Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine
કપૂર શશી
કપૂર, શશી (જ. 18 માર્ચ 1938, કોલકાતા; અ. 4 ડિસેમ્બર 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા. વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂર(1906-72)ના પુત્ર તથા રાજ કપૂર અને શમ્મી કપૂરના લઘુબંધુ. પિતા દ્વારા નિર્મિત શકુન્તલા (1944) નાટકમાં છ વર્ષની ઉંમરે અભિનય કર્યો અને આ રીતે કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ‘રાજ’, ‘આગ’ અને ‘આવારા’ ચલચિત્રોમાં બાળઅભિનેતા…
વધુ વાંચો >અર્લાન્ગર જોસેફ
અર્લાન્ગર, જોસેફ (જ. 5 જાન્યુઆરી 1874, સાનફ્રાન્સિસ્કો; અ. 5 ડિસેમ્બર 1965, સેન્ટ લુઈ, મોન્ટાના) : 1944ના શરીરક્રિયાવિદ્યા તથા આયુર્વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના એક વિજેતા. સંશોધનનો વિષય એક જ ચેતાના વિવિધ તંતુઓ જુદાં જુદાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, તે હતો. 1910માં ગૅસર તેમની સાથે સેન્ટ લૂઈ યુનિ.માં જોડાયા. શરીરક્રિયાવિદ્યા(physiology)ના સંશોધનમાં ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રનો ઉપયોગ થઈ શકે તે…
વધુ વાંચો >ઇમ્તિયાઝ અલીખાન
ઇમ્તિયાઝ અલીખાન (જ. 8 ડિસેમ્બર 1904, રામપુર; અ. 25 ફેબ્રુઆરી 1981, રામપુર) : ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો ભાષાસાહિત્યના સંશોધક વિદ્વાન. પ્રાથમિક શિક્ષણ મેળવી, અરબી-ફારસીના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પ્રચલિત વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. 1932થી રામપુર રાજ્યના રાજ્ય (રિઝા) ગ્રંથાલયમાં મુખ્ય ગ્રંથપાલ તરીકે જોડાયા. હસ્તપ્રતો અને અપ્રાપ્ય ગ્રંથોના સંગ્રહને કારણે દેશવિદેશમાં પ્રસિદ્ધ આ ગ્રંથાલયમાં રહ્યે…
વધુ વાંચો >કવિ કર્ણપૂર
કવિ કર્ણપૂર (1524) : સંસ્કૃત નાટ્યકાર અને અલંકારશાસ્ત્રી. બંગાળના નદિયા જિલ્લાના વતની. બીજું નામ પરમાનન્દદાસ સેન. પિતાનું નામ શિવાનંદ અને ગુરુનું નામ શ્રીનાથ. ‘ચૈતન્યચંદ્રોદય’ નાટક તથા અન્ય આઠ કૃતિઓના કર્તા. એ ઉપરાંત ‘અલંકારકૌસ્તુભ’ નામનો તેમનો ગ્રન્થ અત્યન્ત જાણીતો છે. જોકે અન્ય લેખકોના પણ આ જ (‘અલંકારકૌસ્તુભ’) નામ ધરાવતા ચાર ગ્રંથો મળી આવે છે. ‘અલંકારકૌસ્તુભ’માં બધાં…
વધુ વાંચો >અંધો દૂંહો
અંધો દૂંહો (1983) : આધુનિક સિંધી કાવ્યસંગ્રહ. કવિ ડૉ. અરજણ મીરચંદાણી (‘શાદ’). એને સિંધીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે 1983નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો. ‘અંધો દૂંહો’માં કવિએ ભૂમિહીન વિશૃંખલિત સિંધી સમાજની તૂટતી જતી પારંપરિક અને સાંસ્કૃતિક શૃંખલાની વિડંબનાઓનું ચિત્ર આંક્યું છે. તેમાં સિંધી સમાજની ભાવુકતાને વાચા મળી છે. જન્મભૂમિથી વિસ્થાપિત થયાનો આક્રોશમય દર્દીલો સૂર તેમાં બજ્યા…
વધુ વાંચો >આચાર્ય, કેશવદાસ
આચાર્ય, કેશવદાસ (જ. 1555 ઓરછા બુંદેલખંડ; અ. 1617) : હિન્દીના પ્રસિદ્ધ કવિ અને કાવ્યજ્ઞ. ઓરછાનરેશ રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહની સભાના તેઓ કવિ હતા. તેમના ઘરાનામાં સંસ્કૃતની પરંપરા હતી, પરંતુ કેશવદાસે વ્રજ ભાષામાં કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કેશવદાસ રીતિકાલના પ્રવર્તક હતા. તેમની રચનાઓ શાસ્ત્રીય અને રીતિબદ્ધ છે. કાવ્યમાં અલંકારનું સ્થાન પ્રધાન હોવું જોઈએ એવું માનનાર ચમત્કૃતિવાદી કવિ…
વધુ વાંચો >ઇશારા, બાબુરાવ
ઇશારા, બાબુરાવ (જ. 7 સપ્ટેમ્બર 1934 ઉના, હિમાચલપ્રદેશ; અ. 25 જુલાઈ 2012 મુંબઈ) : ખ્યાતનામ ભારતીય સિનેદિગ્દર્શક. મૂળ નામ રોશનલાલ શર્મા. 1971-’72ના વર્ષમાં ‘ચેતના’ નામની સિનેકૃતિ દ્વારા સિનેદિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ્યા અને પ્રસિદ્ધિ પામ્યા હતા. ‘ચેતના’ ભદ્ર સમાજના સુખી પુરુષોને શયનસુખ આપતી એક રૂપજીવિનીની કથા છે. આ વ્યવસાય દરમિયાન તેના જીવનમાં સામાન્ય આર્થિક સ્થિતિનો એક આદર્શવાદી યુવાન…
વધુ વાંચો >એક્ઝેડ્રા
એક્ઝેડ્રા : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દીવાલની અંદરનો એક અર્ધગોળાકાર ગોખલો, જેમાં ઘણી વાર બેઠક રખાયેલી હોય છે. ઘણી વાર ઓરડાનો આંતરિક ભાગ (apse or niche) પણ ગોખલામાં ફેરવાતો. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >