ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નિત્શે, ફ્રેડરિક

Jan 14, 1998

નિત્શે, ફ્રેડરિક (જ. 15 ઑક્ટોબર 1844, જર્મની; અ. 25 ઑગસ્ટ 1900, જર્મની) : ઓગણીસમી સદીના ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ. નિત્શેએ મનોવિશ્લેષક ફ્રૉઇડ તેમજ સમાજલક્ષી તત્વચિંતક કાર્લ માર્કસ ની જેમ જ નિરીશ્વરવાદી અભિગમ રજૂ કરીને પ્રચલિત ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક કે કલાવિષયક માન્યતાઓને પડકારી છે. પોતપોતાનાં ક્ષેત્રોમાં જોકે ફ્રૉઇડ કે માર્કસે વૈજ્ઞાનિક વસ્તુલક્ષી…

વધુ વાંચો >

નિદર્શન સિદ્ધાંત (Theory of Sampling) અને નિદર્શ તપાસ

Jan 14, 1998

નિદર્શન સિદ્ધાંત (Theory of Sampling) અને નિદર્શ તપાસ : સમગ્ર સમુદાયમાંથી આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી પસંદ કરેલા નાના સમૂહોના ઘટકોનો અભ્યાસ કરી તે વડે સમગ્ર સમુદાય વિશે તારણો કાઢવાની રીત તે નિદર્શન. નિદર્શન મેળવવાની પદ્ધતિઓ અને નિદર્શમાપનને આધારે સમષ્ટિની વિશિષ્ટતાઓ અંગેના નિષ્કર્ષ મેળવવાનો સિદ્ધાંત તે નિદર્શન સિદ્ધાંત. ઉદ્યોગ, વ્યાપાર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન…

વધુ વાંચો >

નિદાનલક્ષી મૂલ્યાંકન

Jan 14, 1998

નિદાનલક્ષી મૂલ્યાંકન : તબીબ દ્વારા દર્દની તકલીફોના નિદાનની પ્રક્રિયા. દર્દીની તકલીફો પરથી તેને થયેલા રોગ, રોગનું કારણ, રોગનો તબક્કો તથા તેની આનુષંગિક (complicating) સમસ્યાઓ અંગેના નિર્ણયને નિદાન કહે છે. હાલ તેમાં સમસ્યાલક્ષી અભિગમ(problem-oriented approach)નો ખાસ ઉમેરો થયેલો છે. દર્દીની શારીરિક સમસ્યાઓ અથવા તકલીફોની યાદી તથા તેમના ઉદભવનો સમયાનુક્રમ (chronological order)…

વધુ વાંચો >

નિદાનસૂત્ર

Jan 14, 1998

નિદાનસૂત્ર : સામવેદની કૌથુમશાખાનું શ્રૌતસૂત્ર. રચયિતા મહર્ષિ પતંજલિ (ઈ. સ. બીજું–ત્રીજું શતક). એની હસ્તપ્રતો અડયાર ગ્રંથાલય, વડોદરાનું પ્રાચ્યવિદ્યામંદિર, કૉલકાતાની સંસ્કૃત કૉલેજ, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, જમ્મુનું રઘુનાથ મંદિર, તાંજાવુરનું સરસ્વતી મહાલ પુસ્તકાલય, ત્રાવણકોરનું સરકારી ગ્રંથાલય વગેરે સ્થળોએ છે. જર્મનીમાં બર્લિનની એક સંસ્થામાં પણ બે હસ્તપ્રતો છે. પ્રથમ પ્રકાશન કૉલકાતાના ‘ઉષા’માં. ત્યાંની…

વધુ વાંચો >

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ

Jan 14, 1998

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ : શિક્ષણ દ્વારા નિદાન અને ઉપચાર દર્શાવતી પદ્ધતિ. શિક્ષણના ક્ષેત્રમાં પણ તબીબીક્ષેત્રના જેવી પરિસ્થિતિ અમુક અંશે રહેલી છે. વિકસતાં બાળકો ‘તકલીફ’ અનુભવતાં હોય છે. ફ્રૅન્ક બટલરના મતે, ‘‘શિક્ષણનું ધ્યેય અસરકારક રીતે સિદ્ધ કરવાનું મુશ્કેલ બને તેને ‘તકલીફ’ કહેવાય. શિક્ષણમાં નિદાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કેટલીક વાર…

