ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
માધવરાવ પહેલો
માધવરાવ પહેલો (જ. 16 ફેબ્રુઆરી 1745; અ. 18 નવેમ્બર 1772) : મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા. પેશ્વા બાલાજી બાજીરાવ અને ગોપિકાબાઈના ત્રણ પુત્રોમાંનો વચલો પુત્ર. રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ તેને પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેણે શરૂ કર્યું…
વધુ વાંચો >માધવવાવ (વઢવાણ)
માધવવાવ (વઢવાણ) : ગુજરાતની એક ઉત્તમ વાવ. આ સુંદર વાવ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 8 કિમી. દૂર આવેલા વઢવાણના પ્રાચીન નગરના મધ્યના જૂના વિસ્તારમાં આવેલી છે. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી. વાવમાંના એક પથ્થર પર ઈ. સ. 1294નો શિલાલેખ કોતરેલો છે, જેના પરથી…
વધુ વાંચો >માધવસેન
માધવસેન (ઈ.પૂ. બીજી સદી) : શુંગ વંશના યુવરાજ અગ્નિમિત્રનો મિત્ર તથા વિદર્ભના રાજા યજ્ઞસેનનો પિતરાઈ. રાજા પુષ્યમિત્ર(ઈ.પૂ. 1871–51)ના અમલ દરમિયાન અગ્નિમિત્ર વિદિશાનો સૂબો હતો. વિદર્ભ અને વિદિશા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તેનો ઉલ્લેખ કવિ કાલિદાસે પોતાના સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ, માધવસેન વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના…
વધુ વાંચો >માધવ હર્ષદેવ (ડૉ.)
માધવ હર્ષદેવ (ડૉ.) (જ. 20 ઑક્ટોબર 1954, વરતેજ, જિ. ભાવનગર, ગુજરાત) : બહુભાષી કવિ તથા સાહિત્યકાર. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પણ લેખનકાર્ય કરે છે. તેમણે એમ.એ. (પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર), બી.એડ્.…
વધુ વાંચો >માધવાણી, મનુભાઈ
માધવાણી, મનુભાઈ (જ. 15 માર્ચ 1930, જિંજા, યુગાન્ડા ) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું હતું. 1949માં યુગાન્ડા પાછા ફરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. તેમનું કાર્યક્ષેત્ર ખાંડ, ચા, કપાસ અને જિનિંગના ઉદ્યોગો અને વ્યાપાર હતું. મનુભાઈએ તેમાં સમયાંતરે લોખંડ, પ્લાસ્ટિક, કાચ, સાબુ, દીવાસળી અને પૅકેજિંગના…
વધુ વાંચો >માધવાનલ-કામકંદલા
માધવાનલ-કામકંદલા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નાયક માધવ અને નાયિકા કામકંદલાની પ્રેમકથા નિરૂપતી ઉત્તમ કૃતિ. ચૌદથી સત્તરમા શતક સુધીમાં આ કથા વિવિધ કથાકારોએ વિશેષત: પદ્યમાં આપી છે. ચૌદમા શતકમાં આનંદધરે સંસ્કૃતમાં રચેલું ‘માધવાનલાખ્યાનમ્’ મળે છે. તે પછી ભરૂચના કાયસ્થ કવિ ગણપતિએ ઈ. સ. 1518માં રચેલી ગુજરાતી ભાષાની 2,500 દુહા ધરાવતી ‘માધવાનલ-કામકંદલા…
વધુ વાંચો >માધવી
માધવી (જ. 1872, ચેન્નાઈ; અ. 1925, ચેન્નાઈ) : તમિળ ભાષાના ત્રણ શ્રેષ્ઠ નવલકથાકારો પૈકીના એક. તેઓ મદ્રાસની મિલર કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ આબકારી ખાતામાં અધિકારી તરીકે જોડાયા હતા; લેખનકાર્ય તેમના શોખનો વિષય હતો. તેમણે તમિળ તેમજ અંગ્રેજી એ બંને ભાષાઓમાં ઘણી નવલકથાઓ લખી છે. તેમણે 24 વર્ષની વયે ‘પદ્માવતીચરિત્રમ્’…
વધુ વાંચો >માધવીલતા
માધવીલતા : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્પીધિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hiptage benghalensis Kurz syn H. madablota Gaertn.; Benisteria benghalensis (સં. માધવી, અતિમુક્તા; બં., હિં., માધવીલતા, ગુ. માધવીલતા, માધવી, રગતપીતી, માધવલતા, મધુમાલતી; અં. ક્લસ્ટર્ડ હિપ્ટેજ; ડિલાઇટ ઑવ વુડ્ઝ) છે. તે એક મોટો, સુંદર, સદાહરિત, આરોહી ક્ષુપ છે અને સમગ્ર…
વધુ વાંચો >માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ
માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ (જ. 23 જુલાઈ 1886, લા કોરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પૅનિશ લેખક, વિદેશનીતિના પ્રવીણ રાજદ્વારી પુરુષ અને ઇતિહાસકાર. રાષ્ટ્રસંઘ માટેની તેમની સેવા તેમજ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં તેમનાં ફળદાયી લખાણો માટે જાણીતા. સ્પૅનિશ લશ્કરી અધિકારીના પુત્ર. પિતાના આગ્રહના કારણે તેમણે પૅરિસમાં…
વધુ વાંચો >માધેપુરા
માધેપુરા : બિહાર રાજ્યના ઈશાન વિસ્તારમાં કોસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન, સીમા, વિસ્તાર : તે 25° 55´ ઉ. અ. અને 86° 47´ પૂ. રે. આજુબાજુનો 1,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સુપૌલ, ઈશાનમાં અરેડિયા, પૂર્વમાં પૂર્ણિયા, દક્ષિણમાં ભાગલપુર, નૈર્ઋત્યમાં ખગારિયા તથા…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >