મહમૂદ શર્કી (ઈ. સ. 1440–1457) : ઉત્તરપ્રદેશમાં વારાણસીથી વાયવ્યમાં 55 કિમી. દૂર આવેલ જૉનપુરનો શર્કી વંશનો સુલતાન. તેનો પિતા ઇબ્રાહીમશાહ શક્તિશાળી, બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતો હતો. તેણે જૉનપુરને ઇસ્લામી વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું હતું. મહમૂદશાહે પિતાની નીતિનો અમલ કર્યો. તેણે ચુનારમાં થયેલો બળવો કચડી નાખી તે પ્રદેશનો મોટો ભાગ જીતી લીધો. તેણે ઓરિસા ઉપર પણ સર્વોપરિતા મેળવી અને ત્યાંનાં કેટલાંક મંદિરોનો નાશ કર્યો.

જયકુમાર ર. શુક્લ