વધુ વાંચો >

નિદા ફાઝલી

Jan 14, 1998

નિદા ફાઝલી (જ. 12 ઑક્ટોબર 1938, દિલ્હી; અ. 8 ફેબ્રુઆરી 2016, મુંબઈ) : ઉર્દૂ તથા હિંદી કવિ, નવલકથાકાર, વિવેચક અને સંપાદક. દિલ્હી યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ. તેમના ચાર કાવ્યસંગ્રહો તે ‘લફ્ઝોં કા પુલ’, ‘મોર નાચ’, ‘આંખ ઔર ખ્વાબ કે દરમિયાઁ’ અને ‘ખોયા હુઆ સા કુછ’. પ્રાચીન અને આધુનિક ઉર્દૂ કવિઓના સંદર્ભમાં…

વધુ વાંચો >

નિદ્રા

Jan 14, 1998

નિદ્રા : અવાજ, સ્પર્શ કે અન્ય બાહ્ય સંવેદનાઓ કે દુખાવો થવા જેવી આંતરિક ઉત્તેજનાથી સહેલાઈથી જગાડી શકાય તેવી બેભાનઅવસ્થા. મગજની અંદર ઉત્પન્ન થતી ઉત્તેજક અને અવદાબક (inhibitory) પ્રક્રિયાઓ ઊંઘ, જાગ્રત અવસ્થા તેમજ ઉશ્કેરાટ, ખિન્નતા અને ભય જેવી મનોદશાઓ(moods)નું સર્જન કરે છે. ગાઢ બેભાનઅવસ્થા (coma), ઘેન (stupor), અતિનિદ્રિતતા (hypersomnia), લવરી ચઢવી…

વધુ વાંચો >

નિદ્રા (આયુર્વેદ)

Jan 14, 1998

નિદ્રા (આયુર્વેદ) : નિદ્રા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ત્રણ ઉપસ્તંભમાં નિદ્રાની ગણતરી કરવામાં આવી છે. ત્રણેય દોષો શરીરના સ્તંભ છે. તેના ઉપર જીવન ટકી રહે છે. ત્રણ ઉપસ્તમ્ભ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ત્રણ સ્તંભવાળા શરીરને ટેકારૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયનિગ્રહ એવો થાય છે. મહર્ષિ સુશ્રુતે નિદ્રાને વૈષ્ણવી શક્તિ અથવા વિષ્ણુની…

વધુ વાંચો >

નિદ્રાપ્રેરકો અને શામકો (hypnotics and sedatives)

Jan 14, 1998

નિદ્રાપ્રેરકો અને શામકો (hypnotics and sedatives) : ઊંઘ લાવે કે પૂરતા સમય માટે ઊંઘને જાળવી રાખે તે નિદ્રાપેરક (hypnotic) અને ઊંઘ લાવ્યા વગર ઉશ્કેરાટ શમાવે તે શામક (sedative) ઔષધ. શામકો ક્યારેક થોડા પ્રમાણમાં ઘેન (drowsiness) લાવે છે. એક રીતે આ બંને જૂથની દવાઓ કેન્દ્રીય ચેતાતંત્ર(central nervous system)નું અવદાબન (depression) કરે…

વધુ વાંચો >

નિનવેહ (Nineveh)

Jan 14, 1998

નિનવેહ (Nineveh) : હાલના ઇરાકમાં આવેલું એસિરિયા(એસિરિયન સામ્રાજ્ય)નું પ્રાચીન પાટનગર. બાઇબલના જૂના કરારમાં આ નગરનો ઉલ્લેખ છે. ઇરાકમાં આવેલા બગદાદની ઉત્તરે આશરે 370 કિમી. અંતરે ટાઇગ્રિસ નદીને પૂર્વ કાંઠે આજના મોસુલ શહેરની સામે તે વસેલું હતું. ભૌગોલિક સ્થાન : આશરે 36° 15´ ઉ. અ. અને 43° 0´ પૂ. રે.. આ…

વધુ વાંચો >