ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નાટો

નાટો (North Atlantic Treaty Organization – NATO) : સોવિયેત સંઘના સંભાવ્ય આક્રમણને ખાળવાના હેતુથી યુરોપના સામૂહિક સંરક્ષણ માટે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ રચેલું લશ્કરી સંગઠન. પશ્ચિમી રાષ્ટ્રો અને સામ્યવાદીઓ વચ્ચે વર્ષો સુધી ચાલેલા શીત યુદ્ધમાંથી તેનો ઉદભવ થયો છે. તેની સ્થાપના થઈ ત્યારે આ સંગઠનમાં કોઈ લશ્કરી માળખું ન…

વધુ વાંચો >

નાટ્ટા, ગુલિયો

નાટ્ટા, ગુલિયો (જ. 26 ફેબ્રુઆરી 1903, જેનોઆ નજીક ઇમ્પેરિયામાં; અ. 2 મે 1979, બર્ગેમો, ઇટાલી) : નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી. તેમના પિતા જાણીતા ન્યાયાધીશ હતા. શરૂઆતમાં નાટ્ટાએ જેનોઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ મિલાન પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક ઇજનેરી ભણીને 21 વર્ષની ઉંમરે ડૉક્ટરેટ મેળવી તથા ત્રણ વર્ષ બાદ Libero Docente…

વધુ વાંચો >

નાટ્ય ગઠરિયાં

નાટ્ય ગઠરિયાં (1970) : ગુજરાતી પ્રવાસવૃત્તાંત. ચંદ્રવદન ચી. મહેતાનો ગઠરિયાં ગ્રંથશ્રેણીમાંનો એક સુપ્રસિદ્વ પ્રવાસગ્રંથ. 1963–64થી 1968 સુધી યુરોપના જુદા જુદા દેશોમાં નાટ્યસ્પર્ધાના નિર્ણાયક તરીકે, પરિસંવાદમાં વક્તા તરીકે, અધિવેશનોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કે પછી સરકારના નિમંત્રણથી વિશિષ્ટ મુલાકાતી તરીકે ચંદ્રવદને યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, પોલૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા જેવા વિવિધ…

વધુ વાંચો >

નાટ્યદર્પણ

નાટ્યદર્પણ (બારમી સદી) : નાટ્યલક્ષણગ્રંથ. કર્તા રામચન્દ્ર (આશરે ઈ. સ. 1100–1175) અને ગુણચન્દ્ર. બંને જૈન આચાર્ય હેમચન્દ્રના શિષ્યો. ગુણચન્દ્ર વિશે ખાસ માહિતી નથી, પણ રામચન્દ્ર એક આંખવાળો, આચાર્યનો પટ્ટધર શિષ્ય, અગિયાર સંસ્કૃત નાટકો રચનાર, પ્રબન્ધ-શત-કર્તા, અત્યંત વિદ્વાન, ગુજરાતના સિદ્ધરાજ (1093–1143), કુમારપાળ (1143–72), અજયપાળ (1172–75) વગેરે રાજાઓનો સમકાલીન. અજયપાળે એને તપાવેલા…

વધુ વાંચો >

નાટ્યનિકેતન

નાટ્યનિકેતન : મરાઠી નાટ્યસંસ્થા. વીસમી સદીના બીજા દશકાના અંત સુધી મરાઠી નાટકોના ક્ષેત્રે સંગીતનાટકોનું પ્રચલન હતું. સંવાદો ગીતોમાં જ થતા અને સ્ત્રીપાત્રોનો અભિનય પણ પુરુષનટો જ કરતા. આ સંગીતના જાદુમાંથી નાટકને મુક્ત કરવા તથા નાટ્યકલાની શાસ્ત્રીય તાલીમ આપવા માટે નાટ્યવિદ મો. ગ. રાંગણેકર જેવા કુશળ અભિનેતા, દિગ્દર્શક તથા નાટકકાર અને…

વધુ વાંચો >

નાટ્યરંગ

નાટ્યરંગ (1959) : મુંબઈની પ્રયોગશીલ નાટ્યસંસ્થા. રંગભૂમિ(સ્થાપના 1959)એ જેમ અનેક સાહિત્યિક નાટકો રજૂ કર્યાં, તેમ વિષ્ણુકુમાર વ્યાસ અને મધુકર રાંદેરિયા જેવા સાહિત્યપ્રેમી રંગકર્મીઓએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું નાટ્યસામયિક પણ પ્રસિદ્ધ કર્યું. આ સામયિકે અન્ય સામયિકો (‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’, ‘નાટક’ વગેરે) કરતાં વિશિષ્ટ છાપ એ રીતે ઊભી કરી કે એમાં…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્ર

નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્રમુ

નાટ્યશાસ્ત્રમુ (1960) : તેલુગુ નાટ્યવિવેચના. પોનંગી શ્રીરામ અપ્પારવુકૃત ‘નાટ્યશાસ્ત્રમુ’ એ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ભાષ્યનો ગ્રંથ છે, એમાં એમણે નાટ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખી ભરતના ગ્રંથની ઉપર તો ટિપ્પણી કરી જ છે; પરંતુ સંગીત નૃત્ય, નાટક, અભિનય, રસસિદ્ધાંત ઇત્યાદિ વિશે અન્ય પુસ્તકોમાં આપેલી એ વિષયોની ચર્ચા જોડે ભરતનાં મંતવ્યોની તુલના કરી છે.…

વધુ વાંચો >

નાટ્યસંગ્રહાલય

નાટ્યસંગ્રહાલય : જેમાં રંગભૂમિવિષયક દસ્તાવેજો, સંનિવેશ, હાથસામગ્રી, પોશાકો, તસવીરો, પુસ્તકો વગેરે ઐતિહાસિક સાહિત્ય સચવાય અને અભ્યાસુઓને ઉપલબ્ધ બને તેને માટે છૂટાછવાયા પ્રયત્નો ગુજરાતમાં અને ભારતમાં અનેક સ્થળે થયા છે. મોરબીમાં ‘શ્રી નાટ્યકલા ચૅરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 1965થી આરંભાયેલ નાટ્યકલા સંગ્રહસ્થાનમાં ગુજરાતી થિયેટરની તસવીરો, નાટ્યકૃતિઓ, હસ્તપ્રતો, ઑપેરા બુકો અને કેટલીય હાથસામગ્રી સચવાયેલી…

વધુ વાંચો >

નાટ્યસિદ્ધાંત

નાટ્યસિદ્ધાંત : સંસ્કૃત નાટ્યનાં મૂળ તત્વો વિશે વિચાર. સંસ્કૃત સાહિત્યાચાર્યોએ કાવ્યના બે પ્રકાર પાડ્યા છે : શ્રાવ્ય અને દૃશ્ય. તેમાં દૃશ્ય કાવ્ય એટલે નાટ્ય અથવા રૂપક. દૃશ્ય કાવ્ય એવા રૂપક કે નાટ્યમાં રંગમંચની કેટલીક મર્યાદાઓ અને પ્રેક્ષકોની અનેકવિધ રુચિઓનું સમાયોજન આવશ્યક છે, તેમાં સાહિત્યિક તત્વ ઉપરાંત અભિનયકલા પણ સમાવિષ્ટ છે…

વધુ વાંચો >

નઈ તાલીમ

Jan 1, 1998

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

Jan 1, 1998

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

Jan 1, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

Jan 1, 1998

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

Jan 1, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

Jan 1, 1998

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

Jan 1, 1998

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

Jan 1, 1998

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

Jan 1, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

Jan 1, 1998

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >