ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મસ્નવી

મસ્નવી : એક કાવ્યપ્રકાર. તે ઉર્દૂ ઉપરાંત ફારસી, તુર્કી તથા એ ભાષાઓથી પ્રભાવિત થયેલી બીજી ભારતીય ભાષાઓમાં પ્રચલિત છે. ‘મસ્નવી’ શબ્દ અરબી છે અને તે ‘સના’ ઉપરથી બન્યો છે. અરબીમાં ‘સના’નો અર્થ બે થાય છે. મસ્નવી કાવ્યપ્રકારમાં દરેક પંક્તિ(બૈત)ના બે ભાગ (મિસરાઓ) સપ્રાસ હોય છે; પરંતુ ગઝલ, કસીદા વગેરેની જેમ…

વધુ વાંચો >

મહત્તમ અને લઘુતમ મૂલ્યો

મહત્તમ અને લઘુતમ મૂલ્યો (maximum–minimum values) : અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે કે ઓછાં સ્થાનિક મૂલ્યો. વિધેયનું y મૂલ્ય, અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના (આગળના કે પાછળના) બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે હોય તો તે મૂલ્ય વિધેયનું સ્થાનિક મહત્તમ (local maximum) મૂલ્ય છે અને વિધેય દર્શાવતા વક્ર…

વધુ વાંચો >

મહત્ – મહાન્

મહત્ – મહાન્ : સાંખ્યદર્શનમાં બુદ્ધિવાચક શબ્દ. બાહ્ય જગતની દૃષ્ટિએ એ વિરાટ-બીજ છે તેથી તેને મહતત્વ કહે છે. આભ્યંતરિક દૃષ્ટિએ આ એવી બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે. અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય અને નિર્ણય કરે છે. સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહત્ જ છે. તદનુસાર પ્રકૃતિ અને…

વધુ વાંચો >

મહદૂર, ગુલામ અહમદ

મહદૂર, ગુલામ અહમદ (જ. 1895, માંગી, પુલબાયા, કાશ્મીર; અ. 1952) : કાશ્મીરી લેખક. મધ્યવર્ગીય પીર કુટુંબમાં જન્મ. એમણે ફારસી તથા અરબી ભાષા શીખી અને કાશ્મીરની બહાર અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. 19 વર્ષની વયે તેઓ ગામના તલાટી બન્યા. એમના સમકાલીન કેટલાક ખ્યાતનામ કવિઓ વિશેષત: રસૂલ મીરના સંપર્કમાં આવ્યા અને એમને ગુરુ…

વધુ વાંચો >

મહફૂજ, નજીફ

મહફૂજ, નજીફ (જ. 1911, જમાલિયા, ઇજિપ્ત) : 1988ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા ઇજિપ્તવાસી નવલકથાકાર. સનદી અધિકારીના તેઓ સાતમા સંતાન હતા. 1934માં તેઓ કેરો યુનિવર્સિટીમાંથી ફિલસૂફીના વિષયમાં સ્નાતક થયા અને ઇજિપ્તની સનદી સેવાના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને 1971માં ત્યાંથી નિવૃત્ત થયા. તેઓ અરબી ભાષામાં લખે છે. તેમની બારેક નવલકથાઓના અંગ્રેજીમાં…

વધુ વાંચો >

મહમૂદ ગઝ્નવી

મહમૂદ ગઝ્નવી (જ. 971; અ. 1030, ગઝ્ના, અફઘાનિસ્તાન) : ભારત ઉપર સત્તર જેટલી ચડાઈઓ કરનાર ગઝ્નવી વંશનો ગઝ્નાનો સુલતાન. તેણે યુદ્ધની તાલીમ લીધી અને તેના પિતા સબુક્તેગીનની ભારત ઉપરની ચડાઈઓમાં તે ભાગ લેતો હતો. પિતાના અવસાન (998) સમયે તે ખુરાસાનનો હાકેમ હતો. ભાઈ ઇસ્માઈલને લડાઈમાં હરાવી તે ગઝ્નાની ગાદીએ બેઠો.…

વધુ વાંચો >

મહમૂદ ગાવાન

મહમૂદ ગાવાન (જ. 1411, જીલાન, ઈરાન; અ. 14 એપ્રિલ 1481, બિદર, દક્ષિણ ભારત) : બહમની રાજ્યનો મુખ્ય વજીર. (વકીલુસ્ સલ્તનત). આશરે ઈ. સ. 1452માં બહમની રાજ્યના સુલતાન અલાઉદ્દીન અહમદશાહ બીજા(1435–1458)ના શાસન દરમિયાન તે વેપાર કરવા ભારતમાં આવ્યો હતો. પરિસ્થિતિ જોઈને તેણે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. તેની કુશળતા, મુત્સદ્દીગીરી અને…

વધુ વાંચો >

મહમૂદ શર્કી

મહમૂદ શર્કી (ઈ. સ. 1440–1457) : ઉત્તરપ્રદેશમાં વારાણસીથી વાયવ્યમાં 55 કિમી. દૂર આવેલ જૉનપુરનો શર્કી વંશનો સુલતાન. તેનો પિતા ઇબ્રાહીમશાહ શક્તિશાળી, બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતો હતો. તેણે જૉનપુરને ઇસ્લામી વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું હતું. મહમૂદશાહે પિતાની નીતિનો અમલ કર્યો. તેણે ચુનારમાં થયેલો બળવો કચડી નાખી તે પ્રદેશનો મોટો ભાગ જીતી…

વધુ વાંચો >

મહમૂદશાહ

મહમૂદશાહ (ઈ. સ. 1436–1469) : માળવાનો સુલતાન અને માળવામાં ખલજી વંશનો સ્થાપક. માળવાના વિલાસી અને શરાબી સુલતાન મોહમ્મદશાહ(1435–1436)ને તેના વજીર મહમૂદ ખલજીએ ઝેર અપાવી મારી નંખાવ્યો. તે પછી ગાદીએ બેસનાર તેના તેર વરસના પુત્ર મસઊદને હરાવી, મહમૂદ ખલજી સુલતાન બન્યો. તે મહત્વાકાંક્ષી અને બહાદુર સિપાહસાલાર (સેનાપતિ) હતો. તેણે ગુજરાત, રાજસ્થાન…

વધુ વાંચો >

મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો)

મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો) (જ. 1446, અમદાવાદ; અ. 23 નવેમ્બર 1511, અમદાવાદ) : ગુજરાતનો બહાદુર અને મહત્વાકાંક્ષી સુલતાન. તે સુલતાન મુહમ્મદશાહ બીજાનો નાનો પુત્ર ફતેહખાન હતો. તે 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો અને તેણે ‘અબુલફત્હ મહમૂદશાહ’ ઇલકાબ ધારણ કર્યો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી ઇતિહાસમાં ‘બેગડો’…

વધુ વાંચો >

મઅર્રી, અબુલ આલા

Jan 1, 2002

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

Jan 1, 2002

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

Jan 1, 2002

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

Jan 1, 2002

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

Jan 1, 2002

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

Jan 1, 2002

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

Jan 1, 2002

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

Jan 1, 2002

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

Jan 1, 2002

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

Jan 1, 2002

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >