખ્તસિંહજી વેધશાળા તરીકે ઓળખાતી આ વેધશાળા તેના નામ સાથે સંકળાયેલા ભાવનગરના મહારાજાની માલિકીની નહિ, પરંતુ તે કાળના મુંબઈ પ્રાન્તની સરકારની માલિકીની હતી. તખ્તસિંહજી વેધશાળાના સ્થાપક કાવસજી દાદાભાઈ નાયગામવાલા (1857–1938) એક…

વધુ વાંચો >

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા

Jan 16, 2002

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા (1961) : વડોદરાનું મૂલ્યવાન કલા-સંગ્રહાલય. મોતીબાગમાં આવેલી મોતીબાગ સ્કૂલના મકાનમાં આ મ્યુઝિયમ આવેલું છે. મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરા શહેર અને રાજ્યને કલાકૃતિઓથી સમૃદ્ધ કરવા માટે દેશવિદેશમાંથી ખરીદેલી અને કેટલીક ખાસ તૈયાર કરાવેલી કલાકૃતિઓને અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં 22 ખંડો અને વિશાળ ગૅલરી છે. તેમાં…

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા

Jan 16, 2002

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા : ગુજરાતનું પુરાતત્વવિષયક એક મહત્વનું મ્યુઝિયમ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ તરફથી અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્થળ-તપાસ અને ઉત્ખનનની તાલીમ અર્થે દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનનાં પુરાતાત્ત્વિક મહત્વ ધરાવતાં સ્થાનોએ સંશોધન-ઉત્ખનન હાથ ધરવામાં આવતાં અને તે નિમિત્તે જે સામગ્રી પ્રાપ્ત થતી તેનો સંગ્રહ…

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા

Jan 16, 2002

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા : પશ્ચિમ ભારતની જાણીતી યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ. સ્થાપનાનું બીજ વીસમી સદીના પ્રથમ દાયકામાં જ રોપાયું હતું. વડોદરા કૉલેજના આચાર્ય ડૉ. જેકસને વડોદરામાં સ્વતંત્ર વહીવટી સત્તાવાળા વિજ્ઞાન વિદ્યાલયની આવશ્યકતા જણાવી. આના અનુસંધાનમાં 1909માં…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર

Jan 16, 2002

મહારાષ્ટ્ર દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 15° 40´ ઉ. થી 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 72° 44´ પૂ.થી 80° 55´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો લગભગ 3,07,723 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે, અને તેના મોટાભાગના વિસ્તારો દખ્ખણના ઉચ્ચપ્રદેશને આવરે છે. આ રાજ્યની…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ

Jan 16, 2002

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ : મરાઠી ભાષા અને સાહિત્યના સંવર્ધન અને વિકાસાર્થે સ્થાપવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યની કેન્દ્રીય સાહિત્યિક સંસ્થા. તેની સ્થાપના 1906માં લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી. સન 2001માં તેના આજીવન સભ્યોની સંખ્યા 7,000 જેટલી હતી તથા તેની શાખાઓની સંખ્યા 35 જેટલી હતી. પરિષદનું કાર્ય મુખ્યત્વે સાહિત્યવિષયક હોવાથી વર્ષ દરમિયાન…

વધુ વાંચો >

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર

Jan 16, 2002

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં…

વધુ વાંચો >