ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પૂર્વીય રોમન સામ્રાજ્ય

Jan 16, 1999

પૂર્વીય રોમન સામ્રાજ્ય : પ્રાચીન રોમન સામ્રાજ્યનો પૂર્વ વિભાગ. તેનું રોમન સામ્રાજ્યના પતન પછી એક સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે પંદરમી સદી સુધી અસ્તિત્વ ટકી રહ્યું. મધ્યયુગમાં તે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું હતું. છઠ્ઠી સદી દરમિયાન તેની સત્તાની પરાકાષ્ઠાએ પશ્ચિમમાં દક્ષિણ સ્પેનથી પૂર્વમાં ઈરાનની સરહદ સુધીના ભૂમધ્યકાંઠા, ઉત્તર આફ્રિકા અને એશિયા…

વધુ વાંચો >

પૂષા

Jan 16, 1999

પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ…

વધુ વાંચો >

પૃથક્કારી પ્રવિધિઓ (separating processes)

Jan 17, 1999

પૃથક્કારી પ્રવિધિઓ (separating processes) : એક અથવા અનેક પ્રાવસ્થા(phases)વાળા મિશ્રણમાંના ઘટકોને યાંત્રિક અથવા રાસાયણિક રીતે વિભિન્ન ગુણધર્મો ધરાવતા અંશો(fractions)માં અલગ કરવા માટે ઉપયોગમાં     લેવાતી એકમ-સંક્રિયાઓ (unit-operations). આ રીતે છૂટા પડતા અંશો સમાંગ (homogeneous) અથવા વિષમાંગ (heterogeneous) હોઈ શકે છે. યાંત્રિક અલગન-પ્રવિધિઓ પ્રાવસ્થાની ઘનતાના, તરલતા- (fluidity)ના તથા કણોનાં કદ, આકાર અને…

વધુ વાંચો >

પૃથિવી

Jan 17, 1999

પૃથિવી : વેદમાં દેવતારૂપ ગણાયેલી પૃથ્વી. ઋગ્વેદના પૃથ્વીસ્થાનીય દેવતાઓમાં પૃથિવીનું, મહદંશે, દ્યુસ્થાનીય દેવતા દ્યૌ: સાથે સંમિલિત સ્વરૂપમાં જ નિરૂપણ થયું છે. સમગ્ર ઋગ્વેદનાં કુલ 1,028 સૂક્તોમાં ત્રણ મંત્રોવાળા માત્ર એક જ સૂક્ત(5, 84)માં અને અથર્વવેદના એક સુંદર અને સુદીર્ઘ પ્રભૂમિસૂક્ત(12, 1)માં જ, સ્વતંત્ર દેવતા તરીકે, પૃથિવીની પ્રશસ્તિ મળે છે. દ્યૌ:…

વધુ વાંચો >

પૃથિવીવલ્લભ (1921)

Jan 17, 1999

પૃથિવીવલ્લભ (1921) : કનૈયાલાલ મુનશીની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક નવલકથા તથા તેના કથાનકને આધારે થયેલાં નાટ્ય અને ચલચિત્ર-રૂપાંતરો. આ નવલકથા ગોદાવરી નદીના તટે વસેલાં બે રાજ્યો માલવા અને તૈલંગણના સંઘર્ષની કથા રજૂ કરે છે. અવંતિનરેશ ‘મુંજ’ વીર અને રસિક કવિ હતો. પ્રજા તેને ‘પૃથ્વીવલ્લભ’ તરીકે ઓળખતી. તૈલંગણનો રાજા તૈલપ મુંજની કીર્તિથી ઈર્ષાની…

વધુ વાંચો >

પૃથ્વી

Jan 17, 1999

પૃથ્વી સૂર્યમંડળના નવ ગ્રહો પૈકીનો એક ગ્રહ. સૂર્યથી અંતરના સંદર્ભમાં શુક્ર અને મંગળની વચ્ચે રહેલો, ત્રીજું સ્થાન ધરાવતો ગ્રહ. આજ સુધીની જાણકારી મુજબ, સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ (અવકાશી પિંડ) છે જેના ગોળાની સપાટી પર જીવનનું અસ્તિત્વ શક્ય બનવા માટે જરૂરી હવા, પાણી અને ભૂમિના મિશ્ર પર્યાવરણીય સંજોગોની…

વધુ વાંચો >

પૃથ્વીચંદ્રચરિત

Jan 18, 1999

પૃથ્વીચંદ્રચરિત : ચૌદમી સદીના અંતભાગની ગુજરાતી ગદ્યકથા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં સુંદર ગદ્યકથાનકો મળે છે. સંસ્કૃત ભાષામાંના આના ‘કથા’, ‘આખ્યાયિકા’, ‘ચંપૂ’ વગેરે અનેક ભેદ પણ મળે છે, પણ અપભ્રંશ પછીની લોકભાષાઓમાં એ પ્રકારનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, માત્ર સોગંદ ખાવા પૂરતી મધ્યકાલીન ગુજરાતીમાં એક ગદ્યકથા મળે છે, જેને…

વધુ વાંચો >

પૃથ્વી થિયેટર્સ

Jan 18, 1999

પૃથ્વી થિયેટર્સ : હિંદી રંગમંચની યશસ્વી નાટ્યમંડળી. તેની સ્થાપના મુંબઈ ખાતે વિખ્યાત ફિલ્મ-અભિનેતા, દિગ્દર્શક પૃથ્વીરાજ કપૂરે 15 જાન્યુઆરી, 1944ના રોજ કરી હતી. પૃથ્વી થિયેટર્સનું સંગઠન વ્યાવસાયિક નાટ્યમંડળી જેવું હોવા છતાં, વિશેષપણે તે એક પારિવારિક નાટ્યમંડળી હતી. તેનો ઉદ્દેશ વ્યાવસાયિક લાભ નહિ, પણ પોતાનાં નાટકો દ્વારા રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો અને…

વધુ વાંચો >

પૃથ્વીની ઉત્પત્તિ

Jan 18, 1999

પૃથ્વીની ઉત્પત્તિ : જુઓ પૃથ્વી.

વધુ વાંચો >

પૃથ્વીની કક્ષા

Jan 18, 1999

પૃથ્વીની કક્ષા : જુઓ પૃથ્વી.

વધુ વાંચો >