ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભરતેશ્વરવૈભવ

Jan 11, 2001

ભરતેશ્વરવૈભવ (સોળમી સદી) : કન્નડ કૃતિ. સોળમી શતાબ્દીના અંતમાં જૈન કવિ રત્નાકરવર્ણીએ રચેલી કાવ્યકૃતિ. 18 સર્ગોમાં  રચાયેલી એ બૃહદ મહાકાય રચના છે. એમાં 2,000 જેટલાં કાવ્યો છે. કાવ્યનું શીર્ષક દર્શાવે છે, તે પ્રમાણે એ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતેશ્વરના જીવન પર આધારિત છે. પૂર્ણ જાહોજલાલી તથા સર્વ પ્રકારની સમૃદ્ધિમાં ઊછર્યા હોવા…

વધુ વાંચો >

ભરથરી

Jan 11, 2001

ભરથરી (1880) : કવિ વાઘજીભાઈ આશારામ ઓઝા રચિત પાંચ-અંકી પૌરાણિક નાટક. એમણે આ નાટક સૌપ્રથમ શ્રી મોરબી આર્યસુબોધ નાટકમંડળીમાં રચ્યાસાલ 1880માં જ ભજવ્યું હતું. નાટકમાં કવિએ લાગણીસભર ભાષા અને સંવાદોનો ઉપયોગ કર્યો છે. શૃંગાર, હાસ્ય અને કરુણરસથી ભરપૂર આ નાટકનાં કથાવસ્તુ અને હાર્દે એ જમાનાના જનમાનસ પર ખૂબ અસર કરી…

વધુ વાંચો >

ભરથરી (ગાથા)

Jan 11, 2001

ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા…

વધુ વાંચો >

ભરદ્વાજ

Jan 11, 2001

ભરદ્વાજ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. બૃહસ્પતિ અને મમતાના પુત્ર. 75 સૂક્તો ધરાવતા ઋગ્વેદના છઠ્ઠા મંડળનાં મોટાભાગનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ ભરદ્વાજ છે અને ત્યાં તેમનો ઉલ્લેખ ‘બાર્હસ્પત્ય’ (બૃહસ્પતિના પુત્ર) તરીકે થયો છે; એટલું જ નહિ, પણ તે મંડળનાં અન્ય થોડાં સૂક્તોના મંત્રદ્રષ્ટાઓ તરીકે ‘સુહોત્ર’, ‘શુનહોત્ર’, ‘નર’, ‘ગર્ગ’, ‘ઋજિષ્વા’, ‘પાયુ’ વગેરે ભરદ્વાજ-વંશજોનાં…

વધુ વાંચો >

ભરવાડ

Jan 11, 2001

ભરવાડ (millepede) : ઉદરપ્રદેશના પ્રત્યેક ખંડમાં પગની બે જોડ ધરાવતું દ્વિપદી (diplopoda) વર્ગનું અને સામાન્યપણે સહસ્રપદી (millepoda) નામે ઓળખાતું સંધિપાદ સમુદાયનું એક પ્રાણી. ભરવાડની લંબાઈ 3 મિમી.થી 25 સેમી. જેટલી હોય છે અને કેટલાંક લાંબા કદનાં ભરવાડ પગની 380 જેટલી જોડ ધરાવે છે. ભરવાડ ગંધારી અવાવરું જગ્યાએ પથ્થર, લાકડાની નીચે…

વધુ વાંચો >

ભરહુતનો શિલ્પ-વૈભવ

Jan 11, 2001

ભરહુતનો શિલ્પ-વૈભવ : મધ્યપ્રદેશ(જિ. સતના)ના ભરહુત નામના સ્થળેથી 1873માં મેજર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે એક બૌદ્ધ સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા હતા. આ સ્તૂપના અવશેષો મુખ્યત્વે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલાહાબાદ અને સતના, વારાણસી તેમજ મુંબઈનાં મ્યુઝિયમોમાં સંગૃહીત છે. સ્તૂપ તો નષ્ટ થયો છે. પણ એની વેદિકા અને સ્તંભો પરનાં અંશમૂર્ત…

વધુ વાંચો >

ભરૂચ (જિલ્લો)

Jan 11, 2001

ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 24´થી 22° 17´ ઉ. અ. અને 72° 22´થી 73° 59´ પૂ. રે. વચ્ચેનો, નર્મદા જિલ્લા સહિતનો, 9,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેડા અને વડોદરા જિલ્લા, પૂર્વ…

વધુ વાંચો >

ભર્તૃહરિ

Jan 11, 2001

ભર્તૃહરિ : સંસ્કૃત ભાષાસાહિત્યના જાણીતા મુક્તક-કવિ. ભર્તૃહરિના જીવન વિશે અનેક કિંવદંતીઓ પ્રચલિત છે, જેમાં ઐતિહાસિક રીતે સત્યનો અભાવ જણાય છે. એક પરંપરા મુજબ ભર્તૃહરિ વિક્રમ સંવતના પ્રવર્તક વિક્રમાદિત્યના ભાઈ હતા, પરંતુ ભારતમાં વિક્રમાદિત્ય નામના એકથી વધુ રાજાઓ થઈ ગયા હોવાથી એ વિશે કશું નક્કી કહી શકાય તેમ નથી. ભારતીય માન્યતા…

વધુ વાંચો >

ભલ્લાતકાવલેહ

Jan 11, 2001

ભલ્લાતકાવલેહ : એક આયુર્વેદિક ઔષધ. ભિલામાના ફળને લઈ તેનાં ડીટાં કાપીને ઈંટના ભૂકામાં ખૂબ રગડવામાં આવે છે. તેથી ફળના ગર્ભમાં જે ઝેરી તેલ હોય છે તે ઈંટના ભૂકામાં શોષાઈ જાય છે. પછી તે છોલાઈ ગયેલા ફળને પાણીથી ખૂબ ધોઈ તેનાં બે ફાડિયાં કરી ચારગણા પાણીમાં ઉકાળી તેમાંનું ચોથા ભાગનું પાણી…

વધુ વાંચો >

ભવનનિર્માણ

Jan 12, 2001

ભવનનિર્માણ : માનવીના રહેણાક કે વ્યાવસાયિક કાર્ય માટે ઊભી કરાતી ઇમારતનું નિર્માણ. ભવનનિર્માણમાં તેનો કેવી પરિસ્થિતિમાં અને કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભવનનિર્માણનો મુખ્ય આશય તેનો ઉપયોગ કરનારને ગરમી, ઠંડી, વરસાદ, ધૂળ-કચરો, અવાજ વગેરેથી રક્ષણ આપવું તે છે. કોઈ પણ ભવનનિર્માણમાં નીચેની બાબતો મહત્વની…

વધુ વાંચો >